લોકસભા ચૂંટણી પહેલા ઘટી શકે છે ખાદ્યતેલોના ભાવ, સરકારે ખાદ્યતેલ ઉત્પાદક કંપનીઓને કરી આ ટકોર


  • Published By :
  • Published Date : 2024-01-24 18:39:50

લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે કેન્દ્ર સરકાર પર મોંઘવારી ઘટાડવાનું ભારે દબાણ છે. હવે સરકાર આ દિશામાં સક્રિય બની છે.  સરકારે ખાદ્યતેલ કંપનીઓને આંતરરાષ્ટ્રીય કિંમતોની તર્જ પર ઉત્પાદનની કિંમત ઘટાડવા માટે કહ્યું છે. આમ પણ હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ખાદ્યતેલોના ભાવ નરમ છે. આમ છતાં સ્થાનિક બજારમાં ખાદ્યતેલોની કિંમતો ઘટી રહી નથી. ગયા ડિસેમ્બરમાં ભાવમાં થોડો ઘટાડો થયો હતો, પરંતુ આ વર્ષે જાન્યુઆરીમાં ખાદ્યતેલોના ભાવમાં ફરી વધારો થયો છે. આગામી કેટલાક મહિનામાં દેશમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. આથી સરકાર ખાદ્યતેલોના ભાવને લઈને ઘણી સતર્ક બની છે. સોલવન્ટ એક્સટ્રેક્ટર એસોસિએશન (Association of Solvent Extractors)ના સુત્રોને ટાંકીને કેટલાક મીડિયાએ આ સમાચાર આપ્યા  છે.


સરકારે શું કહ્યું?


કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતોના મંત્રાલયે આ કંપનીઓને કહ્યું છે કે જે રીતે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાદ્યતેલોની કિંમતો ઘટી રહી છે તે જ રીતે સ્થાનિક બજારમાં પણ ભાવ ઘટવા જોઈએ. ગ્રાહક બાબતોના મંત્રાલયે વ્યક્ત કર્યું છે કે સોયાબીન, સૂર્યમુખી અને પામ તેલ જેવા તેલ પરની એમઆરપી આંતરરાષ્ટ્રીય કિંમતોમાં ઘટાડાની હદ સુધી ઘટાડવામાં આવી નથી, એટલે કે ભાવમાં તાત્કાલિક ઘટાડો થવો જોઈએ.


ખાદ્ય તેલ કંપનીઓ ભાવ ઘટાડવા અસમર્થ 


કેન્દ્ર સરકાર ભલે ખાદ્ય તેલ કંપનીઓ પર ભાવ ઘટાડવા માટે દબાણ કરી રહી હોય પણ કંપનીઓએ હાલમાં કિંમતો ઘટાડવામાં અસમર્થતા દર્શાવી છે. તેમનું કહેવું છે કે આવતા મહિનાથી સરસવની લણણી શરૂ થશે. નવો પાક આવ્યા બાદ જ ભાવમાં ઘટાડો શક્ય છે. મતલબ કે માર્ચ સુધી ભાવ યથાવત રહેશે.અદાણી વિલ્મરના CEO અંશુ મલિકે જણાવ્યું હતું કે, "રસોઈ તેલની કિંમતો ખૂબ જ સ્થિર છે. ભાવમાં કોઈ મોટો વધારો કે ઘટાડો થયો નથી. વર્તમાન ભાવના વલણોને અનુરૂપ અમારી MRP દર મહિને સુધારવામાં આવે છે. અમે હાલ તો ભાવમાં કોઈ તાત્કાલિક સુધારો જોઈ રહ્યા નથી." ઉલ્લેખનિય છે કે અદાણી વિલ્મર,'ફોર્ચ્યુન' બ્રાન્ડ હેઠળ રસોઈ તેલનું વેચાણ કરે છે. જોકે, તેમનું કહેવું છે કે તેઓ આંતરરાષ્ટ્રીય કોમોડિટીની કિંમતો પર નજર રાખે છે અને તે મુજબ નિર્ણયો લે છે.

 

કિંમતો કેટલી ઘટી શકે છે?


વેજીટેબલ ઓઈલ બ્રોકરેજ કંપની સનવિન ગ્રૂપના સીઈઓ સંદીપ બાજોરિયાએ જણાવ્યું હતું કે, 'ડિસેમ્બરમાં ખાદ્ય તેલના ભાવમાં લગભગ 10%નો ઘટાડો થયો હતો અને જાન્યુઆરીમાં કિંમતોમાં ફરી 8%નો વધારો થયો છે.' વિવિધ કંપનીઓના અધિકારીઓનું કહેવું છે કે જો સરકાર વધુ સખત દબાણ કરશે તો પણ તેઓ માત્ર 3-4% ભાવ ઘટાડી શકશે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે