AAPના ધારાસભ્યને ત્યાં EDના દરોડા, જાણો કોના ત્યાં EDએ કરી રેડ અને શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-10-10 10:21:24

થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહને ત્યાં ઈડીએ દરોડા પાડ્યા હતા. દિલ્હી ખાતે આવેલા તેમના ઘરમાં અનેક કલાકો સુધી તપાસ હાથ ધરવામાં આવી હતી અને લાંબી પૂછપરછ બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. સંજસિંહની ધરપકડનો વિરોધ ઠેર-ઠેર આપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારે આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્યને ત્યાં રેડ કરવામાં આવી છે. આપના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના ઘરે ઈડીએ દરોડા પાડ્યા છે. વહેલી સવારે ઈડીની ટીમ તેમના ઘરે પહોંતી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 

આપના ધારાસભ્યને ત્યાં ઈડીના દરોડા 

ઈડી દ્વારા વધુ એક આમ આદમી પાર્ટીના નેતાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. ગઈ વખતે સાંસદને ત્યાં દરોડા પાડ્યા હતા ત્યારે હવે ધારાસભ્યને ત્યાં ઈડીએ દરોડા પાડ્યા છે. અમાનતુલ્લા ખાનને ત્યાં ઈડી ત્રાટકી છે. એવી માહિતી સામે આવી છે કે આ કાર્યવાહી દિલ્હી વક્ફ બોર્ડના કામકાજમાં નાણાકીય ગેરરીતિ અને અન્ય ગેરરીતિઓના આરોપ સાથે કરવામાં આવી છે. આ મામલામાં એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ તેમની સામે એફઆઈઆર નોંધાવી હતી. હવે EDએ આ FIRના આધારે AAP ધારાસભ્ય વિરુદ્ધ મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી છે. ગયા વર્ષે પણ આ મામલાને ધ્યાનમાં રાખી છાપેમારી કરવામાં આવી હતી. 5 જગ્યાઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. 

શું છે સમગ્ર મામલો? 

દિલ્હી વક્ફ બોર્ડના કામકાડ દરમિયાન અમાનતુલ્લા ખાને ગેરરીતિ આચરી છે તેવા આરોપો સાથે તેમના ત્યાં દરોડા પાડવામાં આવ્યા તે સમગ્ર કેસની વાત કરીએ તો એવો આરોપ છે કે તેમણે અધ્યક્ષ પક્ષનો દુરૂપયોગ કર્યો છે.અમાનતુલ્લા ખાન પર દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ રહીને પોતાના પદનો દુરુપયોગ કરવાનો આરોપ છે. અમાનતુલ્લા ખાન પર વક્ફ બોર્ડના બેંક ખાતામાં નાણાકીય અનિયમિતતા અને વાહનોની ખરીદીમાં ભ્રષ્ટાચારનો આરોપ છે. તેમના પર નિયમોનું ઉલ્લંઘન કરીને 32 લોકોની ગેરકાયદેસર નિમણૂક કરવાનો પણ આરોપ છે. આ સંદર્ભે, એસીબીએ જાન્યુઆરી 2020માં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને આઈપીસીની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.. ત્યારે એક વર્ષ બાદ ફરીથી ધારાસભ્યને ત્યાં રેડ પાડવામાં આવી છે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .