West Bengalમાં EDની ટીમ પર થયો હુમલો, આ કેસમાં તપાસ કરવા માટે ગઈ હતી ટીએમસી નેતાના ઘરે, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-05 11:46:37

પશ્ચિમ બંગાળમાં ઈડીની ટીમ પર હુમલો થયો છે. સંદેશખાલીમાં દરોડા પાડવા જ્યારે ઈડીની ટીમ પહોંચી ત્યારે ટીમ પર હુમલો કરવામાં આવ્યો. રાશન કૌભાંડ કેસમાં ઈડીની ટીમ ટીએમસી નેતા શાહજહાં શેખના ઘરે દરોડા પાડ્વા ગઈ હતી ત્યારે 200થી  300 જેટલા લોકોએ તેમની પર હુમલો કર્યો. તપાસ માટે પહોંચેલા ED અધિકારીઓ અને અર્ધલશ્કરી દળોને લોકોએ ઘેરી લીધા હતા. આ દરમિયાન લોકોએ અધિકારીઓના વાહનોમાં તોડફોડ પણ કરી હતી.


ઈડી ઘણા સમયથી કરી રહી છે આ મામલે તપાસ

તૃણમૂલ નેતા શાહજહાં શેખના ઠેકાણે ઈડીની ટીમ દરોડા પાડવા ગઈ હતી. તે દરમિયાન ઈડીની ટીમ પર ઉપરાંત અર્ધલશ્કરી દળો પર હુમલો કરવામાં આવ્યો તેવી માહિતી સામે આવી છે. 24 પરગણા જિલ્લામાં રાશન કૌભાંડ કેસમાં EDની ટીમ તૃણમૂલ નેતા શાહજહાં શેખના ઘરે તપાસ માટે પહોંચી હતી ત્યારે 200-300 જેટલા લોકોએ તેમને ઘેરી લીધા તેમની પર હુમલો કરવાની કોશિશ કરી ઉપરાંત વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી છે. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી ઈડી કથિત રાશન વિતરણ કૌભાંડને લઈ તપાસ કરી રહી છે.     

 





૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.