EDએ દિલ્હીના CM કેજરીવાલને ત્રીજી વખત સમન્સ પાઠવ્યું, 3 જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા


  • Published By :
  • Published Date : 2023-12-22 23:03:43

દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં EDએ શુક્રવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરીથી સમન્સ મોકલ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ત્રીજું સમન્સ મોકલ્યું છે, જેમાં તેમને 3 જાન્યુઆરીએ ED સમક્ષ હાજર થવા જણાવ્યું છે. અગાઉ, ઇડીએ અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડમાં પૂછપરછ માટે 18 ડિસેમ્બરે સમન્સ જારી કરીને 21 ડિસેમ્બરે હાજર થવા જણાવ્યું હતું. પરંતુ સુનાવણીમાં હાજર થવાને બદલે કેજરીવાલ પંજાબના હોશિયારપુરમાં 10 દિવસની વિપશ્યના માટે રવાના થઈ ગયા હતા.

 

કેજરીવાલે ગુરુવારે EDને આપ્યો હતો જવાબ


દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને બીજા સમન્સનો જવાબ મોકલ્યો હતો. EDએ કેજરીવાલને 21 ડિસેમ્બરે દિલ્હીના કથિત દારૂ કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા હતા. કેજરીવાલે સમન્સને રાજકીય રીતે પ્રેરિત અને બિનજરૂરી ગણાવ્યા છે. તેમણે એમ પણ કહ્યું છે કે તેમની પાસે છુપાવવા માટે કંઈ જ નથી. કેજરીવાલે કહ્યું કે તેઓ દરેક કાયદાકીય સમન્સ સ્વીકારવા તૈયાર છે, પરંતુ આ ED સમન્સ પણ અગાઉના સમન્સની જેમ ગેરકાયદેસર છે. તેણે તેને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યું હતું અને તેને પાછું ખેંચવાની માંગ કરી હતી.


કેજરીવાલનું નામ EDની ચાર્જશીટમાં છે


બે કેન્દ્રીય તપાસ એજન્સીઓ દિલ્હી દારૂ કૌભાંડ કેસની તપાસ કરી રહી છે. આ કેસમાં એપ્રિલ મહિનામાં CBIએ CM કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા હતા. 16 એપ્રિલ પછી EDએ તેમને 2 નવેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા હતા, પરંતુ તેઓ ગયા ન હતા. કેજરીવાલ (55)ને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ સમન્સ જારી કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્ય પ્રધાન દિલ્હીમાં કેસના તપાસ અધિકારી સમક્ષ હાજર થયા બાદ એજન્સી તેમનું નિવેદન રેકોર્ડ કરશે. આ કેસમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં EDએ કેજરીવાલના નામનો અનેકવાર ઉલ્લેખ કર્યો છે. 16 એપ્રિલે સીબીઆઈએ સીએમ અરવિંદ કેજરીવાલની લગભગ 9 કલાક સુધી પૂછપરછ કરી હતી.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.