દેશના મોટા શરાબ વેપારીઓ પર ED ત્રાટકી, મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ કાર્યવાહી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-06 12:18:49

દિલ્હીમાં દારૂ કૌભાંડ મુદ્દે EDએ દિલ્હી સહિત અનેક રાજ્યોમાં 30 સ્થળો પર દરોડા પાડ્યા હતા. જોકે મહત્વની વાત એ છે કે, આ વખતે EDના દરોડામાં દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાનો સમાવશે થતો નથી. મંગળવારે EDએ દિલ્હી સહિત અનેક રાજ્યોમાં 30 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ વખતે તપાસ એજન્સીએ દારૂના વેપારીને ટાર્ગેટ બનાવ્યા છે. EDએ આજે મંગળવારે સવારે મેસર્સ ઈન્ડો સ્પિરિટ્સના એમડી સમીર મહેન્દ્રુના ઠેકાણા પર પણ દરોડા પાડ્યા છે. સમીર મહેન્દ્રુ દિલ્હીના જોરબાગ વિસ્તારમાં નિવાસ કરે છે. તેમના પર મેસર્સ રાધા ઇન્ડસ્ટ્રીઝના રાજેન્દ્ર પ્લેસ ખાતે આવેલી યુકો બેંકના ખાતામાં રૂપિયા 1 કરોડ ટ્રાન્સફર કરવાનો આરોપ છે. 


દારૂ કૌભાંડમાં ED એક્સનમાં


દિલ્લીમાં દારૂ કૌંભાડ બહાર આવ્યા બાદ ઈડી એક્સનમાં આવી છે, ઈડીએ દિલ્હી, ચંદીગઢ, ગુરૂગ્રામ, લખનઉ, ઉપરાંત મુંબઈ, બેંગલુરૂ અને હૈદરાબાદમાં પણ દરોડા પાડ્યા હતા. આ કેસમાં અનેક અજ્ઞાત આરોપી, કંપનીઓ સહિત 16 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસને બાદમાં ઈડીએ ટેકઓવર કરી મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ તપાસ કરી રહી છે.  



બીજેપીએ કર્યું હતું સ્ટિંગ


ઈડી પણ ભાજપના સ્ટિંગ બાદ જ હરકતમાં આવી છે. એક દિવસ પહેલા જ એક દારૂના વેપારીના પિતાનું કથિત સ્ટિંગ ઓપરેશન ભાજપે જાહેર કર્યું હતું, આ સ્ટિંગ વીડિયોમાં શરાબ વેપારીના પિતા સ્પષ્ટપણે સ્વિકારી રહ્યા છે કે આપ સરકાર શરાબ નીતિ હેઠળ કમિશન લેતી હતી અને વેપારીઓને મનમરજી મુજબ  કામ કરવાની આઝાદી આપતી હતી.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.