Rajasthanમાં ઈડીના દરોડા, રાજસ્થાન કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષને ત્યાં હાથ ધરાઈ તપાસ, Ashok Gehlotએ આપી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2023-10-26 13:56:03

રાજસ્થાનમાં થોડા સમય બાદ વિધાનસભા ચૂંટણી આવી રહી છે. પેપર લીક મામલે તપાસનો દોર યથાવત જોવા મળી રહ્યો છે.  ગુરૂવારે પૂર્વ શિક્ષણ મંત્રી અને કોંગ્રેસના પ્રમુખ અધ્યક્ષ ગોવિંદ સિંહને ત્યાં ઈડીએ રેડ કરી છે. કોંગ્રેસ નેતા ગોવિંદસિંહ ડોટાસરા સાથે જોડાયેલા કેટલાક સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ રેડ જયપુર, દૌસા અને સીકરમાં હાથ ધરવામાં આવી હતી. એવી પણ માહિતી સામે આવી છે કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્રને પણ ઈડીએ સમન્સ પાઠવ્યું છે. અશોક ગેહલોતે આ અંગેની ટ્વિટ કરી છે. પેપર લીક મામલે આ કાર્યવાહી કરવામાં આવી હોય તેવી માહિતી સામે આવી છે. 

અશોક ગેહલોતના પુત્રને ઈડીએ પાઠવ્યા સમન્સ!

ઈડી દ્વારા છેલ્લા ઘણા સમયથી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અનેક જગ્યાઓ પર નેતાઓના ઘરે ઈડી દ્વારા રેડ પાડવામાં આવે છે. આજકાલ ઈડી દ્વારા રેડ પાડવામાં આવી છે તેવા સમાચાર સામે આવતા રહે છે. ત્યારે રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષને ત્યાં પણ ઈડીએ રેડ કરી છે. કોંગ્રેસ ધારાસભ્ય ઓમ પ્રકાશ હુડલા સાથે જોડાયેલા સ્થળો પર પણ દરોડાની જાણકારી મળી છે. જાણકારી અનુસાર પૂર્વ સીકર અને જયપુરમાં સ્થિત દોતાસરાના પરિસર અને મહુઆ સીટ હુડલા અને દૌસાના કેટલાક અન્ય પક્ષના ઉમેદવારના પરિસરની સર્ચ કરવામાં આવી રહી છે. અશોક ગેહલોતના પુત્રને પણ સમન્સ આપવામાં આવ્યું છે તેવી ટ્વિટ અશોક ગેહલોતે કરી છે. મહત્વનું છે કે ઈડીની ટીમ સીઆરપીએફ જવાનો તેમજ પોલીસ કાફલાને લઈને રેડ કરવા પહોંચી હતી.  

રેડ બાદ અશોક ગેહલોતે આપી પ્રતિક્રિયા

એવા સમયે ઈડી દ્વારા રેડ કરવામાં આવી છે જ્યારે રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. વિધાનસભા ચૂંટણી પહેલા આવી રેડ કરવામાં આવતા કોંગ્રેસના નેતાની મુશ્કેલી વધી છે. મહત્વનું છે કે અશોક ગેહલોત દ્વારા પણ અનેક વખત કહેવામાં આવ્યું છે કે ઈડી ત્યાં આવે છે જ્યાં ચૂંટણી હોય છે. આ અંગેની પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે ગુંડાગર્દી છે આ.. ઉપરના દબાણ વગર ન તો ED કે CBI આવી શકે..,"  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.