EDએ Delhi CM Arvind Kejriwalને પાઠવ્યું સમન્સ, આપને લાગે છે કે પૂછપરછ માટે જ્યારે Kejriwal જશે ત્યારે ED તેમની ધરપકડ કરી લેશે...!


  • Published By :
  • Published Date : 2023-10-31 11:54:51

દિલ્હીના મુખ્યમંત્રીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. દિલ્હી એક્સાઈઝ પોલીસી કેસ મામલે ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અરવિંદ કેજરીવાલને સમન્સ પાઠવવામાં આવ્યું છે અને પૂછપરછ માટે બોલાવ્યા છે. પૂછપરછ માટે અરવિંદ કેજરીવાલે 2 નવેમ્બરે હાજર થવાનું છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે આની પહેલા સીબીઆઈએ બોલાવ્યા હતા. એપ્રિલ મહિનામાં તેમની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે હવે ઈડી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે.  

ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રીને પૂછપરછ માટે પાઠવ્યું સમન્સ 

દિલ્હી આમ આદમી પાર્ટીના નેતાઓની મુશ્કેલી ઓછું થવાનું નામ નથી લઈ રહી. સુપ્રીમ કોર્ટે દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજીને ફગાવી દીધી હતી. તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ ઘણા મહિનાથી જેલવાસ ભોગવી રહ્યા છે. જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી પરંતુ તેને ફગાવી દેવામાં આવી છે. મનીષ સિસોદિયાની મુશ્કેલી ઓછી નથી થઈ ત્યારે તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી શકે છે તેવી સંભાવના છે. ઈડીએ સીએમને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. 2 નવેમ્બરના રોજ તેઓ જવાબ આપવા હાજર થવાના છે. 

આપને લાગે છે કે અરવિંદ કેજરીવાલની થઈ જશે ધરપકડ!

એક તરફ દિલ્હીના મુખ્યમંત્રીને ઈડી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લેવામાં આવશે. આપ નેતાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે અમને માહિતી મળી રહી છે કે ઈડી સમક્ષ જ્યારે પૂછપરછ માટે અરવિંદ કેજરીવાલ હાજર થશે ત્યારે તેમની ધરપકડ કરી લેવામાં આવશે. પીએમ મોદી અને બીજેપી આપને ખતમ કરવા માંગે છે. અરવિંદ કેજરીવાલની ધરપકડ એટલા માટે નહીં કરાય કારણ કે તેમની સામે કોઈ કેસ છે, પરંતુ એટલા માટે કરાશે કારણ કે પીએમ તેમનાથી ડરે છે.


સત્તાનો દુરૂપયોગ કરાય છે તેવા આક્ષેપો વિપક્ષ દ્વારા કરાયા છે

ઉલ્લેખનિય છે કે વિપક્ષ દ્વારા ઘણી વખત એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે સત્તાનો દુરુપયોગ કરવામાં આવે છે. તપાસ એજન્સીનો દુરૂપયોગ કરવામાં આવે છે. એવું પણ વિપક્ષી પાર્ટી દ્વારા કહેવામાં આવે છે કે જ્યાં જ્યાં ચૂંટણી હોય છે ત્યાં ત્યાં તપાસ એજન્સી દ્વારા રેડ પાડવામાં આવે છે. મહત્વનું છે કે એવા અનેક દાખલા, એવા અનેક ઉદાહરણો આપણી સામે છે જેમાં પહેલા પૂછપરછ માટે બોલાવવામાં આવે છે અને પછી તેમની ધરપકડ કરી લેવામાં આવે છે. હવે જોવું રહ્યું કે 2 નવેમ્બરે જ્યારે પૂછપરછ માટે અરવિંદ કેજરીવાલ હાજર થાય છે ત્યારે શું થાય છે.. ?




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.