AMCની શાળાઓમાં હવે ધોરણ 10 સુધી વિદ્યાર્થીઓ વિનામૂલ્યે ભણી શકશે. RTE પ્રવેશ પ્રક્રિયા ૨૦૨૫-૨૬ માટે આવક મર્યાદા વધારતા નબળા અને વંચિત જૂથના બાળકો અને વાલીઓને મોટી રાહત થઈ છે.


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-18 17:00:27

 અમદાવાદ મ્યુનિસપાલ સંચાલિત શાળાઓમાં હવે કોઈપણ વિધાર્થી ધોરણ 10 સુધી અભ્યાસ કરી શકશે. આગામી સત્રથી ઝોન 7ની 7 માધ્યમિક શાળોમાં ધોરણ ૯-૧૦ના વર્ગ શરૂ કરવામાં આવશે જેથી હવેથી વિધાર્થીઓ ધોરણ 10 સુધી વિનામૂલ્યે ભણી શકશે. ૭ ઝોનમાં ૭ માધ્યમિક શાળાથી શરૂઆત કરવામાં આવશે.  

RTE એક્ટ ૨૦૦૯માં સુધારો હાલમાં જ સુધારો કર્યો છે જેને અંર્તગત ૧.૫૦ લાખની આવક મર્યાદા વધારીને ૬ લાખ કરી છે.  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડની હાલમાં 400થી વધુ ધોરણ 1થી 8 સુધીની સ્કૂલો ચાલી રહી છે. જોકે, આગામી સમયમાં સ્કૂલ બોર્ડ દ્વારા ધોરણ 9 અને 10ની માધ્યમિક શાળા શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી બાલવાટિકાથી ધોરણ 10 સુધીનું શિક્ષણ વિના મૂલ્યે મળશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલીત સ્કૂલોમાં હાલમાં ધોરણ 8 સુધીનો જ અભ્યાસ કરાવવામાં આવતો હતો. પરંતુ ધો. 8 બાદ બાળકોને ખાનગી શાળાઓમાં મોટી ફી અથવા તો ગ્રાન્ટેડ શાળાઓમાં નજીવી ફી ભરીને અભ્યાસ કરવો પડતો હતો. પરંતુ હવે આગામી શૈક્ષણિક વર્ષથી સ્કુલ બોર્ડ માઘ્યમિક શાળા શરૂ કરવા જઇ રહી છે, જેનાથી વિદ્યાર્થીઓને હવે ફી ભરીને શાળામા અભ્યાસ કરવો નહી પડે. વિદ્યાર્થીઓને પુસ્તકોથી લઇને ગણવેશ સહિતની સુવિધાઓ વિનામુલ્યે મળી રહેશે.

 જે બાળકોએ ૧ જૂન-૨૦૨૫નાં રોજ છ વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા તેવા પાત્ર બાળકો માટે RTE પોર્ટલ https://rte.orpgujarat.com પર તા. 15/04/2025 (મંગળવાર) સુધી ઓનલાઈન અરજી કરવાની તક છે. વધુમાં, અન્ય કેટેગરીના તથા અગાઉ અરજી ન કરી શકનાર અરજદારો તેમજ ચાલુ વર્ષે જે અરજદારોની અરજીઓ અગાઉ નિર્દશ કરેલ આવક કરતા વધુ આવક (પરંતુ રૂ. ૬.૦૦ લાખ કરતા ઓછી) હોવાના કારણે જિલ્લા કક્ષાએ અમાન્ય (REJECT) થયેલ હોય તેઓ પણ પુનઃ ઓનલાઈન અરજી આ અવધિ દરમિયાન કરી શકશે. જિલ્લા કક્ષાએ તમામ અરજદારોની આવક મર્યાદા તથા અન્ય આવશ્યક દસ્તાવેજોની ચકાસણી પૂર્ણ કરી અરજી મંજૂર કે નામંજૂર કરવાની પ્રક્રિયા આગામી ૧૬મી એપ્રિલ સુધીમાં પૂર્ણ કરાશે.  







રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.