EDએ પ્રકાશ રાજને મોકલ્યું સમન્સ, પોન્ઝી મની લોન્ડરિંગ કેસમાં અભિનેતાની મુશ્કેલીઓ વધી


  • Published By :
  • Published Date : 2023-11-23 21:51:12

હિન્દી અને સાઉથ સિનેમાના દિગ્ગજ અભિનેતા પ્રકાશ રાજને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ગુરુવારે પોન્ઝી મની લોન્ડરિંગ કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યા છે અને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. પ્રણવ જ્વેલર્સ કેસને લઈને પ્રકાશ રાજને સમન્સ મોકલવામાં આવ્યા છે. અભિનેતા પ્રણવ જ્વેલર્સનો બ્રાન્ડ એમ્બેસેડર છે અને તેમના માટે જાહેરાતો કરે છે. આવી મામલે હવે ED પ્રકાશ રાજની પૂછપરછ કરશે. ઉલ્લેખનિય છે કે આ અંગે અભિનેતા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. હવે જોવાનું એ રહે છે કે પ્રકાશ રાજ આ મામલે ક્યારે પોતાનું નિવેદન આપે છે અને સ્પષ્ટતા આપે છે.


ગોલ્ડ સ્કીમના નામે કરોડોની છેતરપિંડી

 

EDએ પ્રકાશ રાજ પ્રણવ જ્વેલર્સ મની લોન્ડરિંગ કેસમાં સમન્સ પાઠવ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ત્રિચી સ્થિત પાર્ટનરશિપ ફર્મ પ્રણવ જ્વેલર્સ વિરુદ્ધ મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં અભિનેતા પ્રકાશ રાજને સમન્સ જારી કર્યુ છે. ED હવે આ કેસમાં પ્રકાશ રાજની પૂછપરછ કરશે. પ્રકાશ રાજ પ્રણવ જ્વેલર્સ માટે જાહેરાત કરે છે. ઉલ્લેખનિય છે પ્રકાશ રાજ કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ સરકાર વિરૂધ્ધ અવારનવાર નિવેદનો આપતા રહે છે. પ્રણવ જ્વેલર્સ પર ગોલ્ડ સ્કીમના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. ઇડીની ત્રિચી ઇકોનોમિક ઓફેન્સીસ વિંગે પણ પ્રણવ જ્વેલર્સ સામે કેસ નોંધ્યો હતો. પ્રકાશ રાજ આ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર છે.


શું છે સમગ્ર મામલો?


તમિલનાડુના ત્રિચી સ્થિત પાર્ટનરશિપ ફર્મ પ્રણવ જ્વેલર્સે ઉચ્ચ વળતરના વચન સાથે સોનામાં રોકાણ યોજનાની આડમાં લોકો પાસેથી કથિત રીતે 100 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ પ્રણવ જ્વેલર્સનો બ્રાન્ડ એમ્બેસેડર હતો અને આ કેસમાં "તપાસ હેઠળ" છે. EDએ સોમવારે કથિત પોન્ઝી સ્કીમ ચલાવવાના આરોપમાં કંપની પર દરોડા પાડ્યા હતા. બુધવારે જારી કરાયેલા એક નિવેદનમાં, EDએ જણાવ્યું હતું કે, તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રણવ જ્વેલર્સ અને અન્ય સંલગ્ન વ્યક્તિઓએ બુલિયન/ગોલ્ડ જ્વેલરી ખરીદવાની આડમાં નકલી સંસ્થાઓ/પ્રવેશ પ્રદાતાઓને જાહેર ભંડોળ ટ્રાન્સફર કરીને લોકો સાથે છેતરપિંડી કરી હતી.


EDના દરોડામાં લાખો બેનામી પ્રોપર્ટી પકડાઈ  


ED એ તેના નિવેદનમાં આગળ કહ્યું કે- તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે પ્રણવ જ્વેલર્સના પુસ્તકોમાં સપ્લાયર પક્ષો એન્ટ્રી પ્રોવાઈડર હતા, જેમણે તપાસ દરમિયાન પ્રણવ જ્વેલર્સ અને બેંકોમાં 100 કરોડ રૂપિયાથી વધુની રકમ માટે એડજસ્ટમેન્ટ કર્યાની કબૂલાત કરી હતી. ચુકવણીના બદલામાં આરોપીઓને રોકડ આપવાની પણ કબૂલાત કરી હતી. સોમવારે દરોડા દરમિયાન, એજન્સીને ઘણા દસ્તાવેજો મળી આવ્યા હતા, 23.70 લાખ રૂપિયાની રોકડ, 11.60 કિલો વજનના બુલિયન/સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા હતા.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.