છત્તીસગઢમાં IAS અધિકારીના ઘરે ED ત્રાટકી તો 4 કિલો સોનું મળ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 18:26:30

છત્તીસગઢમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કાર્યવાહી કરીને IAS અધિકારી સમીર બિશ્નોઈ સહિત કોલસાના ત્રણ વેપારીઓની ધરપકડ કરી છે. તમામ આરોપીઓને રાયપુર સ્પેશિયલ કોર્ટમાં હાજર કર્યા હતા. IAS સમીર બિશ્નોઈના ઘરેથી 4 કિલો સોનું, 20 કેરેટના હિરા અને 47 લાખની રોકડ રકમ મળી હતી. આ સોનાની કિંમત માર્કેટમાં 2 કરોડ રૂપિયાથી વધુ કહેવામાં આવી રહી છે. IAS અધિકારીને રિમાન્ડ બાદ દિલ્લી લઈ જવામાં આવશે. 


છત્તીસગઢમાં ત્રણ દિવસથી થઈ રહી છે ઈડીની કાર્યવાહી 

છત્તીસગઢના અનેક શહેરોમાં ગત મંગળવારથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કાર્યવાહી ચાલુ છે. આ દરમિયાન IAS અધિકારીના ઘરેથી મોટી માત્રામાં વસ્તુઓ જપ્ત થઈ હતી. આ બધી વસ્તુઓ ક્યાંથી આવી તે મામલે હાલ તપાસ ચાલી રહી છે. રિમાન્ડમાં અધિકારી પાસે આટલા પ્રમાણ સોનું અને હિરા ક્યાંથી આવ્યા તે મામલે પૂછપરછ કરવામાં આવશે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના લગભગ 200થી વધુ જવાનો છત્તીસગઢ પહોંચી ગયા છે. છત્તીસગઢના રાયપુર, રાયગઢ, બિલાસપુર, કોરબામાં પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કોલસા અને રેતી માફિયાઓને ધ્યાનમાં રાખીને  કાર્યવાહી કરી રહી છે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .