Jharkhandના મુખ્યમંત્રીના આવાસ પર ED કરી રહી છે તપાસ, આ કેસને લઈ થઈ રહી છે સીએમની પૂછપરછ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-30 09:37:33

ઝારખંડના મુખ્યમંત્રીને ત્યાં ઈડીની ટીમ આવી પહોંચી. દિલ્હી ખાતે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના આવાસ પર ઈડીની ટીમ ત્રાટકી છે. મળતી માહિતી અનુસાર મની લોન્ડરિંગ કેસને લઈ ઈડીની ટીમ પૂછપરછ માટે મુખ્યમંત્રીના ઘરે પહોંચી છે. એવી માહિતી પણ સામે આવી રહી છે કે જો જરૂર પડશે તો મુખ્યમંત્રીની ધરપકડ પણ કરવામાં આવી શકે છે. અધિકારીઓ સીએમ સોરેનની પૂછપરછ કરવા માટે પહોંચી હતી મની લોન્ડરિંગના કેસમાં.  

20 જાન્યુઆરીએ આ મામલામાં મુખ્યમંત્રીએ નોંધાવ્યું હતું નિવેદન 

મની લોન્ડરિંગ કેસમાં ઈડી દ્વારા અત્યારસુધીમાં 14 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસને લઈ 20 જાન્યુઆરીએ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનનું નિવેદન તેમના ઘરે નોંધ્યું હતું. ત્યારે આજે સોમવાર સવારે પણ ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ મુખ્યમંત્રીના દિલ્હી સ્થિત આવાસે તપાસ માટે પહોંચી હતી.


9 વખત ઈડીએ સીએમને પાઠવ્યું હતું સમન્સ

મીડિયા રિપોર્ટ પ્રમાણે કથિત જમીન કૌભાંડ કેસ મામલે ઈડી મુખ્યમંત્રીના ઘરે પૂછપરછ માટે પહોંચી હતી. ઈડી સમક્ષ મુખ્યમંત્રીને પેશ થવા માટે અનેક વખત સમન્સ આપવામાં આવ્યું હતું, પૂછપરછ માટે પેશ થવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ તે ગયા ન હતા. મીડિયા  રિપોર્ટ અનુસાર ઈડીએ મુખ્યમંત્રી સોરેનને પેશ થવા માટે 29 અથવા 31 જાન્યુઆરીની તારિખ પણ આપી હતી. પરંતુ આ વખતે ઈડીના અધિકારીઓ પોતે જ મુખ્યમંત્રીને ત્યાં પહોંચી ગયા.   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે