AAP સાંસદ SanjaySinhના ઘરે EDના દરોડા, દિલ્હી સ્થિત ઘરમાં થઈ રહી છે તપાસ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-04 08:40:37

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહના ઘરે ઈડીના દરોડા પડ્યા છે. દિલ્હી ખાતે આવેલા આવાસ પર બુધવારે સવારે ઈડીના અધિકારીઓએ છાપેમારી કરી છે. ઈડીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને અધિકારીઓ તેમના ઘરમાં છે અને તપાસ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર શરાબ ઘોટાળા મામલે સાંસદ સંજય સિંહના ઘર પર છાપેમારી કરી હતી. મહત્વનું છે કે આપ સાંસદ સંજય સિંહનું નામ શરાબ ઘોટાલામાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં તેમનું નામ સામેલ છે. આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ તપાસ એજન્સીના રડાર પર છે તેવું લાગી રહ્યું છે.  


સવારે સાત વાગ્યે તપાસ એજન્સીની ટીમ પહોંચી સાંસદના ઘરે 

બુધવાર સવારે આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહના ઘરે ઈડીની ટીમ પહોંચી છે. દિલ્હી સ્થિત સાંસદના ઘરે ઈડીની ટીમ તપાસ કરી રહી છે. સંજયસિંહના ઘરે બીજી વખત ઈડીની ટીમ પહોંચી છે. આ અંગેની જાણકારી સંજય સિંહે પોતે આપી છે. સવારે સાત વાગ્યાની આસપાસ ઈડી દ્વારા સાંસદના ઘરે રેડ કરવામાં આવી. આની પહેલા મે મહિનામાં પણ ઈડી દ્વારા રેડ કરવામાં આવી છે. ઈડી અને સીબીઆઈ તેમને ઘેરી રહ્યું છે. 


શરાબ ઘોટાળામાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં છે સાંસદનું નામ 

ઈડી તેમજ સીબીઆઈ દ્વારા કરવામાં આવતી કાર્યવાહીને લઈ સંજયસિંહ અનેક વખત પ્રક્રિયા આપી રહ્યા છે. અવાર-નવાર કરવામાં આવતી કાર્યવાહીને લઈ તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર કેન્દ્રીય તપાસ એજન્સીના માધ્યમથી વિપક્ષના નેતાઓને ડરાવી રહી છે. એવી માહિતી સામે આવી છે કે દિલ્હી દારૂ નીતિ મામલે આ તપાસ કરવામાં આવી રહી છે. શરાબ ઘોટાળામાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં સંજયસિંહનું નામ પણ સામેલ છે. તેને લઈ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી બાદ અલગ અલગ નેતાઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે.  




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે