Gujaratના શિક્ષણ મંત્રી પાસે Heart Attackને કારણે કેટલા મોત થયા તેના આંકડા છે પરંતુ આરોગ્ય મંત્રી પાસે આનો આંકડો નથી!


  • Published By :
  • Published Date : 2023-12-02 18:30:36

હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના મોત થઈ રહ્યા છે. ગુજરાતમાં પણ અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. કોરોના બાદ તો હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ જાણે સામાન્ય બની ગયા હોય તેવું લાગે છે. પ્રતિદિન સરેરાશ બેથી ત્રણ લોકોના મોત થઈ રહ્યા છે. યુવાનોમાં હાર્ટ એટેકનો ખતરો સતત વધી રહ્યો છે. આ બધા વચ્ચે રાજ્યના બે મંત્રીઓના નિવેદન સામે આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 6 મહિનામાં 1052 લોકોના મોત થયા છે તેવું નિવેદન શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે આપ્યું છે. પરંતુ જ્યારે આ મામલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે મારી પાસે આવા કોઈ આંકડા નથી. 

રાજ્યભરમાં શિક્ષકોને અપાશે સીપીઆર ટ્રેનિંગ

કોરોના બાદ યુવાનોમાં હાર્ટ એટેકનો કિસ્સાઓ સતત વધી રહ્યા છે. નાની ઉંમરે યુવાનોના મોત હૃદયહુમલાને કારણે થઈ રહ્યા છે. પ્રતિદિન બે-ત્રણ લોકોના મોત સરેરાશ હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. યુવાનોમાં વધી રહેલા હાર્ટ એટેકને કારણે યુવાનોના જીવન પર સંકટ તોળાઈ રહ્યું છે. વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાનમાં રાખી શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આવતી કાલે આપવામાં આવશે. તે ઉપરાંત 17 ડિસેમ્બરે પણ આ ટ્રેનિંગ આપવામાં આવશે. લોકો હસતા રમતા મોતને ભેટી રહ્યા છે. હાર્ટ એટેકે સરકારની ચિંતા વધારી છે.        


6 મહિનામાં 1052 લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા!

CPRની તાલીમ આપવા માટેના કાર્યક્રમની જાહેરાત કરતા રાજ્યના શિક્ષણ મંત્રી કુંબેર ડિંડોરે કહ્યું હતું કે, ‘ગુજરાતમાં નાની ઉંમરમાં હાર્ટ એટેકના કેસો વધી રહ્યા છે અને યુવાનોના મૃત્યુ થઈ રહ્યા છે. છેલ્લા છ મહિનામાં 1,052 લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે, જેમાં 80% મૃતકોની ઉંમર 11થી 25 વર્ષ છે.’રાજ્યભરના બે લાખથી વધારે શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવશે. તે તમામ શિક્ષકોને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. રાજ્યમાં વધી રહેલા હાર્ટ એટેકના કેસ સામે સરકારનું આ પગલું ખૂબ જ મહત્વનું સાબિત થશે. 


ઋષિકેશ પટેલે આપ્યું શિક્ષણમંત્રીથી અલગ નિવેદન

એક તરફ શિક્ષણમંત્રીએ હાર્ટ એટેકને કારણે કેટલા લોકોના મોત થયા છે તેની જાણકારી આપી છે જ્યારે આ મામલે જ્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આવા કોઈ આંકડા તેમની પાસે આવ્યા નથી.  ઋષિકેશ પટેલે કહ્યું કે, હાર્ટ એટેક પહેલાં પણ આવતા હતા, પણ અત્યારે મીડિયા દ્વારા હાર્ટ એટેકની જાગૃતિ લાવવામાં આવી છે. આરોગ્ય વિભાગે પણ આની વિસ્તૃત માહિતી યુ.એન મહેતા હોસ્પિટલ દ્વારા જાહેર કરી હતી. હાર્ટ એટેક બાબતે આપણે ત્યાં જાગૃતિ આવી છે. આ બાબતને સરકાર સકારાત્મક રીતે જુએ છે.

 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી