કોલકાત્તામાં વેપારીના ઘરે ED ના દરોડા, રોકડ ગણવા માટે મશીનો મંગાવાયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-11 08:57:46

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોબાઈલ એપ્લિકેશન ફ્રોડ કેસની તપાસના સંદર્ભમાં કોલકાતામાં એક વેપારીના વિવિધ સ્થાનોમાં દરોડા પાડ્યા હતાં. ઈડીએ  કોલકાત્તાના છ સ્થળો ગાર્ડન રીચ, પાર્ક સ્ટ્રીટ, મેકલિયોડ સ્ટ્રીટ અને મોમીનપુર ખાતે દરોડા પાડ્યા હતાં. આ દરમિયાન મોટી સંખ્યામાં કેન્દ્રીય દળો તૈનાત કરવામાં આવ્યા હતાં. એવપં માનવામાં આવી રહ્યું છે કે પરિસરમાંથી ઘણી રોકડ મળી આવી છે.અત્યાર સુધીમાં સાત કરોડ રૂપિયાની ગણતરી કરવામાં આવી છે. હજુ પણ રોકડની ગણતરી કરવામાં આવી રહી છે. રોકડ ગણવા માટે નોટ ગણવાના મશીનો મંગાવવામાં આવ્યા હતા.


શું હતો મામલો?


વાસ્તવમાં, ફેડરલ બેંકના અધિકારીઓએ આમિર ખાન નામના વ્યક્તિ સહિત અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી, જેમાં બેંક અધિકારીઓએ મોબાઈલ ગેમિંગ એપ દ્વારા લોકોને છેતરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ બાદ આ મામલે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.


રોકડ ગણતરી માટે મશીનો લાવવા પડ્યા 


બેંક અધિકારીઓ સાથે ED અધિકારીઓની એક ટીમે શનિવારે કોલકાતાના ગાર્ડન રીચ વિસ્તારમાં ઉદ્યોગપતિ નાસિર ખાનના પરિસરમાં દરોડા પાડ્યા હતા અને 7 કરોડ રૂપિયા રોકડ અને સંપત્તિના દસ્તાવેજો જપ્ત કર્યા હતા. EDના સૂત્રો કહે છે કે દરોડા ચાલુ છે અને રોકડ રકમની ચોક્કસ રકમની ખાતરી કરવા માટે રોકડ ગણતરી મશીનો લાવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ EDના દરોડામાં  પૈસાનો ઢગલો જોવા મળ્યો છે. આ રૂપિયા બેડ નીચે પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરીને રાખવામાં આવ્યા હતા. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.