Rajasthanમાં ઈડીના દરોડા, રાજસ્થાન કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષને ત્યાં હાથ ધરાઈ તપાસ, Ashok Gehlotએ આપી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2023-10-26 13:56:03

રાજસ્થાનમાં થોડા સમય બાદ વિધાનસભા ચૂંટણી આવી રહી છે. પેપર લીક મામલે તપાસનો દોર યથાવત જોવા મળી રહ્યો છે.  ગુરૂવારે પૂર્વ શિક્ષણ મંત્રી અને કોંગ્રેસના પ્રમુખ અધ્યક્ષ ગોવિંદ સિંહને ત્યાં ઈડીએ રેડ કરી છે. કોંગ્રેસ નેતા ગોવિંદસિંહ ડોટાસરા સાથે જોડાયેલા કેટલાક સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ રેડ જયપુર, દૌસા અને સીકરમાં હાથ ધરવામાં આવી હતી. એવી પણ માહિતી સામે આવી છે કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્રને પણ ઈડીએ સમન્સ પાઠવ્યું છે. અશોક ગેહલોતે આ અંગેની ટ્વિટ કરી છે. પેપર લીક મામલે આ કાર્યવાહી કરવામાં આવી હોય તેવી માહિતી સામે આવી છે. 

અશોક ગેહલોતના પુત્રને ઈડીએ પાઠવ્યા સમન્સ!

ઈડી દ્વારા છેલ્લા ઘણા સમયથી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અનેક જગ્યાઓ પર નેતાઓના ઘરે ઈડી દ્વારા રેડ પાડવામાં આવે છે. આજકાલ ઈડી દ્વારા રેડ પાડવામાં આવી છે તેવા સમાચાર સામે આવતા રહે છે. ત્યારે રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષને ત્યાં પણ ઈડીએ રેડ કરી છે. કોંગ્રેસ ધારાસભ્ય ઓમ પ્રકાશ હુડલા સાથે જોડાયેલા સ્થળો પર પણ દરોડાની જાણકારી મળી છે. જાણકારી અનુસાર પૂર્વ સીકર અને જયપુરમાં સ્થિત દોતાસરાના પરિસર અને મહુઆ સીટ હુડલા અને દૌસાના કેટલાક અન્ય પક્ષના ઉમેદવારના પરિસરની સર્ચ કરવામાં આવી રહી છે. અશોક ગેહલોતના પુત્રને પણ સમન્સ આપવામાં આવ્યું છે તેવી ટ્વિટ અશોક ગેહલોતે કરી છે. મહત્વનું છે કે ઈડીની ટીમ સીઆરપીએફ જવાનો તેમજ પોલીસ કાફલાને લઈને રેડ કરવા પહોંચી હતી.  

રેડ બાદ અશોક ગેહલોતે આપી પ્રતિક્રિયા

એવા સમયે ઈડી દ્વારા રેડ કરવામાં આવી છે જ્યારે રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. વિધાનસભા ચૂંટણી પહેલા આવી રેડ કરવામાં આવતા કોંગ્રેસના નેતાની મુશ્કેલી વધી છે. મહત્વનું છે કે અશોક ગેહલોત દ્વારા પણ અનેક વખત કહેવામાં આવ્યું છે કે ઈડી ત્યાં આવે છે જ્યાં ચૂંટણી હોય છે. આ અંગેની પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે ગુંડાગર્દી છે આ.. ઉપરના દબાણ વગર ન તો ED કે CBI આવી શકે..,"  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે