AAPના ધારાસભ્યને ત્યાં EDના દરોડા, જાણો કોના ત્યાં EDએ કરી રેડ અને શું છે સમગ્ર મામલો?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-10 10:21:24

થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહને ત્યાં ઈડીએ દરોડા પાડ્યા હતા. દિલ્હી ખાતે આવેલા તેમના ઘરમાં અનેક કલાકો સુધી તપાસ હાથ ધરવામાં આવી હતી અને લાંબી પૂછપરછ બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. સંજસિંહની ધરપકડનો વિરોધ ઠેર-ઠેર આપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારે આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્યને ત્યાં રેડ કરવામાં આવી છે. આપના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના ઘરે ઈડીએ દરોડા પાડ્યા છે. વહેલી સવારે ઈડીની ટીમ તેમના ઘરે પહોંતી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 

આપના ધારાસભ્યને ત્યાં ઈડીના દરોડા 

ઈડી દ્વારા વધુ એક આમ આદમી પાર્ટીના નેતાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. ગઈ વખતે સાંસદને ત્યાં દરોડા પાડ્યા હતા ત્યારે હવે ધારાસભ્યને ત્યાં ઈડીએ દરોડા પાડ્યા છે. અમાનતુલ્લા ખાનને ત્યાં ઈડી ત્રાટકી છે. એવી માહિતી સામે આવી છે કે આ કાર્યવાહી દિલ્હી વક્ફ બોર્ડના કામકાજમાં નાણાકીય ગેરરીતિ અને અન્ય ગેરરીતિઓના આરોપ સાથે કરવામાં આવી છે. આ મામલામાં એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ તેમની સામે એફઆઈઆર નોંધાવી હતી. હવે EDએ આ FIRના આધારે AAP ધારાસભ્ય વિરુદ્ધ મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી છે. ગયા વર્ષે પણ આ મામલાને ધ્યાનમાં રાખી છાપેમારી કરવામાં આવી હતી. 5 જગ્યાઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. 

શું છે સમગ્ર મામલો? 

દિલ્હી વક્ફ બોર્ડના કામકાડ દરમિયાન અમાનતુલ્લા ખાને ગેરરીતિ આચરી છે તેવા આરોપો સાથે તેમના ત્યાં દરોડા પાડવામાં આવ્યા તે સમગ્ર કેસની વાત કરીએ તો એવો આરોપ છે કે તેમણે અધ્યક્ષ પક્ષનો દુરૂપયોગ કર્યો છે.અમાનતુલ્લા ખાન પર દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ રહીને પોતાના પદનો દુરુપયોગ કરવાનો આરોપ છે. અમાનતુલ્લા ખાન પર વક્ફ બોર્ડના બેંક ખાતામાં નાણાકીય અનિયમિતતા અને વાહનોની ખરીદીમાં ભ્રષ્ટાચારનો આરોપ છે. તેમના પર નિયમોનું ઉલ્લંઘન કરીને 32 લોકોની ગેરકાયદેસર નિમણૂક કરવાનો પણ આરોપ છે. આ સંદર્ભે, એસીબીએ જાન્યુઆરી 2020માં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને આઈપીસીની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.. ત્યારે એક વર્ષ બાદ ફરીથી ધારાસભ્યને ત્યાં રેડ પાડવામાં આવી છે. 



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.