EDનો અધિકારી રૂ. 15 લાખની લાંચ લેતા ઝડપાયો, રાજસ્થાન ACBએ કરી ધરપકડ, કોંગ્રેસે માર્યો ટોણો


  • Published By :
  • Published Date : 2023-11-02 18:09:46

તાજેતરમાં રાજસ્થાનમાં EDએ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોટાસરાના પરિસરમાં દરોડા પાડ્યા હતા, આ સિવાય ફેરા સંબંધિત એક કેસમાં સીએમ ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતની પૂછપરછ કરવામાં આવી હતી. હવે રાજસ્થાન ACBએ ED અધિકારી સામે કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીના અધિકારી પર એક વચેટિયા દ્વારા 17 લાખ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ છે.


સમગ્ર મામલો શું છે?


સૂત્રોના જણાવ્યા અનુસાર, ED ઓફિસર નવલ કિશોર મીણા પર એક વચેટિયા દ્વારા 17 લાખ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ છે, ત્યારબાદ રાજસ્થાન સરકારની તપાસ એજન્સીએ કેન્દ્રીય એજન્સીના અધિકારીની ધરપકડ કરી છે. ACBએ ED અધિકારીને અપ્રમાણસર સંપત્તિના કેસમાં ટ્રેપ કર્યા હતા, ત્યારબાદ તેમની સાથે સંબંધિત સ્થળોએ દરોડા પાડ્યા હતા અને અધિકારીની ધરપકડ કરી છે. નવલ કિશોર મીણા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટમાં EO તરીકે કામ કરતા હતા. નવલ કિશોર પર ચિટફંડ સંબંધિત એક કેસ બંધ કરવા અને પ્રોપર્ટી અટેચ ન કરવા અને ધરપકડથી બચાવવા માટે 17 લાખ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ છે, ત્યારબાદ 15 લાખ રૂપિયાની લાંચ લેતા તેમની ધરપકડ કરવામાં આવી હતી.


રાજસ્થાન ACBએ શું કહ્યું?


આ કેસમાં રાજસ્થાન ACBએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, "એન્ફોર્સમેન્ટ ઓફિસર નવલ કિશોર મીણા અને તેના સહયોગી બાબુલાલ મીણાની ખેરથલ તિજારા જિલ્લાના મુંડાવરમાં ફરિયાદી પાસેથી રૂ. 15 લાખની લાંચ લેતી વખતે ધરપકડ કરવામાં આવી છે." ACBના એડિશનલ ડાયરેક્ટર જનરલ હેમંત પ્રિયદર્શીએ જણાવ્યું હતું કે, ACBના જયપુર નગર III યુનિટને ફરિયાદી દ્વારા એક ફરિયાદ આપવામાં આવી હતી કે ઇડી ઇમ્ફાલમાં નોંધાયેલા ચિટફંડ કેસના સમાધાનના બદલામાં, મિલકત જપ્ત ન કરવા અને કોઇ ધરપકડ ન કરવા માટે ઇમ્ફાલ સબ ઝોન ઓફિસના ઈઓ નવલ કિશોર મીણા દ્વારા    રૂ. 17 લાખની લાંચની રકમ  માંગવામાં આવી હતી. ત્યાર બાદ 15 લાખની લાંચ લેતા તેમની ધરપકડ કરવામાં આવી હતી.


કોંગ્રેસ અને ભૂપેશ બઘેલે શું કહ્યું?


કોંગ્રેસે કહ્યું કે ACBએ ED અધિકારી નવલ કિશોર મીણા અને તેના સહયોગી બાબુલાલ મીણાની ધરપકડ કરી છે. તેઓ ED સંબંધિત એક કેસને છૂપાવવા માટે રૂ. 17 લાખની લાંચની માંગણી કરી રહ્યા હતા. જ્યારે ભુપેશ બઘેલે સોશિયલ મીડિયા X પર લખ્યું, "ઇડી અધિકારીની જયપુરમાં 15 લાખની લાંચ લેતા ધરપકડ કરવામાં આવી છે." એટલા માટે હું વારંવાર કહી રહ્યો છું કે શેરીઓમાં ફરતા આ ED અધિકારીઓના વાહનોની તપાસ થવી જોઈએ. દરોડાની આડમાં, શું તેઓ કમળ છાપના સ્ટાર પ્રચારક બનીને ફરતા નથી ને? 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.