લોકસભા ચૂંટણી પહેલા ઘટી શકે છે ખાદ્યતેલોના ભાવ, સરકારે ખાદ્યતેલ ઉત્પાદક કંપનીઓને કરી આ ટકોર


  • Published By :
  • Published Date : 2024-01-24 18:39:50

લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે કેન્દ્ર સરકાર પર મોંઘવારી ઘટાડવાનું ભારે દબાણ છે. હવે સરકાર આ દિશામાં સક્રિય બની છે.  સરકારે ખાદ્યતેલ કંપનીઓને આંતરરાષ્ટ્રીય કિંમતોની તર્જ પર ઉત્પાદનની કિંમત ઘટાડવા માટે કહ્યું છે. આમ પણ હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ખાદ્યતેલોના ભાવ નરમ છે. આમ છતાં સ્થાનિક બજારમાં ખાદ્યતેલોની કિંમતો ઘટી રહી નથી. ગયા ડિસેમ્બરમાં ભાવમાં થોડો ઘટાડો થયો હતો, પરંતુ આ વર્ષે જાન્યુઆરીમાં ખાદ્યતેલોના ભાવમાં ફરી વધારો થયો છે. આગામી કેટલાક મહિનામાં દેશમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. આથી સરકાર ખાદ્યતેલોના ભાવને લઈને ઘણી સતર્ક બની છે. સોલવન્ટ એક્સટ્રેક્ટર એસોસિએશન (Association of Solvent Extractors)ના સુત્રોને ટાંકીને કેટલાક મીડિયાએ આ સમાચાર આપ્યા  છે.


સરકારે શું કહ્યું?


કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતોના મંત્રાલયે આ કંપનીઓને કહ્યું છે કે જે રીતે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાદ્યતેલોની કિંમતો ઘટી રહી છે તે જ રીતે સ્થાનિક બજારમાં પણ ભાવ ઘટવા જોઈએ. ગ્રાહક બાબતોના મંત્રાલયે વ્યક્ત કર્યું છે કે સોયાબીન, સૂર્યમુખી અને પામ તેલ જેવા તેલ પરની એમઆરપી આંતરરાષ્ટ્રીય કિંમતોમાં ઘટાડાની હદ સુધી ઘટાડવામાં આવી નથી, એટલે કે ભાવમાં તાત્કાલિક ઘટાડો થવો જોઈએ.


ખાદ્ય તેલ કંપનીઓ ભાવ ઘટાડવા અસમર્થ 


કેન્દ્ર સરકાર ભલે ખાદ્ય તેલ કંપનીઓ પર ભાવ ઘટાડવા માટે દબાણ કરી રહી હોય પણ કંપનીઓએ હાલમાં કિંમતો ઘટાડવામાં અસમર્થતા દર્શાવી છે. તેમનું કહેવું છે કે આવતા મહિનાથી સરસવની લણણી શરૂ થશે. નવો પાક આવ્યા બાદ જ ભાવમાં ઘટાડો શક્ય છે. મતલબ કે માર્ચ સુધી ભાવ યથાવત રહેશે.અદાણી વિલ્મરના CEO અંશુ મલિકે જણાવ્યું હતું કે, "રસોઈ તેલની કિંમતો ખૂબ જ સ્થિર છે. ભાવમાં કોઈ મોટો વધારો કે ઘટાડો થયો નથી. વર્તમાન ભાવના વલણોને અનુરૂપ અમારી MRP દર મહિને સુધારવામાં આવે છે. અમે હાલ તો ભાવમાં કોઈ તાત્કાલિક સુધારો જોઈ રહ્યા નથી." ઉલ્લેખનિય છે કે અદાણી વિલ્મર,'ફોર્ચ્યુન' બ્રાન્ડ હેઠળ રસોઈ તેલનું વેચાણ કરે છે. જોકે, તેમનું કહેવું છે કે તેઓ આંતરરાષ્ટ્રીય કોમોડિટીની કિંમતો પર નજર રાખે છે અને તે મુજબ નિર્ણયો લે છે.

 

કિંમતો કેટલી ઘટી શકે છે?


વેજીટેબલ ઓઈલ બ્રોકરેજ કંપની સનવિન ગ્રૂપના સીઈઓ સંદીપ બાજોરિયાએ જણાવ્યું હતું કે, 'ડિસેમ્બરમાં ખાદ્ય તેલના ભાવમાં લગભગ 10%નો ઘટાડો થયો હતો અને જાન્યુઆરીમાં કિંમતોમાં ફરી 8%નો વધારો થયો છે.' વિવિધ કંપનીઓના અધિકારીઓનું કહેવું છે કે જો સરકાર વધુ સખત દબાણ કરશે તો પણ તેઓ માત્ર 3-4% ભાવ ઘટાડી શકશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.