AAP સાંસદ SanjaySinhના ઘરે EDના દરોડા, દિલ્હી સ્થિત ઘરમાં થઈ રહી છે તપાસ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-04 08:40:37

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહના ઘરે ઈડીના દરોડા પડ્યા છે. દિલ્હી ખાતે આવેલા આવાસ પર બુધવારે સવારે ઈડીના અધિકારીઓએ છાપેમારી કરી છે. ઈડીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને અધિકારીઓ તેમના ઘરમાં છે અને તપાસ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર શરાબ ઘોટાળા મામલે સાંસદ સંજય સિંહના ઘર પર છાપેમારી કરી હતી. મહત્વનું છે કે આપ સાંસદ સંજય સિંહનું નામ શરાબ ઘોટાલામાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં તેમનું નામ સામેલ છે. આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ તપાસ એજન્સીના રડાર પર છે તેવું લાગી રહ્યું છે.  


સવારે સાત વાગ્યે તપાસ એજન્સીની ટીમ પહોંચી સાંસદના ઘરે 

બુધવાર સવારે આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહના ઘરે ઈડીની ટીમ પહોંચી છે. દિલ્હી સ્થિત સાંસદના ઘરે ઈડીની ટીમ તપાસ કરી રહી છે. સંજયસિંહના ઘરે બીજી વખત ઈડીની ટીમ પહોંચી છે. આ અંગેની જાણકારી સંજય સિંહે પોતે આપી છે. સવારે સાત વાગ્યાની આસપાસ ઈડી દ્વારા સાંસદના ઘરે રેડ કરવામાં આવી. આની પહેલા મે મહિનામાં પણ ઈડી દ્વારા રેડ કરવામાં આવી છે. ઈડી અને સીબીઆઈ તેમને ઘેરી રહ્યું છે. 


શરાબ ઘોટાળામાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં છે સાંસદનું નામ 

ઈડી તેમજ સીબીઆઈ દ્વારા કરવામાં આવતી કાર્યવાહીને લઈ સંજયસિંહ અનેક વખત પ્રક્રિયા આપી રહ્યા છે. અવાર-નવાર કરવામાં આવતી કાર્યવાહીને લઈ તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર કેન્દ્રીય તપાસ એજન્સીના માધ્યમથી વિપક્ષના નેતાઓને ડરાવી રહી છે. એવી માહિતી સામે આવી છે કે દિલ્હી દારૂ નીતિ મામલે આ તપાસ કરવામાં આવી રહી છે. શરાબ ઘોટાળામાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં સંજયસિંહનું નામ પણ સામેલ છે. તેને લઈ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી બાદ અલગ અલગ નેતાઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે.  




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.