શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો વીડિયો, કેપ્શનમાં લખ્યું જન-જન છે મોદીનો પરિવાર, તો કમેન્ટમાં લોકોએ અરીસો બતાવી દીધો...!


  • Published By :
  • Published Date : 2024-03-19 15:33:25

લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી ગઈ છે. અનેક બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે અને અનેક બેઠકો માટે ઉમેદવારને જાહેર નથી કરવામાં આવ્યા. જેમ જેમ ચૂંટણીનો સમય નજીક આવશે તેમ તેમ ચૂંટણી પ્રચાર જોરશોરથી શરૂ કરવામાં આવશે. અલગ અલગ કેમ્પેઈન લોન્ચ કરવામાં આવશે. ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ દ્વારા મેં હું મોદી કા પરિવાર કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું છે. અલગ અલગ નેતાઓ અલગ અલગ વિધાનસભા બેઠકોની મુલાકાત લેશે વગેરે વગેરે.. આ બધા વચ્ચે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. વીડિયોની નીચે આપવામાં આવેલી કમેન્ટ જોવા જેવી છે..!

વિકાસની વાતો કરવામાં આવે છે પરંતુ... 

ગુજરાતને આપણે વિકાસશીલ રાજ્ય માનીએ છીએ. ગુજરાત વિકાસનો પર્યાય બની ગયો હોય તેવું સમગ્ર વિશ્વમાં પ્રસ્થાપિત કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. અનેક વખત એવી વાતો કરવામાં આવતી હોય છે કે ગામડાઓ સુધી પાકા રસ્તા પહોંચ્યા છે, શાળાઓએ છે, નળથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. શિક્ષણ લોકો સુધી પહોંચે છે સહિતની અનેક વાતો આપણે સાંભળી છે. વાત સાચી પણ, અનેક જગ્યાઓ પર વિકાસ થયો છે તેની ના નથી પરંતુ અનેક ગામડાઓ એવા છે જ્યાં હજી સુધી સારા રસ્તા નથી પહોંચી શક્યા. 



અંતરિયાળ વિસ્તારમાં હજી સુધી નથી પહોંચ્યો વિકાસ!

રાજ્યના અનેક અંતરિયાળ વિસ્તારો એવા છે જ્યાં સારા રસ્તા તો શું કાચા રસ્તા પણ નથી પહોંચ્યા. આજે પણ જો દર્દીને હોસ્પિટલ ખસેડવા હોય તો ઝોળીમાં તેમને લઈ જવા પડે છે. એવા અનેક દ્રશ્યો આપણી સામે છે. લોકસભા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા કેમ્પેઈન લોન્ચ કરવામાં  આવ્યું છે મોદીનો પરિવાર.. જે અંતર્ગત શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે એક જગ્યાની મુલાકાત લીધી. સોશિયલ મીડિયા પર તેમણે વીડિયો પણ પોસ્ટ કર્યો. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તે સારા કામો બતાવવાના પ્રયાસો કરી રહ્યા હતા પરંતુ ગુજરાતના અંતરિયાળ વિસ્તારની વાસ્તવિક પરિસ્થિતિને તે છુપાવી ના શક્યા!

કુબેર ડિંડોરે વીડિયો શેર કર્યો અને લોકો

વીડિયો શેર કર્યો તેની પર લોકોએ કમેન્ટ કરી છે. કોઈએ લખ્યું છે કે રોડ જોરદાર છે. તો કોઈએ કમેન્ટ કરી કે બોલો વીડિયોમાં કાચા રસ્તા દેખાય છે તોય વિકાસ વિકાસ કરે છે. તો કોઈએ લખ્યું સાહેબ આપનો જ વીડિયો બતાવે છે કે કેટલો વિકાસ થયો છે. રસ્તા નથી, સ્કુલ નથી આપના વીડિયોમાં બધુ દેખાઈ ગયું. થેંક્યું. શિક્ષણ મંત્રીના વીડિયોમાં કોઈએ શિક્ષકોને લઈ પણ કમેન્ટ કરી છે.        




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.