છત્તીસગઢમાં IAS અધિકારીના ઘરે ED ત્રાટકી તો 4 કિલો સોનું મળ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 18:26:30

છત્તીસગઢમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કાર્યવાહી કરીને IAS અધિકારી સમીર બિશ્નોઈ સહિત કોલસાના ત્રણ વેપારીઓની ધરપકડ કરી છે. તમામ આરોપીઓને રાયપુર સ્પેશિયલ કોર્ટમાં હાજર કર્યા હતા. IAS સમીર બિશ્નોઈના ઘરેથી 4 કિલો સોનું, 20 કેરેટના હિરા અને 47 લાખની રોકડ રકમ મળી હતી. આ સોનાની કિંમત માર્કેટમાં 2 કરોડ રૂપિયાથી વધુ કહેવામાં આવી રહી છે. IAS અધિકારીને રિમાન્ડ બાદ દિલ્લી લઈ જવામાં આવશે. 


છત્તીસગઢમાં ત્રણ દિવસથી થઈ રહી છે ઈડીની કાર્યવાહી 

છત્તીસગઢના અનેક શહેરોમાં ગત મંગળવારથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કાર્યવાહી ચાલુ છે. આ દરમિયાન IAS અધિકારીના ઘરેથી મોટી માત્રામાં વસ્તુઓ જપ્ત થઈ હતી. આ બધી વસ્તુઓ ક્યાંથી આવી તે મામલે હાલ તપાસ ચાલી રહી છે. રિમાન્ડમાં અધિકારી પાસે આટલા પ્રમાણ સોનું અને હિરા ક્યાંથી આવ્યા તે મામલે પૂછપરછ કરવામાં આવશે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના લગભગ 200થી વધુ જવાનો છત્તીસગઢ પહોંચી ગયા છે. છત્તીસગઢના રાયપુર, રાયગઢ, બિલાસપુર, કોરબામાં પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કોલસા અને રેતી માફિયાઓને ધ્યાનમાં રાખીને  કાર્યવાહી કરી રહી છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે