દિવાળી ટાણે વધ્યા ખાદ્યતેલના ભાવ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 13:50:32

દિવાળીના તહેવારને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દિવાળી દરમિયાન ખાદ્યતેલની માગમાં અનેક ઘણો વધારો થતો હોય છે. ત્યારે દિવાળી પહેલા સામાન્ય માણસને મોટો ઝટકો લાગ્યો છે. ફરી એક વખત ખાદ્યતેલની કિંમતમાં 25 રુપિયાનો વધારો થયો છે. છેલ્લા 2 દિવસમાં સિંગતેલના ભાવમાં 45 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જે બાદ હવે સિંગતેલનો ડબ્બાનો ભાવ ગમે ત્યારે 3000ની સપાટીને વટાવી શકે છે.  

ગૃહિણીઓનું બજેટ ખોરવાયું : સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ભડકો, બંને  તેલના ભાવમાં ડબ્બે રૂ. 25નો વધારો - Face of Nation

સતત વધતી મોંઘવારી 

મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. મોંઘવારીનો સ્તર સતત વધતા સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ ગયું છે. ત્યારે ફરી એક વખત સિંગતેલના ડબ્બાના ભાવમાં તોંતિંગ વધારો કરી દેવામાં આવ્યો છે. 25 રુપિયાનો ભાવવધારો થતા ખાદ્યતેલનો ડબ્બો 3 હજાર નજીક પહોંચવા આવ્યો છે. સતત બીજા દિવસે સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે. ભાવ વધારાની સીધી અસર સામાન્ય માણસ પર પડે છે. ત્યારે આ ભાવ વધારાની અસર તહેવારની ઉજવણી પર કેટલી પડે છે તે તો જોવું રહ્યું. 




ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.