દેશના મોટા શરાબ વેપારીઓ પર ED ત્રાટકી, મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ કાર્યવાહી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-06 12:18:49

દિલ્હીમાં દારૂ કૌભાંડ મુદ્દે EDએ દિલ્હી સહિત અનેક રાજ્યોમાં 30 સ્થળો પર દરોડા પાડ્યા હતા. જોકે મહત્વની વાત એ છે કે, આ વખતે EDના દરોડામાં દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાનો સમાવશે થતો નથી. મંગળવારે EDએ દિલ્હી સહિત અનેક રાજ્યોમાં 30 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ વખતે તપાસ એજન્સીએ દારૂના વેપારીને ટાર્ગેટ બનાવ્યા છે. EDએ આજે મંગળવારે સવારે મેસર્સ ઈન્ડો સ્પિરિટ્સના એમડી સમીર મહેન્દ્રુના ઠેકાણા પર પણ દરોડા પાડ્યા છે. સમીર મહેન્દ્રુ દિલ્હીના જોરબાગ વિસ્તારમાં નિવાસ કરે છે. તેમના પર મેસર્સ રાધા ઇન્ડસ્ટ્રીઝના રાજેન્દ્ર પ્લેસ ખાતે આવેલી યુકો બેંકના ખાતામાં રૂપિયા 1 કરોડ ટ્રાન્સફર કરવાનો આરોપ છે. 


દારૂ કૌભાંડમાં ED એક્સનમાં


દિલ્લીમાં દારૂ કૌંભાડ બહાર આવ્યા બાદ ઈડી એક્સનમાં આવી છે, ઈડીએ દિલ્હી, ચંદીગઢ, ગુરૂગ્રામ, લખનઉ, ઉપરાંત મુંબઈ, બેંગલુરૂ અને હૈદરાબાદમાં પણ દરોડા પાડ્યા હતા. આ કેસમાં અનેક અજ્ઞાત આરોપી, કંપનીઓ સહિત 16 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસને બાદમાં ઈડીએ ટેકઓવર કરી મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ તપાસ કરી રહી છે.  



બીજેપીએ કર્યું હતું સ્ટિંગ


ઈડી પણ ભાજપના સ્ટિંગ બાદ જ હરકતમાં આવી છે. એક દિવસ પહેલા જ એક દારૂના વેપારીના પિતાનું કથિત સ્ટિંગ ઓપરેશન ભાજપે જાહેર કર્યું હતું, આ સ્ટિંગ વીડિયોમાં શરાબ વેપારીના પિતા સ્પષ્ટપણે સ્વિકારી રહ્યા છે કે આપ સરકાર શરાબ નીતિ હેઠળ કમિશન લેતી હતી અને વેપારીઓને મનમરજી મુજબ  કામ કરવાની આઝાદી આપતી હતી.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"