Jharkhandના મુખ્યમંત્રીના આવાસ પર ED કરી રહી છે તપાસ, આ કેસને લઈ થઈ રહી છે સીએમની પૂછપરછ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-30 09:37:33

ઝારખંડના મુખ્યમંત્રીને ત્યાં ઈડીની ટીમ આવી પહોંચી. દિલ્હી ખાતે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના આવાસ પર ઈડીની ટીમ ત્રાટકી છે. મળતી માહિતી અનુસાર મની લોન્ડરિંગ કેસને લઈ ઈડીની ટીમ પૂછપરછ માટે મુખ્યમંત્રીના ઘરે પહોંચી છે. એવી માહિતી પણ સામે આવી રહી છે કે જો જરૂર પડશે તો મુખ્યમંત્રીની ધરપકડ પણ કરવામાં આવી શકે છે. અધિકારીઓ સીએમ સોરેનની પૂછપરછ કરવા માટે પહોંચી હતી મની લોન્ડરિંગના કેસમાં.  

20 જાન્યુઆરીએ આ મામલામાં મુખ્યમંત્રીએ નોંધાવ્યું હતું નિવેદન 

મની લોન્ડરિંગ કેસમાં ઈડી દ્વારા અત્યારસુધીમાં 14 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસને લઈ 20 જાન્યુઆરીએ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનનું નિવેદન તેમના ઘરે નોંધ્યું હતું. ત્યારે આજે સોમવાર સવારે પણ ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ મુખ્યમંત્રીના દિલ્હી સ્થિત આવાસે તપાસ માટે પહોંચી હતી.


9 વખત ઈડીએ સીએમને પાઠવ્યું હતું સમન્સ

મીડિયા રિપોર્ટ પ્રમાણે કથિત જમીન કૌભાંડ કેસ મામલે ઈડી મુખ્યમંત્રીના ઘરે પૂછપરછ માટે પહોંચી હતી. ઈડી સમક્ષ મુખ્યમંત્રીને પેશ થવા માટે અનેક વખત સમન્સ આપવામાં આવ્યું હતું, પૂછપરછ માટે પેશ થવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ તે ગયા ન હતા. મીડિયા  રિપોર્ટ અનુસાર ઈડીએ મુખ્યમંત્રી સોરેનને પેશ થવા માટે 29 અથવા 31 જાન્યુઆરીની તારિખ પણ આપી હતી. પરંતુ આ વખતે ઈડીના અધિકારીઓ પોતે જ મુખ્યમંત્રીને ત્યાં પહોંચી ગયા.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.