દિવાળી ટાણે વધ્યા ખાદ્યતેલના ભાવ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 13:50:32

દિવાળીના તહેવારને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દિવાળી દરમિયાન ખાદ્યતેલની માગમાં અનેક ઘણો વધારો થતો હોય છે. ત્યારે દિવાળી પહેલા સામાન્ય માણસને મોટો ઝટકો લાગ્યો છે. ફરી એક વખત ખાદ્યતેલની કિંમતમાં 25 રુપિયાનો વધારો થયો છે. છેલ્લા 2 દિવસમાં સિંગતેલના ભાવમાં 45 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જે બાદ હવે સિંગતેલનો ડબ્બાનો ભાવ ગમે ત્યારે 3000ની સપાટીને વટાવી શકે છે.  

ગૃહિણીઓનું બજેટ ખોરવાયું : સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ભડકો, બંને  તેલના ભાવમાં ડબ્બે રૂ. 25નો વધારો - Face of Nation

સતત વધતી મોંઘવારી 

મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. મોંઘવારીનો સ્તર સતત વધતા સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ ગયું છે. ત્યારે ફરી એક વખત સિંગતેલના ડબ્બાના ભાવમાં તોંતિંગ વધારો કરી દેવામાં આવ્યો છે. 25 રુપિયાનો ભાવવધારો થતા ખાદ્યતેલનો ડબ્બો 3 હજાર નજીક પહોંચવા આવ્યો છે. સતત બીજા દિવસે સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે. ભાવ વધારાની સીધી અસર સામાન્ય માણસ પર પડે છે. ત્યારે આ ભાવ વધારાની અસર તહેવારની ઉજવણી પર કેટલી પડે છે તે તો જોવું રહ્યું. 




સુરેન્દ્રનગરમાં પાટડી ખાતે LCBના દરોડામાં ખુબ મોટાપાયે વિદેશી દારૂનો ઝડપી પાડવામાં આવ્યો છે. પાટડીના જરવલા ગામની સીમમાં આ ગેરકયદેસર વિદેશી દારૂનો જથ્થો ટ્રેકટરની ટ્રોલીમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. જેના લીધે, સુરેન્દ્રનગરના બુટલેગરોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા SP પ્રેમસુખ ડેલુંની સૂચના મુજબ અલગ અલગ ટિમો બનાવીને કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરોડાની આ કામગીરીમાં હવે સ્થળ પર હાજર આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે.

ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે