દેશના મોટા શરાબ વેપારીઓ પર ED ત્રાટકી, મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ કાર્યવાહી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-06 12:18:49

દિલ્હીમાં દારૂ કૌભાંડ મુદ્દે EDએ દિલ્હી સહિત અનેક રાજ્યોમાં 30 સ્થળો પર દરોડા પાડ્યા હતા. જોકે મહત્વની વાત એ છે કે, આ વખતે EDના દરોડામાં દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાનો સમાવશે થતો નથી. મંગળવારે EDએ દિલ્હી સહિત અનેક રાજ્યોમાં 30 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ વખતે તપાસ એજન્સીએ દારૂના વેપારીને ટાર્ગેટ બનાવ્યા છે. EDએ આજે મંગળવારે સવારે મેસર્સ ઈન્ડો સ્પિરિટ્સના એમડી સમીર મહેન્દ્રુના ઠેકાણા પર પણ દરોડા પાડ્યા છે. સમીર મહેન્દ્રુ દિલ્હીના જોરબાગ વિસ્તારમાં નિવાસ કરે છે. તેમના પર મેસર્સ રાધા ઇન્ડસ્ટ્રીઝના રાજેન્દ્ર પ્લેસ ખાતે આવેલી યુકો બેંકના ખાતામાં રૂપિયા 1 કરોડ ટ્રાન્સફર કરવાનો આરોપ છે. 


દારૂ કૌભાંડમાં ED એક્સનમાં


દિલ્લીમાં દારૂ કૌંભાડ બહાર આવ્યા બાદ ઈડી એક્સનમાં આવી છે, ઈડીએ દિલ્હી, ચંદીગઢ, ગુરૂગ્રામ, લખનઉ, ઉપરાંત મુંબઈ, બેંગલુરૂ અને હૈદરાબાદમાં પણ દરોડા પાડ્યા હતા. આ કેસમાં અનેક અજ્ઞાત આરોપી, કંપનીઓ સહિત 16 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસને બાદમાં ઈડીએ ટેકઓવર કરી મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ તપાસ કરી રહી છે.  



બીજેપીએ કર્યું હતું સ્ટિંગ


ઈડી પણ ભાજપના સ્ટિંગ બાદ જ હરકતમાં આવી છે. એક દિવસ પહેલા જ એક દારૂના વેપારીના પિતાનું કથિત સ્ટિંગ ઓપરેશન ભાજપે જાહેર કર્યું હતું, આ સ્ટિંગ વીડિયોમાં શરાબ વેપારીના પિતા સ્પષ્ટપણે સ્વિકારી રહ્યા છે કે આપ સરકાર શરાબ નીતિ હેઠળ કમિશન લેતી હતી અને વેપારીઓને મનમરજી મુજબ  કામ કરવાની આઝાદી આપતી હતી.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.