ED: દારૂ કૌભાંડ કેસમાં કેજરીવાલને સાતમું સમન, પૂછપરછ માટે 26 ફેબ્રુઆરીએ બોલાવ્યા


  • Published By :
  • Published Date : 2024-02-22 16:14:17

EDએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને દારૂ કૌંભાંડમાં પૂછપરછ માટે સાતમું સમન પાઠવ્યું છે. તપાસ એજન્સીએ દિલ્હીના CMને 26 ફેબ્રુઆરી (સોમવાર)ના રોજ હાજર થવા કહ્યું છે. કેજરીવાલને આ પહેલા ઈડી છ વખત સમન મોકલી ચુકી છે. પરંતું દિલ્હીના સીએમ હજુ સુધી ઈડી સમક્ષ હાજર થયા નથી. હવે સાતમી વખત ઈડીનું સમન જાહેર થવાથી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી શકે છે.  


ક્યારે અપાયું સમન?


દિલ્હી લિકર કેસ અને કથિત મની લોન્ડરિંગના આરોપ હેઠળ કેજરીવાલને પૂછપરછ માટે ઈડીએ સમન જાહેર કર્યા છે. આ પહેલા 2 નવેમ્બર, 21 નવેમ્બર 2023, જ્યારે આ વર્ષે 3 જાન્યુઆરી, 18 જાન્યુઆરી અને 2 ફેબ્રુઆરીના રોજ ઈડીએ પૂછપરછ માટે સમન જારી ચુકી છે. 


કેજરીવાલે શું કહ્યું?


CM અરવિંદ કેજરીવાલને છઠ્ઠું સમન આપવામાં આવ્યા બાદ તેમણે કહ્યું હતું કે અમે કાયદા મુજબ જવાબ આપી રહ્યા છીએ અને ઈડીએ નવા સમન આપવા પહેલા કોર્ટના ચુકાદાની રાહ જોઈ જોઈએ. દિલ્હીની કોર્ટે કેજરીવાલને ઈડી સમક્ષ હાજર થવામાં રાહત આપી છે.  જ્યારે ઈડીનો આરોપ છે કે તે જાણી જોઈને સમનનું પાલન નથી કરતા અને સતત બાલીસ કારણો આપી રહ્યા છે. ઈડીએ કહ્યું કે ' જો ઉચ્ચ પદો પર બેઠેલા લોકો પણ આ પ્રકારે કાયદાનું ઉલ્લંઘન કરશે તો તેનાથી સામાન્ય માણસને ખોટા સંકેત મળશે.  



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .