EDએ Delhi CM Arvind Kejriwalને પાઠવ્યું સમન્સ, આપને લાગે છે કે પૂછપરછ માટે જ્યારે Kejriwal જશે ત્યારે ED તેમની ધરપકડ કરી લેશે...!


  • Published By :
  • Published Date : 2023-10-31 11:54:51

દિલ્હીના મુખ્યમંત્રીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. દિલ્હી એક્સાઈઝ પોલીસી કેસ મામલે ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અરવિંદ કેજરીવાલને સમન્સ પાઠવવામાં આવ્યું છે અને પૂછપરછ માટે બોલાવ્યા છે. પૂછપરછ માટે અરવિંદ કેજરીવાલે 2 નવેમ્બરે હાજર થવાનું છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે આની પહેલા સીબીઆઈએ બોલાવ્યા હતા. એપ્રિલ મહિનામાં તેમની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે હવે ઈડી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે.  

ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રીને પૂછપરછ માટે પાઠવ્યું સમન્સ 

દિલ્હી આમ આદમી પાર્ટીના નેતાઓની મુશ્કેલી ઓછું થવાનું નામ નથી લઈ રહી. સુપ્રીમ કોર્ટે દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજીને ફગાવી દીધી હતી. તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ ઘણા મહિનાથી જેલવાસ ભોગવી રહ્યા છે. જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી પરંતુ તેને ફગાવી દેવામાં આવી છે. મનીષ સિસોદિયાની મુશ્કેલી ઓછી નથી થઈ ત્યારે તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી શકે છે તેવી સંભાવના છે. ઈડીએ સીએમને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. 2 નવેમ્બરના રોજ તેઓ જવાબ આપવા હાજર થવાના છે. 

આપને લાગે છે કે અરવિંદ કેજરીવાલની થઈ જશે ધરપકડ!

એક તરફ દિલ્હીના મુખ્યમંત્રીને ઈડી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લેવામાં આવશે. આપ નેતાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે અમને માહિતી મળી રહી છે કે ઈડી સમક્ષ જ્યારે પૂછપરછ માટે અરવિંદ કેજરીવાલ હાજર થશે ત્યારે તેમની ધરપકડ કરી લેવામાં આવશે. પીએમ મોદી અને બીજેપી આપને ખતમ કરવા માંગે છે. અરવિંદ કેજરીવાલની ધરપકડ એટલા માટે નહીં કરાય કારણ કે તેમની સામે કોઈ કેસ છે, પરંતુ એટલા માટે કરાશે કારણ કે પીએમ તેમનાથી ડરે છે.


સત્તાનો દુરૂપયોગ કરાય છે તેવા આક્ષેપો વિપક્ષ દ્વારા કરાયા છે

ઉલ્લેખનિય છે કે વિપક્ષ દ્વારા ઘણી વખત એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે સત્તાનો દુરુપયોગ કરવામાં આવે છે. તપાસ એજન્સીનો દુરૂપયોગ કરવામાં આવે છે. એવું પણ વિપક્ષી પાર્ટી દ્વારા કહેવામાં આવે છે કે જ્યાં જ્યાં ચૂંટણી હોય છે ત્યાં ત્યાં તપાસ એજન્સી દ્વારા રેડ પાડવામાં આવે છે. મહત્વનું છે કે એવા અનેક દાખલા, એવા અનેક ઉદાહરણો આપણી સામે છે જેમાં પહેલા પૂછપરછ માટે બોલાવવામાં આવે છે અને પછી તેમની ધરપકડ કરી લેવામાં આવે છે. હવે જોવું રહ્યું કે 2 નવેમ્બરે જ્યારે પૂછપરછ માટે અરવિંદ કેજરીવાલ હાજર થાય છે ત્યારે શું થાય છે.. ?




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.