West Bengalમાં EDની ટીમ પર થયો હુમલો, આ કેસમાં તપાસ કરવા માટે ગઈ હતી ટીએમસી નેતાના ઘરે, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-05 11:46:37

પશ્ચિમ બંગાળમાં ઈડીની ટીમ પર હુમલો થયો છે. સંદેશખાલીમાં દરોડા પાડવા જ્યારે ઈડીની ટીમ પહોંચી ત્યારે ટીમ પર હુમલો કરવામાં આવ્યો. રાશન કૌભાંડ કેસમાં ઈડીની ટીમ ટીએમસી નેતા શાહજહાં શેખના ઘરે દરોડા પાડ્વા ગઈ હતી ત્યારે 200થી  300 જેટલા લોકોએ તેમની પર હુમલો કર્યો. તપાસ માટે પહોંચેલા ED અધિકારીઓ અને અર્ધલશ્કરી દળોને લોકોએ ઘેરી લીધા હતા. આ દરમિયાન લોકોએ અધિકારીઓના વાહનોમાં તોડફોડ પણ કરી હતી.


ઈડી ઘણા સમયથી કરી રહી છે આ મામલે તપાસ

તૃણમૂલ નેતા શાહજહાં શેખના ઠેકાણે ઈડીની ટીમ દરોડા પાડવા ગઈ હતી. તે દરમિયાન ઈડીની ટીમ પર ઉપરાંત અર્ધલશ્કરી દળો પર હુમલો કરવામાં આવ્યો તેવી માહિતી સામે આવી છે. 24 પરગણા જિલ્લામાં રાશન કૌભાંડ કેસમાં EDની ટીમ તૃણમૂલ નેતા શાહજહાં શેખના ઘરે તપાસ માટે પહોંચી હતી ત્યારે 200-300 જેટલા લોકોએ તેમને ઘેરી લીધા તેમની પર હુમલો કરવાની કોશિશ કરી ઉપરાંત વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી છે. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી ઈડી કથિત રાશન વિતરણ કૌભાંડને લઈ તપાસ કરી રહી છે.     

 





ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે