EDનો અધિકારી રૂ. 15 લાખની લાંચ લેતા ઝડપાયો, રાજસ્થાન ACBએ કરી ધરપકડ, કોંગ્રેસે માર્યો ટોણો


  • Published By :
  • Published Date : 2023-11-02 18:09:46

તાજેતરમાં રાજસ્થાનમાં EDએ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોટાસરાના પરિસરમાં દરોડા પાડ્યા હતા, આ સિવાય ફેરા સંબંધિત એક કેસમાં સીએમ ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતની પૂછપરછ કરવામાં આવી હતી. હવે રાજસ્થાન ACBએ ED અધિકારી સામે કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીના અધિકારી પર એક વચેટિયા દ્વારા 17 લાખ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ છે.


સમગ્ર મામલો શું છે?


સૂત્રોના જણાવ્યા અનુસાર, ED ઓફિસર નવલ કિશોર મીણા પર એક વચેટિયા દ્વારા 17 લાખ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ છે, ત્યારબાદ રાજસ્થાન સરકારની તપાસ એજન્સીએ કેન્દ્રીય એજન્સીના અધિકારીની ધરપકડ કરી છે. ACBએ ED અધિકારીને અપ્રમાણસર સંપત્તિના કેસમાં ટ્રેપ કર્યા હતા, ત્યારબાદ તેમની સાથે સંબંધિત સ્થળોએ દરોડા પાડ્યા હતા અને અધિકારીની ધરપકડ કરી છે. નવલ કિશોર મીણા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટમાં EO તરીકે કામ કરતા હતા. નવલ કિશોર પર ચિટફંડ સંબંધિત એક કેસ બંધ કરવા અને પ્રોપર્ટી અટેચ ન કરવા અને ધરપકડથી બચાવવા માટે 17 લાખ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ છે, ત્યારબાદ 15 લાખ રૂપિયાની લાંચ લેતા તેમની ધરપકડ કરવામાં આવી હતી.


રાજસ્થાન ACBએ શું કહ્યું?


આ કેસમાં રાજસ્થાન ACBએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, "એન્ફોર્સમેન્ટ ઓફિસર નવલ કિશોર મીણા અને તેના સહયોગી બાબુલાલ મીણાની ખેરથલ તિજારા જિલ્લાના મુંડાવરમાં ફરિયાદી પાસેથી રૂ. 15 લાખની લાંચ લેતી વખતે ધરપકડ કરવામાં આવી છે." ACBના એડિશનલ ડાયરેક્ટર જનરલ હેમંત પ્રિયદર્શીએ જણાવ્યું હતું કે, ACBના જયપુર નગર III યુનિટને ફરિયાદી દ્વારા એક ફરિયાદ આપવામાં આવી હતી કે ઇડી ઇમ્ફાલમાં નોંધાયેલા ચિટફંડ કેસના સમાધાનના બદલામાં, મિલકત જપ્ત ન કરવા અને કોઇ ધરપકડ ન કરવા માટે ઇમ્ફાલ સબ ઝોન ઓફિસના ઈઓ નવલ કિશોર મીણા દ્વારા    રૂ. 17 લાખની લાંચની રકમ  માંગવામાં આવી હતી. ત્યાર બાદ 15 લાખની લાંચ લેતા તેમની ધરપકડ કરવામાં આવી હતી.


કોંગ્રેસ અને ભૂપેશ બઘેલે શું કહ્યું?


કોંગ્રેસે કહ્યું કે ACBએ ED અધિકારી નવલ કિશોર મીણા અને તેના સહયોગી બાબુલાલ મીણાની ધરપકડ કરી છે. તેઓ ED સંબંધિત એક કેસને છૂપાવવા માટે રૂ. 17 લાખની લાંચની માંગણી કરી રહ્યા હતા. જ્યારે ભુપેશ બઘેલે સોશિયલ મીડિયા X પર લખ્યું, "ઇડી અધિકારીની જયપુરમાં 15 લાખની લાંચ લેતા ધરપકડ કરવામાં આવી છે." એટલા માટે હું વારંવાર કહી રહ્યો છું કે શેરીઓમાં ફરતા આ ED અધિકારીઓના વાહનોની તપાસ થવી જોઈએ. દરોડાની આડમાં, શું તેઓ કમળ છાપના સ્ટાર પ્રચારક બનીને ફરતા નથી ને? 




સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.