દિવાળી ટાણે વધ્યા ખાદ્યતેલના ભાવ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 13:50:32

દિવાળીના તહેવારને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દિવાળી દરમિયાન ખાદ્યતેલની માગમાં અનેક ઘણો વધારો થતો હોય છે. ત્યારે દિવાળી પહેલા સામાન્ય માણસને મોટો ઝટકો લાગ્યો છે. ફરી એક વખત ખાદ્યતેલની કિંમતમાં 25 રુપિયાનો વધારો થયો છે. છેલ્લા 2 દિવસમાં સિંગતેલના ભાવમાં 45 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જે બાદ હવે સિંગતેલનો ડબ્બાનો ભાવ ગમે ત્યારે 3000ની સપાટીને વટાવી શકે છે.  

ગૃહિણીઓનું બજેટ ખોરવાયું : સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ભડકો, બંને  તેલના ભાવમાં ડબ્બે રૂ. 25નો વધારો - Face of Nation

સતત વધતી મોંઘવારી 

મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. મોંઘવારીનો સ્તર સતત વધતા સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ ગયું છે. ત્યારે ફરી એક વખત સિંગતેલના ડબ્બાના ભાવમાં તોંતિંગ વધારો કરી દેવામાં આવ્યો છે. 25 રુપિયાનો ભાવવધારો થતા ખાદ્યતેલનો ડબ્બો 3 હજાર નજીક પહોંચવા આવ્યો છે. સતત બીજા દિવસે સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે. ભાવ વધારાની સીધી અસર સામાન્ય માણસ પર પડે છે. ત્યારે આ ભાવ વધારાની અસર તહેવારની ઉજવણી પર કેટલી પડે છે તે તો જોવું રહ્યું. 




ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."