શિક્ષણમંત્રી કુબેર ડિંડોરની ટેટ ટાટ પાસ ઉમેદવારોને સ્પષ્ટ વાત 'જ્ઞાન સહાયકમાં ન જોડાવું હોય તો ઘરે બેસી રહો', VIDEO વાયરલ


  • Published By :
  • Published Date : 2023-09-10 18:47:24

જ્ઞાન સહાયક યોજના સામે હાલ ભાવિ શિક્ષકો વિરોધ નોંધાવી રહ્યા છે. અનેક નેતાઓ અને શિક્ષણ જગતના અધિકારીઓથી માંડીને મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સુધી તે રજૂઆત કરી ચૂક્યા છે. હાલ જ્ઞાન સહાયક વિરોધ શિક્ષકો સંતો મહંતો પાસે પણ પોતાની રજૂઆત લઈને પહોંચ્યા છે ત્યારે એક વીડિયો વાયરલ થયો છે. જ્ઞાન સહાયક ઉમેદવારો સાથે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં કુબેર ડિંડોરે ઉમેદવારોને શિક્ષક ભરતીને લઈ જવાબ આપ્યો હતો.ઉમેદવારો કાયમી ભરતી માટે ઉમેદવારો લડત ચલાવી રહ્યા છે.  આ બાબતે કુબેર ડિંડોરે કહ્યું હતું કે જ્ઞાન સહાયકમાં જેમને જોડાવું હોય તે જોડાઈ શકે છે. જો ન જોડાવું હોય તો ઘરે બેસી રહો, કાયમી ભરતી પણ કરવામાં આવશે. આ વીડિયોમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોએ ગુજરાતના શિક્ષણમંત્રીને ઘેરીને ઉભા છે અને તેમને રજૂઆત કરતા જોવા મળી રહ્યા છે.  


ઉમેદવારો રજુઆત કરવા પહોંચ્યા 


આજે ટેટ ટાટ પાસ ઉમેદવારો શિક્ષણમંત્રી કુબેર ડિંડોર પાસે પોતાની રજૂઆત લઈને ગયા હતા. એક બાજુ તેમને જ્ઞાન સહાયક યોજના સામે વાંધો છે અને બીજી બાજુ તેઓએ શિક્ષણમંત્રીને સવાલ કર્યો હતો કે તમે કાયમી ભરતી વિશે તો ત્રણ મહિનાથી વાત કરી રહ્યા છો અને અમે પણ ત્રણ મહિનાથી સાંભળી રહ્યા છીએ તો કાયમી ભરતી આવશે તો આવશે ક્યારે? વિદ્યાર્થીઓએ સવાલ કર્યો હતો કે કાયમી શિક્ષકો માટે પ્રવાસી શિક્ષકોની ભરતી બહાર પાડી હતી તો હવે તમારે જ્ઞાન સહાયક નામની પેટા વૈકલ્પિક તરીકે પાછી કેમ લાવવી પડી? વિદ્યાર્થીઓએ શિક્ષણમંત્રીને ઘેરીને રજૂઆત કરી હતી કે મહેકમ પ્રમાણે કાયમી ભરતી જાહેર કરો જો તમે એવું કરતા હો તો અમે ત્રણ ચાર મહિના પગર વગર પણ કામ કરવા તૈયાર છીએ, ત્યારે શિક્ષણમંત્રીનો જવાબ કંઈક આવો હતો. "ઘણા સમયથી ભરતી ન થઈ હોવાના કારણે શિક્ષણ વિભાગમાં હાલ કાયમી શિક્ષકોની અતિ જરૂર છે. તેની ઘટ પૂર કરવા માટે શિક્ષણ વિભાગ પ્રવાસી શિક્ષકો અને જ્ઞાન સહાયક જેવી ભરતી બહાર પાડી રહ્યા છે જેથી સરકારની તિજોરીમાં વધારે ભારણ ન પડે."  


ઉમેદવારો સાધુ-સંતોના શરણે 


શિક્ષણ વિભાગની જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરતા આંદોલનકારી ઉમેદવારો હવે સાધુ-સંતોના શરણે પહોંચ્યા છે. કાયમી શિક્ષકની ભરતી કરવા અને જ્ઞાન સહાયક યોજના રાજ્ય સરકાર રદ કરે તે માટે વિવિધ સ્થળે સાધુ-સંતોને મળીને ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ઉમેદવારોની માગણીને મોટાભાગના સાધુ-સંતો દ્વારા સમર્થન અપાયું છે અને સરકારે માગણી ધ્યાને લેવી જોઇએ તેમ જણાવ્યું હતું.  વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની આગેવાનીમાં તેમજ પોતાની રીતે પણ ઉમેદવારો રાજ્યમાં રજૂઆતો અને દેખાવો કરી રહ્યા છે. નડિયાદના સંતરામ મંદિરમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારો દ્વારા જ્ઞાન સહાયક રદ કરી શિક્ષકોની કાયમી ભરતી કરવા માગણી કરી આવેદન આપ્યું હતું. બનાસકાંઠામાં કટાવ મહંતને પણ રજૂઆત કરાઇ હતી. તે સાથે દેગમડા મહીસાગર ધામના સંતને આવેદન અપાયું હતું. શ્રી ભારતી આશ્રમ-સરખેજ ખાતે યુવરાજસિંહ જાડેજાએ સંત ઋષિ ભારતી બાપુને મળીને શિક્ષણમાં જ્ઞાન સહાયક પ્રોજેકટના કારણે કેટલું નુકસાન થઇ રહ્યું છે તેની જાણકારી આપી હતી. તે જ પ્રકારે વાવ-થરાદ પંથકના ઉમેદવારો દ્વારા ઢીમાના મહામંડલેશ્વર મહંત જાનકીદાસ બાપુને રજૂઆત કરાતા તેમણે પણ અલ્ટીમેટમ આપતા સરકારને રજૂઆત કરાશે તેમ કહ્યું હતું. થરા-કાંકરેજ ખાતે વાળીનાથ મહાદેવના શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત ઘનશ્યામપૂરીને યુવાઓએ પ્રશ્નોની રજૂઆત કરી હતી. 



શિક્ષણ વિભાગે બહાર પાડ્યો છે પરિપત્ર


શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક (માધ્યમિક)ની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. આ મામલે શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક) માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક (માધ્યમિક)ની જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. 


ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.