દેશની એક લાખથી વધુ શાળામાં માત્ર 1 શિક્ષક, ડિજિટલ ઈન્ડિયાના દાવા પોકળ


  • Published By :
  • Published Date : 2023-02-21 18:14:39

દેશમાં શિક્ષણનું સ્તર સતત કથળી રહ્યું છે તેનું એક કારણ શાળાઓમાં શિક્ષકોની ઘટ પણ છે. દેશના ગરીબ રાજ્યોમાં તો શિક્ષણની સ્થિતી સૌથી ચિંતાજનક બની છે. કેન્દ્ર સરકારે 2023-24ના બજેટમાં શિક્ષણ ક્ષેત્ર માટે રૂ. 1.13 લાખ કરોડની ફાળવણી કરી હતી, જેમાં 2022-23ની સરખામણીમાં શાળાઓ અને ઉચ્ચ શિક્ષણ પરના અંદાજિત ખર્ચમાં 8.3 ટકાનો વધારો થયો હતો. પરંતુ તાજેતરમાં સંસદમાં પ્રશ્નોના જવાબમાં બહાર આવ્યું કે ભારતમાં શિક્ષણની સ્થિતિ હજુ પણ સારી નથી. તેમાં હજુ ઘણા સુધારાની જરૂર છે. વિદ્યાર્થી-શિક્ષક રેશિયો અને એકલ-શિક્ષક શાળાઓની સંખ્યા પ્રશિક્ષિત શિક્ષકોની અછતની ગંભીર સમસ્યા તરફ નિર્દેશ કરે છે. 


ગુજરાતમાં શિક્ષકોની ઘટ ચિંતાજનક


દેશમાં સૌથી ખરાબ વિદ્યાર્થી-શિક્ષક ગુણોત્તર ધરાવતા રાજ્યો સૌથી વધુ વસ્તી અથવા ઉચ્ચ વસ્તી ગીચતા ધરાવતા રાજ્યો છે. વિદ્યાર્થી-શિક્ષક રેશિયોની દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશ અને બિહાર બાદ ઝારખંડ, હરિયાણા અને ગુજરાતનો નંબર આવે છે. બિહારમાં તો 60 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ શિક્ષક છે, દેશના આ રાજ્યોમાં શિક્ષણનું સ્તર સૌથી ખરાબ સ્થિતિમાં છે. આ માત્ર દેશના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યો નથી, પણ સૌથી ગરીબ રાજ્યોમાં પણ છે. તેનાથી વિપરીત, ઓછી વસ્તીવાળા રાજ્યોમાં વિદ્યાર્થી-શિક્ષકનો ગુણોત્તર સારો છે. પરંતુ નીચા વિદ્યાર્થી-શિક્ષકનો ગુણોત્તર હોવા છતાં, હરિયાણા, પશ્ચિમ બંગાળ અને દિલ્હી જેવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સાક્ષરતા દર રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ છે.


ડિજિટલ ઈન્ડિયાની પોકળ વાતો


દેશભરમાં ડિજિટલ ઈન્ડિયાની વાતો ચાલી રહી છે ત્યારે લાખો શાળાઓ હજુ પણ ઈન્ટરનેટ કનેક્ટિવિટીથી દૂર છે. માત્ર દિલ્હી, પોડુંચેરી અને દિલ્હીની શાળાઓ 100 ટકા ઈન્ટરનેટની સુવિધા ધરાવે છે. તે સિવાયના રાજ્યોમાં વિદ્યાર્થીઓ માટે ઈન્ટરનેટની સુવિધા ઝાંઝવાના નીર જેવી છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.