શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો વીડિયો, કેપ્શનમાં લખ્યું જન-જન છે મોદીનો પરિવાર, તો કમેન્ટમાં લોકોએ અરીસો બતાવી દીધો...!


  • Published By :
  • Published Date : 2024-03-19 15:33:25

લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી ગઈ છે. અનેક બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે અને અનેક બેઠકો માટે ઉમેદવારને જાહેર નથી કરવામાં આવ્યા. જેમ જેમ ચૂંટણીનો સમય નજીક આવશે તેમ તેમ ચૂંટણી પ્રચાર જોરશોરથી શરૂ કરવામાં આવશે. અલગ અલગ કેમ્પેઈન લોન્ચ કરવામાં આવશે. ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ દ્વારા મેં હું મોદી કા પરિવાર કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું છે. અલગ અલગ નેતાઓ અલગ અલગ વિધાનસભા બેઠકોની મુલાકાત લેશે વગેરે વગેરે.. આ બધા વચ્ચે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. વીડિયોની નીચે આપવામાં આવેલી કમેન્ટ જોવા જેવી છે..!

વિકાસની વાતો કરવામાં આવે છે પરંતુ... 

ગુજરાતને આપણે વિકાસશીલ રાજ્ય માનીએ છીએ. ગુજરાત વિકાસનો પર્યાય બની ગયો હોય તેવું સમગ્ર વિશ્વમાં પ્રસ્થાપિત કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. અનેક વખત એવી વાતો કરવામાં આવતી હોય છે કે ગામડાઓ સુધી પાકા રસ્તા પહોંચ્યા છે, શાળાઓએ છે, નળથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. શિક્ષણ લોકો સુધી પહોંચે છે સહિતની અનેક વાતો આપણે સાંભળી છે. વાત સાચી પણ, અનેક જગ્યાઓ પર વિકાસ થયો છે તેની ના નથી પરંતુ અનેક ગામડાઓ એવા છે જ્યાં હજી સુધી સારા રસ્તા નથી પહોંચી શક્યા. 



અંતરિયાળ વિસ્તારમાં હજી સુધી નથી પહોંચ્યો વિકાસ!

રાજ્યના અનેક અંતરિયાળ વિસ્તારો એવા છે જ્યાં સારા રસ્તા તો શું કાચા રસ્તા પણ નથી પહોંચ્યા. આજે પણ જો દર્દીને હોસ્પિટલ ખસેડવા હોય તો ઝોળીમાં તેમને લઈ જવા પડે છે. એવા અનેક દ્રશ્યો આપણી સામે છે. લોકસભા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા કેમ્પેઈન લોન્ચ કરવામાં  આવ્યું છે મોદીનો પરિવાર.. જે અંતર્ગત શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે એક જગ્યાની મુલાકાત લીધી. સોશિયલ મીડિયા પર તેમણે વીડિયો પણ પોસ્ટ કર્યો. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તે સારા કામો બતાવવાના પ્રયાસો કરી રહ્યા હતા પરંતુ ગુજરાતના અંતરિયાળ વિસ્તારની વાસ્તવિક પરિસ્થિતિને તે છુપાવી ના શક્યા!

કુબેર ડિંડોરે વીડિયો શેર કર્યો અને લોકો

વીડિયો શેર કર્યો તેની પર લોકોએ કમેન્ટ કરી છે. કોઈએ લખ્યું છે કે રોડ જોરદાર છે. તો કોઈએ કમેન્ટ કરી કે બોલો વીડિયોમાં કાચા રસ્તા દેખાય છે તોય વિકાસ વિકાસ કરે છે. તો કોઈએ લખ્યું સાહેબ આપનો જ વીડિયો બતાવે છે કે કેટલો વિકાસ થયો છે. રસ્તા નથી, સ્કુલ નથી આપના વીડિયોમાં બધુ દેખાઈ ગયું. થેંક્યું. શિક્ષણ મંત્રીના વીડિયોમાં કોઈએ શિક્ષકોને લઈ પણ કમેન્ટ કરી છે.        




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.