કેજરીવાલને EDએ છઠ્ઠું સમન પાઠવ્યું, મની લોન્ડ્રિગ કેસમાં 19 ફેબ્રુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા


  • Published By :
  • Published Date : 2024-02-14 19:56:38

દિલ્હીના લિકર પોલિસી કેસમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહેલા EDએ બુધવારે (14 ફેબ્રુઆરી) મુખ્યમંત્રી કેજરીવાલને છઠ્ઠું સમન્સ મોકલ્યું છે. તપાસ એજન્સી EDએ તેમને 19 ફેબ્રુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા છે. EDએ અગાઉ 31 જાન્યુઆરી, 17 જાન્યુઆરી, 3 જાન્યુઆરી, 21 ડિસેમ્બર અને 2 નવેમ્બરે દિલ્હીના મુખ્યમંત્રીને સમન્સ મોકલ્યા હતા. પરંતુ કેજરીવાલે આ સમનને રાજકારણથી પ્રેરિત હોવાનું કહીંને હાજર થયા નહોતા.


EDએ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં કરી છે ફરિયાદ


જ્યારે કેજરીવાલ પાંચ સમન્સ મોકલ્યા પછી પણ હાજર ન થયા ત્યારે EDએ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં આ અંગે ફરિયાદ દાખલ કરી. આના પર કોર્ટે કેજરીવાલને 17 ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર થવા માટે કહ્યું હતું. દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને AAP સાંસદ સંજય સિંહ દારૂ નીતિ કેસમાં જેલમાં છે.


કેજરીવાલ ક્યારે હાજર થશે?


હવે સવાલ એ છે કે ઈડી વારંવાર સમન પાઠવી રહી છે તેમ છતાં કેજરીવાલ હાજર થતા નથી, તો તેઓ ક્યારે હાજર થશે? કાયદાના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ઈડી તમની સામે બિનજામીન વોરન્ટ જારી કરે છે. ત્યાર બાદ પણ જો તેઓ હાજર નહીં થાય તો તેઓ કલમ 45 હેઠળ બિનજામીન વોરન્ટ આપી શકે છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટ  (PMLA) હેઠળ નોટિસની વારંવાર અવગણના કરવા પર તેમની ધરપકડ થઈ શકે છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે કેજરીવાલે તપાસ માટે હાજર થવું પડશે. 



ભરૂચ લોકસભા બેઠક સામાન્ય રીતે ઉમેદવારોના નિવેદનને કારણે ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે મનસુખ વસાવાએ ચૈતર વસાવા માટે નિવેદન આપ્યું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે ચૈતર વસાવા પર પ્રહાર કર્યા હતા.

મતદાતાઓનો મિજાજ જાણવા માટે જમાવટની ટીમ અલગ અલગ લોકસભા બેઠકમાં જઈ રહી છે. ત્યારે વલસાડના વાકલ ગામ ટીમ પહોંચી હતી. ત્યાં વર્ષોથી નળ તો પહોંચી ગયા છે પરંતુ પાણી નથી પહોંચ્યું..

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણીએ ફરી એક વખત સોશિયલ મીડિયા પર કવિતા શેર કરી છે. ભાજપ પર પ્રહાર કર્યા હતા.

શબ્દોનો પણ મહિમા હોય છે અને મૌનનો પણ મહિમા હોય છે.. કોઈ સતત બોલતું રહે છે અને કોઈ સતત મૌન રહે છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે તુષાર શુક્લની રચના - ચાલ, લઈ લઈએ થોડા અબોલા