કેજરીવાલને EDએ છઠ્ઠું સમન પાઠવ્યું, મની લોન્ડ્રિગ કેસમાં 19 ફેબ્રુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા


  • Published By :
  • Published Date : 2024-02-14 19:56:38

દિલ્હીના લિકર પોલિસી કેસમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહેલા EDએ બુધવારે (14 ફેબ્રુઆરી) મુખ્યમંત્રી કેજરીવાલને છઠ્ઠું સમન્સ મોકલ્યું છે. તપાસ એજન્સી EDએ તેમને 19 ફેબ્રુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા છે. EDએ અગાઉ 31 જાન્યુઆરી, 17 જાન્યુઆરી, 3 જાન્યુઆરી, 21 ડિસેમ્બર અને 2 નવેમ્બરે દિલ્હીના મુખ્યમંત્રીને સમન્સ મોકલ્યા હતા. પરંતુ કેજરીવાલે આ સમનને રાજકારણથી પ્રેરિત હોવાનું કહીંને હાજર થયા નહોતા.


EDએ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં કરી છે ફરિયાદ


જ્યારે કેજરીવાલ પાંચ સમન્સ મોકલ્યા પછી પણ હાજર ન થયા ત્યારે EDએ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં આ અંગે ફરિયાદ દાખલ કરી. આના પર કોર્ટે કેજરીવાલને 17 ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર થવા માટે કહ્યું હતું. દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને AAP સાંસદ સંજય સિંહ દારૂ નીતિ કેસમાં જેલમાં છે.


કેજરીવાલ ક્યારે હાજર થશે?


હવે સવાલ એ છે કે ઈડી વારંવાર સમન પાઠવી રહી છે તેમ છતાં કેજરીવાલ હાજર થતા નથી, તો તેઓ ક્યારે હાજર થશે? કાયદાના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ઈડી તમની સામે બિનજામીન વોરન્ટ જારી કરે છે. ત્યાર બાદ પણ જો તેઓ હાજર નહીં થાય તો તેઓ કલમ 45 હેઠળ બિનજામીન વોરન્ટ આપી શકે છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટ  (PMLA) હેઠળ નોટિસની વારંવાર અવગણના કરવા પર તેમની ધરપકડ થઈ શકે છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે કેજરીવાલે તપાસ માટે હાજર થવું પડશે. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .