વડોદરામાં ખાદ્યતેલના વેપારીઓ પર દરોડા, 593 લીટર નકલી તેલનો જથ્થો સીઝ


  • Published By :
  • Published Date : 2023-05-21 12:03:08

રાજ્યમાં ખાદ્ય ચીજોમાં ભેળસેળએ નવી વાત નથી, લોકોના ખાવા-પીવાની તમામ ચીજોમાં ભયાનક હદે મિલાવટ થઈ રહી છે. લોકોને પૈસા ખર્ચીને પણ ગુણવત્તાયુક્ત અને અસલી ખાદ્યચીજો મળતી નથી. તાજેતરમાં નકલી પનીર, નકલી મરચું, નકલી હળદર, નકલી વરિયાળી, નકલી જીરું વેચાતું હોવાનું કૌભાંડ ઝડપાયું છે. અગાઉ નકલી દૂધ બાબતે ઘણા સમાચારો સામે આવી ગયા છે. વડોદરા શહેરમાં ભેળસેળયુક્ત ખાદ્યતેલ  કૌભાંડ ઝડપાયું છે.


593 લીટર ખાદ્યતેલનો જથ્થો સીઝ


વડોદરા શહેરમાં આરોગ્ય ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી, શહેરના નાની શાક માર્કેટ અને કડક બજારની દુકાનોમાંથી લેવામાં આવેલા ખાદ્યતેલના પાંચ નમૂના આરોગ્ય માટે હાનિકારક સાબિત થયા છે, કેમ કે હાલમાં જ ફૂડ એનાલિસ્ટ પબ્લિક હેલ્થ લેબૉરેટરીના ટેસ્ટિંગ રિપોર્ટમાં આ તમામ નમૂના ફેલ નીકળ્યા છે. આ સાથે જ મોટી કાર્યવાહી કરતા ટીમે 76 હજારની કિંમત 593 લીટર ખાદ્યતેલનો જથ્થો સીઝ કરી દીધો હતો. 


તેલના વેપારીઓ સામે થશે કાર્યવાહી


સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ફૂડ લેબૉરેટરીના રિપોર્ટમાં તેલના આ તમામ નમૂના ફેઇલ નીકળતાની સાથે જ નાની શાક માર્કેટમાંથી સિદ્ધિવિનાયક સિંગતેલ ડેપોની દુકાનમાંથી રિફાઇન્ડ કપાસીયા તેલ સીઝ કરવામાં આવ્યુ છે. ખોરાક શાખાની ટીમે લીધેલા આ નમુનાઓ ફેઇલ થયા છે.  ફૂડ લેબૉરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ નાની શાકમાર્કેટના સિદ્ધિવિનાયક સીંગતેલ ડેપો, અમરનાથ ટ્રેડિંગ કંપની અને કડક બજારમાં આવેલા શાહ કલ્યાણ પ્રસાદ ગ્યાસીરામ નામની દુકાનના વેપારીઓ સામે હવે કાર્યવાહી કરવામાં આવશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.