લિકર પોલિસી કૌભાંડ મુદ્દે 25 સ્થળોએ EDના દરોડા, કેસમાં અત્યાર સુધીમાં 3 લોકોની ધરપકડ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 13:35:41


દિલ્હી સરકારની નવી આબકારી નીતિની રચના અને અમલીકરણમાં કથિત કૌભાંડના મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શુક્રવારે ફરી એક મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સી EDએ દિલ્હી, પંજાબ, હૈદરાબાદમાં 25 સ્થળોએ દરોડા પાડ્યા છે. EDએ દારૂના મોટા વેપારીઓના નિવાસસ્થાને અને અન્ય સ્થળો પર  દારૂના મોટા વેપારીઓના નિવાસસ્થાને દારૂના મોટા વેપારીઓના નિવાસસ્થાને પાડ્યા છે. 


ઉચ્ચ અધિકારીઓ CBIના રડાર પર


ઈડીનો આબકારી નીતિ સાથે સંબંધિત મની લોન્ડ્રિંગ કેસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની એફઆઈઆર પર આધારિત છે, જેમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને કેટલાક ઉચ્ચ અધિકારીઓને પણ આરોપી દર્શાવવામાં આવ્યા છે. સીબીઆઈએ 19 ઓગસ્ટના રોજ આ કેસના સંબંધમાં સિસોદિયા (50), ભારતીય વહીવટી સેવા (આઈએએસ) અધિકારી અને દિલ્હીના પૂર્વ આબકારી કમિશનર આરવ ગોપી કૃષ્ણના દિલ્હી ખાતે આવેલા નિવાસસ્થાન અને સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 19 અન્ય સ્થળોએ દરોડા પાડ્યા હતા. 


અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ



અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી દિલ્હી સરકારમાં મનીષ સિસોદિયાની પાસે આબકારી અને શિક્ષણ સહિત અનેક વિભાગ છે. કથિત કૌભાંડમાં અત્યાર સુધીમાં 3 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. આમાં આમ આદમી પાર્ટીના આઈટી સેલના ચીફ વિજય નાયર અને દારૂના વેપાર સાથે જોડાયેલા સમીર મહેન્દ્રુ, અભિષેક બોઈનપલ્લીના નામનો સમાવેશ થાય છે.



સમગ્ર મામલો શું છે? 


લેફ્ટનન્ટ ગવર્નરે દિલ્હીના મુખ્ય સચિવના એક રિપોર્ટના આધારે નવી આબકારી નીતિની રચના અને અમલીકરણમાં કથિત કૌભાંડની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની ભલામણ કરી હતી. મુખ્ય સચિવે 8મી જુલાઈના રોજ પોતાનો રિપોર્ટ લેફ્ટનન્ટ ગવર્નરને મોકલ્યો હતો, જેમાં તેમણે ગયા વર્ષે અમલમાં મૂકાયેલી આબકારી નીતિ (excise policy)માં બેદરકારી તેમજ નિયમોની અવગણના અને તેના અમલીકરણમાં ગંભીર ક્ષતિના આરોપ લગાવ્યા હતા. આમાં અન્ય બાબતોની સાથે-સાથે ટેન્ડરોને અંતિમ સ્વરૂપ આપવામાં અનિયમિતતા અને પસંદ કરેલ વિક્રેતાઓને ટેન્ડર બાદ ફાયદો પહોંચાડવાનો પણ સમાવેશ થાય છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે