લોકસભા ચૂંટણી પહેલા ઘટી શકે છે ખાદ્યતેલોના ભાવ, સરકારે ખાદ્યતેલ ઉત્પાદક કંપનીઓને કરી આ ટકોર


  • Published By :
  • Published Date : 2024-01-24 18:39:50

લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે કેન્દ્ર સરકાર પર મોંઘવારી ઘટાડવાનું ભારે દબાણ છે. હવે સરકાર આ દિશામાં સક્રિય બની છે.  સરકારે ખાદ્યતેલ કંપનીઓને આંતરરાષ્ટ્રીય કિંમતોની તર્જ પર ઉત્પાદનની કિંમત ઘટાડવા માટે કહ્યું છે. આમ પણ હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ખાદ્યતેલોના ભાવ નરમ છે. આમ છતાં સ્થાનિક બજારમાં ખાદ્યતેલોની કિંમતો ઘટી રહી નથી. ગયા ડિસેમ્બરમાં ભાવમાં થોડો ઘટાડો થયો હતો, પરંતુ આ વર્ષે જાન્યુઆરીમાં ખાદ્યતેલોના ભાવમાં ફરી વધારો થયો છે. આગામી કેટલાક મહિનામાં દેશમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. આથી સરકાર ખાદ્યતેલોના ભાવને લઈને ઘણી સતર્ક બની છે. સોલવન્ટ એક્સટ્રેક્ટર એસોસિએશન (Association of Solvent Extractors)ના સુત્રોને ટાંકીને કેટલાક મીડિયાએ આ સમાચાર આપ્યા  છે.


સરકારે શું કહ્યું?


કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતોના મંત્રાલયે આ કંપનીઓને કહ્યું છે કે જે રીતે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાદ્યતેલોની કિંમતો ઘટી રહી છે તે જ રીતે સ્થાનિક બજારમાં પણ ભાવ ઘટવા જોઈએ. ગ્રાહક બાબતોના મંત્રાલયે વ્યક્ત કર્યું છે કે સોયાબીન, સૂર્યમુખી અને પામ તેલ જેવા તેલ પરની એમઆરપી આંતરરાષ્ટ્રીય કિંમતોમાં ઘટાડાની હદ સુધી ઘટાડવામાં આવી નથી, એટલે કે ભાવમાં તાત્કાલિક ઘટાડો થવો જોઈએ.


ખાદ્ય તેલ કંપનીઓ ભાવ ઘટાડવા અસમર્થ 


કેન્દ્ર સરકાર ભલે ખાદ્ય તેલ કંપનીઓ પર ભાવ ઘટાડવા માટે દબાણ કરી રહી હોય પણ કંપનીઓએ હાલમાં કિંમતો ઘટાડવામાં અસમર્થતા દર્શાવી છે. તેમનું કહેવું છે કે આવતા મહિનાથી સરસવની લણણી શરૂ થશે. નવો પાક આવ્યા બાદ જ ભાવમાં ઘટાડો શક્ય છે. મતલબ કે માર્ચ સુધી ભાવ યથાવત રહેશે.અદાણી વિલ્મરના CEO અંશુ મલિકે જણાવ્યું હતું કે, "રસોઈ તેલની કિંમતો ખૂબ જ સ્થિર છે. ભાવમાં કોઈ મોટો વધારો કે ઘટાડો થયો નથી. વર્તમાન ભાવના વલણોને અનુરૂપ અમારી MRP દર મહિને સુધારવામાં આવે છે. અમે હાલ તો ભાવમાં કોઈ તાત્કાલિક સુધારો જોઈ રહ્યા નથી." ઉલ્લેખનિય છે કે અદાણી વિલ્મર,'ફોર્ચ્યુન' બ્રાન્ડ હેઠળ રસોઈ તેલનું વેચાણ કરે છે. જોકે, તેમનું કહેવું છે કે તેઓ આંતરરાષ્ટ્રીય કોમોડિટીની કિંમતો પર નજર રાખે છે અને તે મુજબ નિર્ણયો લે છે.

 

કિંમતો કેટલી ઘટી શકે છે?


વેજીટેબલ ઓઈલ બ્રોકરેજ કંપની સનવિન ગ્રૂપના સીઈઓ સંદીપ બાજોરિયાએ જણાવ્યું હતું કે, 'ડિસેમ્બરમાં ખાદ્ય તેલના ભાવમાં લગભગ 10%નો ઘટાડો થયો હતો અને જાન્યુઆરીમાં કિંમતોમાં ફરી 8%નો વધારો થયો છે.' વિવિધ કંપનીઓના અધિકારીઓનું કહેવું છે કે જો સરકાર વધુ સખત દબાણ કરશે તો પણ તેઓ માત્ર 3-4% ભાવ ઘટાડી શકશે.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.