દેશના મોટા શરાબ વેપારીઓ પર ED ત્રાટકી, મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ કાર્યવાહી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-06 12:18:49

દિલ્હીમાં દારૂ કૌભાંડ મુદ્દે EDએ દિલ્હી સહિત અનેક રાજ્યોમાં 30 સ્થળો પર દરોડા પાડ્યા હતા. જોકે મહત્વની વાત એ છે કે, આ વખતે EDના દરોડામાં દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાનો સમાવશે થતો નથી. મંગળવારે EDએ દિલ્હી સહિત અનેક રાજ્યોમાં 30 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ વખતે તપાસ એજન્સીએ દારૂના વેપારીને ટાર્ગેટ બનાવ્યા છે. EDએ આજે મંગળવારે સવારે મેસર્સ ઈન્ડો સ્પિરિટ્સના એમડી સમીર મહેન્દ્રુના ઠેકાણા પર પણ દરોડા પાડ્યા છે. સમીર મહેન્દ્રુ દિલ્હીના જોરબાગ વિસ્તારમાં નિવાસ કરે છે. તેમના પર મેસર્સ રાધા ઇન્ડસ્ટ્રીઝના રાજેન્દ્ર પ્લેસ ખાતે આવેલી યુકો બેંકના ખાતામાં રૂપિયા 1 કરોડ ટ્રાન્સફર કરવાનો આરોપ છે. 


દારૂ કૌભાંડમાં ED એક્સનમાં


દિલ્લીમાં દારૂ કૌંભાડ બહાર આવ્યા બાદ ઈડી એક્સનમાં આવી છે, ઈડીએ દિલ્હી, ચંદીગઢ, ગુરૂગ્રામ, લખનઉ, ઉપરાંત મુંબઈ, બેંગલુરૂ અને હૈદરાબાદમાં પણ દરોડા પાડ્યા હતા. આ કેસમાં અનેક અજ્ઞાત આરોપી, કંપનીઓ સહિત 16 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસને બાદમાં ઈડીએ ટેકઓવર કરી મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ તપાસ કરી રહી છે.  



બીજેપીએ કર્યું હતું સ્ટિંગ


ઈડી પણ ભાજપના સ્ટિંગ બાદ જ હરકતમાં આવી છે. એક દિવસ પહેલા જ એક દારૂના વેપારીના પિતાનું કથિત સ્ટિંગ ઓપરેશન ભાજપે જાહેર કર્યું હતું, આ સ્ટિંગ વીડિયોમાં શરાબ વેપારીના પિતા સ્પષ્ટપણે સ્વિકારી રહ્યા છે કે આપ સરકાર શરાબ નીતિ હેઠળ કમિશન લેતી હતી અને વેપારીઓને મનમરજી મુજબ  કામ કરવાની આઝાદી આપતી હતી.



આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે

રાજુલા તાલુકાના ધારાનો નેસ ગામમાં રહેતો ધાખડા પરિવાર. રવિરાજભાઈએ આર્મીમાં ફરજ બજાવવાનું સપનું જોયું, વર્ષોથી કાશ્મીરમાં ફરજ બજાવતા હતા. કેન્સર થતા તેમની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. નશ્વર દેહ જ્યારે વતન આવ્યો ત્યારે અંતિમ વિદાય આપવા મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા.