AAPના ધારાસભ્યને ત્યાં EDના દરોડા, જાણો કોના ત્યાં EDએ કરી રેડ અને શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-10-10 10:21:24

થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહને ત્યાં ઈડીએ દરોડા પાડ્યા હતા. દિલ્હી ખાતે આવેલા તેમના ઘરમાં અનેક કલાકો સુધી તપાસ હાથ ધરવામાં આવી હતી અને લાંબી પૂછપરછ બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. સંજસિંહની ધરપકડનો વિરોધ ઠેર-ઠેર આપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારે આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્યને ત્યાં રેડ કરવામાં આવી છે. આપના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના ઘરે ઈડીએ દરોડા પાડ્યા છે. વહેલી સવારે ઈડીની ટીમ તેમના ઘરે પહોંતી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 

આપના ધારાસભ્યને ત્યાં ઈડીના દરોડા 

ઈડી દ્વારા વધુ એક આમ આદમી પાર્ટીના નેતાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. ગઈ વખતે સાંસદને ત્યાં દરોડા પાડ્યા હતા ત્યારે હવે ધારાસભ્યને ત્યાં ઈડીએ દરોડા પાડ્યા છે. અમાનતુલ્લા ખાનને ત્યાં ઈડી ત્રાટકી છે. એવી માહિતી સામે આવી છે કે આ કાર્યવાહી દિલ્હી વક્ફ બોર્ડના કામકાજમાં નાણાકીય ગેરરીતિ અને અન્ય ગેરરીતિઓના આરોપ સાથે કરવામાં આવી છે. આ મામલામાં એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ તેમની સામે એફઆઈઆર નોંધાવી હતી. હવે EDએ આ FIRના આધારે AAP ધારાસભ્ય વિરુદ્ધ મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી છે. ગયા વર્ષે પણ આ મામલાને ધ્યાનમાં રાખી છાપેમારી કરવામાં આવી હતી. 5 જગ્યાઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. 

શું છે સમગ્ર મામલો? 

દિલ્હી વક્ફ બોર્ડના કામકાડ દરમિયાન અમાનતુલ્લા ખાને ગેરરીતિ આચરી છે તેવા આરોપો સાથે તેમના ત્યાં દરોડા પાડવામાં આવ્યા તે સમગ્ર કેસની વાત કરીએ તો એવો આરોપ છે કે તેમણે અધ્યક્ષ પક્ષનો દુરૂપયોગ કર્યો છે.અમાનતુલ્લા ખાન પર દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ રહીને પોતાના પદનો દુરુપયોગ કરવાનો આરોપ છે. અમાનતુલ્લા ખાન પર વક્ફ બોર્ડના બેંક ખાતામાં નાણાકીય અનિયમિતતા અને વાહનોની ખરીદીમાં ભ્રષ્ટાચારનો આરોપ છે. તેમના પર નિયમોનું ઉલ્લંઘન કરીને 32 લોકોની ગેરકાયદેસર નિમણૂક કરવાનો પણ આરોપ છે. આ સંદર્ભે, એસીબીએ જાન્યુઆરી 2020માં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને આઈપીસીની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.. ત્યારે એક વર્ષ બાદ ફરીથી ધારાસભ્યને ત્યાં રેડ પાડવામાં આવી છે. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.