AAP સાંસદ SanjaySinhના ઘરે EDના દરોડા, દિલ્હી સ્થિત ઘરમાં થઈ રહી છે તપાસ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-04 08:40:37

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહના ઘરે ઈડીના દરોડા પડ્યા છે. દિલ્હી ખાતે આવેલા આવાસ પર બુધવારે સવારે ઈડીના અધિકારીઓએ છાપેમારી કરી છે. ઈડીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને અધિકારીઓ તેમના ઘરમાં છે અને તપાસ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર શરાબ ઘોટાળા મામલે સાંસદ સંજય સિંહના ઘર પર છાપેમારી કરી હતી. મહત્વનું છે કે આપ સાંસદ સંજય સિંહનું નામ શરાબ ઘોટાલામાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં તેમનું નામ સામેલ છે. આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ તપાસ એજન્સીના રડાર પર છે તેવું લાગી રહ્યું છે.  


સવારે સાત વાગ્યે તપાસ એજન્સીની ટીમ પહોંચી સાંસદના ઘરે 

બુધવાર સવારે આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહના ઘરે ઈડીની ટીમ પહોંચી છે. દિલ્હી સ્થિત સાંસદના ઘરે ઈડીની ટીમ તપાસ કરી રહી છે. સંજયસિંહના ઘરે બીજી વખત ઈડીની ટીમ પહોંચી છે. આ અંગેની જાણકારી સંજય સિંહે પોતે આપી છે. સવારે સાત વાગ્યાની આસપાસ ઈડી દ્વારા સાંસદના ઘરે રેડ કરવામાં આવી. આની પહેલા મે મહિનામાં પણ ઈડી દ્વારા રેડ કરવામાં આવી છે. ઈડી અને સીબીઆઈ તેમને ઘેરી રહ્યું છે. 


શરાબ ઘોટાળામાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં છે સાંસદનું નામ 

ઈડી તેમજ સીબીઆઈ દ્વારા કરવામાં આવતી કાર્યવાહીને લઈ સંજયસિંહ અનેક વખત પ્રક્રિયા આપી રહ્યા છે. અવાર-નવાર કરવામાં આવતી કાર્યવાહીને લઈ તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર કેન્દ્રીય તપાસ એજન્સીના માધ્યમથી વિપક્ષના નેતાઓને ડરાવી રહી છે. એવી માહિતી સામે આવી છે કે દિલ્હી દારૂ નીતિ મામલે આ તપાસ કરવામાં આવી રહી છે. શરાબ ઘોટાળામાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં સંજયસિંહનું નામ પણ સામેલ છે. તેને લઈ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી બાદ અલગ અલગ નેતાઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે.  




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .