કોલકાત્તામાં વેપારીના ઘરે ED ના દરોડા, રોકડ ગણવા માટે મશીનો મંગાવાયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-11 08:57:46

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોબાઈલ એપ્લિકેશન ફ્રોડ કેસની તપાસના સંદર્ભમાં કોલકાતામાં એક વેપારીના વિવિધ સ્થાનોમાં દરોડા પાડ્યા હતાં. ઈડીએ  કોલકાત્તાના છ સ્થળો ગાર્ડન રીચ, પાર્ક સ્ટ્રીટ, મેકલિયોડ સ્ટ્રીટ અને મોમીનપુર ખાતે દરોડા પાડ્યા હતાં. આ દરમિયાન મોટી સંખ્યામાં કેન્દ્રીય દળો તૈનાત કરવામાં આવ્યા હતાં. એવપં માનવામાં આવી રહ્યું છે કે પરિસરમાંથી ઘણી રોકડ મળી આવી છે.અત્યાર સુધીમાં સાત કરોડ રૂપિયાની ગણતરી કરવામાં આવી છે. હજુ પણ રોકડની ગણતરી કરવામાં આવી રહી છે. રોકડ ગણવા માટે નોટ ગણવાના મશીનો મંગાવવામાં આવ્યા હતા.


શું હતો મામલો?


વાસ્તવમાં, ફેડરલ બેંકના અધિકારીઓએ આમિર ખાન નામના વ્યક્તિ સહિત અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી, જેમાં બેંક અધિકારીઓએ મોબાઈલ ગેમિંગ એપ દ્વારા લોકોને છેતરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ બાદ આ મામલે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.


રોકડ ગણતરી માટે મશીનો લાવવા પડ્યા 


બેંક અધિકારીઓ સાથે ED અધિકારીઓની એક ટીમે શનિવારે કોલકાતાના ગાર્ડન રીચ વિસ્તારમાં ઉદ્યોગપતિ નાસિર ખાનના પરિસરમાં દરોડા પાડ્યા હતા અને 7 કરોડ રૂપિયા રોકડ અને સંપત્તિના દસ્તાવેજો જપ્ત કર્યા હતા. EDના સૂત્રો કહે છે કે દરોડા ચાલુ છે અને રોકડ રકમની ચોક્કસ રકમની ખાતરી કરવા માટે રોકડ ગણતરી મશીનો લાવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ EDના દરોડામાં  પૈસાનો ઢગલો જોવા મળ્યો છે. આ રૂપિયા બેડ નીચે પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરીને રાખવામાં આવ્યા હતા. 



આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .