લિકર પોલિસી કૌભાંડ મુદ્દે 25 સ્થળોએ EDના દરોડા, કેસમાં અત્યાર સુધીમાં 3 લોકોની ધરપકડ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 13:35:41


દિલ્હી સરકારની નવી આબકારી નીતિની રચના અને અમલીકરણમાં કથિત કૌભાંડના મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શુક્રવારે ફરી એક મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સી EDએ દિલ્હી, પંજાબ, હૈદરાબાદમાં 25 સ્થળોએ દરોડા પાડ્યા છે. EDએ દારૂના મોટા વેપારીઓના નિવાસસ્થાને અને અન્ય સ્થળો પર  દારૂના મોટા વેપારીઓના નિવાસસ્થાને દારૂના મોટા વેપારીઓના નિવાસસ્થાને પાડ્યા છે. 


ઉચ્ચ અધિકારીઓ CBIના રડાર પર


ઈડીનો આબકારી નીતિ સાથે સંબંધિત મની લોન્ડ્રિંગ કેસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની એફઆઈઆર પર આધારિત છે, જેમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને કેટલાક ઉચ્ચ અધિકારીઓને પણ આરોપી દર્શાવવામાં આવ્યા છે. સીબીઆઈએ 19 ઓગસ્ટના રોજ આ કેસના સંબંધમાં સિસોદિયા (50), ભારતીય વહીવટી સેવા (આઈએએસ) અધિકારી અને દિલ્હીના પૂર્વ આબકારી કમિશનર આરવ ગોપી કૃષ્ણના દિલ્હી ખાતે આવેલા નિવાસસ્થાન અને સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 19 અન્ય સ્થળોએ દરોડા પાડ્યા હતા. 


અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ



અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી દિલ્હી સરકારમાં મનીષ સિસોદિયાની પાસે આબકારી અને શિક્ષણ સહિત અનેક વિભાગ છે. કથિત કૌભાંડમાં અત્યાર સુધીમાં 3 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. આમાં આમ આદમી પાર્ટીના આઈટી સેલના ચીફ વિજય નાયર અને દારૂના વેપાર સાથે જોડાયેલા સમીર મહેન્દ્રુ, અભિષેક બોઈનપલ્લીના નામનો સમાવેશ થાય છે.



સમગ્ર મામલો શું છે? 


લેફ્ટનન્ટ ગવર્નરે દિલ્હીના મુખ્ય સચિવના એક રિપોર્ટના આધારે નવી આબકારી નીતિની રચના અને અમલીકરણમાં કથિત કૌભાંડની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની ભલામણ કરી હતી. મુખ્ય સચિવે 8મી જુલાઈના રોજ પોતાનો રિપોર્ટ લેફ્ટનન્ટ ગવર્નરને મોકલ્યો હતો, જેમાં તેમણે ગયા વર્ષે અમલમાં મૂકાયેલી આબકારી નીતિ (excise policy)માં બેદરકારી તેમજ નિયમોની અવગણના અને તેના અમલીકરણમાં ગંભીર ક્ષતિના આરોપ લગાવ્યા હતા. આમાં અન્ય બાબતોની સાથે-સાથે ટેન્ડરોને અંતિમ સ્વરૂપ આપવામાં અનિયમિતતા અને પસંદ કરેલ વિક્રેતાઓને ટેન્ડર બાદ ફાયદો પહોંચાડવાનો પણ સમાવેશ થાય છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.