દિવાળી ટાણે વધ્યા ખાદ્યતેલના ભાવ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 13:50:32

દિવાળીના તહેવારને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દિવાળી દરમિયાન ખાદ્યતેલની માગમાં અનેક ઘણો વધારો થતો હોય છે. ત્યારે દિવાળી પહેલા સામાન્ય માણસને મોટો ઝટકો લાગ્યો છે. ફરી એક વખત ખાદ્યતેલની કિંમતમાં 25 રુપિયાનો વધારો થયો છે. છેલ્લા 2 દિવસમાં સિંગતેલના ભાવમાં 45 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જે બાદ હવે સિંગતેલનો ડબ્બાનો ભાવ ગમે ત્યારે 3000ની સપાટીને વટાવી શકે છે.  

ગૃહિણીઓનું બજેટ ખોરવાયું : સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ભડકો, બંને  તેલના ભાવમાં ડબ્બે રૂ. 25નો વધારો - Face of Nation

સતત વધતી મોંઘવારી 

મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. મોંઘવારીનો સ્તર સતત વધતા સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ ગયું છે. ત્યારે ફરી એક વખત સિંગતેલના ડબ્બાના ભાવમાં તોંતિંગ વધારો કરી દેવામાં આવ્યો છે. 25 રુપિયાનો ભાવવધારો થતા ખાદ્યતેલનો ડબ્બો 3 હજાર નજીક પહોંચવા આવ્યો છે. સતત બીજા દિવસે સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે. ભાવ વધારાની સીધી અસર સામાન્ય માણસ પર પડે છે. ત્યારે આ ભાવ વધારાની અસર તહેવારની ઉજવણી પર કેટલી પડે છે તે તો જોવું રહ્યું. 




આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.