Rajasthanમાં ઈડીના દરોડા, રાજસ્થાન કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષને ત્યાં હાથ ધરાઈ તપાસ, Ashok Gehlotએ આપી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2023-10-26 13:56:03

રાજસ્થાનમાં થોડા સમય બાદ વિધાનસભા ચૂંટણી આવી રહી છે. પેપર લીક મામલે તપાસનો દોર યથાવત જોવા મળી રહ્યો છે.  ગુરૂવારે પૂર્વ શિક્ષણ મંત્રી અને કોંગ્રેસના પ્રમુખ અધ્યક્ષ ગોવિંદ સિંહને ત્યાં ઈડીએ રેડ કરી છે. કોંગ્રેસ નેતા ગોવિંદસિંહ ડોટાસરા સાથે જોડાયેલા કેટલાક સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ રેડ જયપુર, દૌસા અને સીકરમાં હાથ ધરવામાં આવી હતી. એવી પણ માહિતી સામે આવી છે કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્રને પણ ઈડીએ સમન્સ પાઠવ્યું છે. અશોક ગેહલોતે આ અંગેની ટ્વિટ કરી છે. પેપર લીક મામલે આ કાર્યવાહી કરવામાં આવી હોય તેવી માહિતી સામે આવી છે. 

અશોક ગેહલોતના પુત્રને ઈડીએ પાઠવ્યા સમન્સ!

ઈડી દ્વારા છેલ્લા ઘણા સમયથી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અનેક જગ્યાઓ પર નેતાઓના ઘરે ઈડી દ્વારા રેડ પાડવામાં આવે છે. આજકાલ ઈડી દ્વારા રેડ પાડવામાં આવી છે તેવા સમાચાર સામે આવતા રહે છે. ત્યારે રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષને ત્યાં પણ ઈડીએ રેડ કરી છે. કોંગ્રેસ ધારાસભ્ય ઓમ પ્રકાશ હુડલા સાથે જોડાયેલા સ્થળો પર પણ દરોડાની જાણકારી મળી છે. જાણકારી અનુસાર પૂર્વ સીકર અને જયપુરમાં સ્થિત દોતાસરાના પરિસર અને મહુઆ સીટ હુડલા અને દૌસાના કેટલાક અન્ય પક્ષના ઉમેદવારના પરિસરની સર્ચ કરવામાં આવી રહી છે. અશોક ગેહલોતના પુત્રને પણ સમન્સ આપવામાં આવ્યું છે તેવી ટ્વિટ અશોક ગેહલોતે કરી છે. મહત્વનું છે કે ઈડીની ટીમ સીઆરપીએફ જવાનો તેમજ પોલીસ કાફલાને લઈને રેડ કરવા પહોંચી હતી.  

રેડ બાદ અશોક ગેહલોતે આપી પ્રતિક્રિયા

એવા સમયે ઈડી દ્વારા રેડ કરવામાં આવી છે જ્યારે રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. વિધાનસભા ચૂંટણી પહેલા આવી રેડ કરવામાં આવતા કોંગ્રેસના નેતાની મુશ્કેલી વધી છે. મહત્વનું છે કે અશોક ગેહલોત દ્વારા પણ અનેક વખત કહેવામાં આવ્યું છે કે ઈડી ત્યાં આવે છે જ્યાં ચૂંટણી હોય છે. આ અંગેની પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે ગુંડાગર્દી છે આ.. ઉપરના દબાણ વગર ન તો ED કે CBI આવી શકે..,"  



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .