દેશની એક લાખથી વધુ શાળામાં માત્ર 1 શિક્ષક, ડિજિટલ ઈન્ડિયાના દાવા પોકળ


  • Published By : Utpal Dave
  • Published Date : 2023-02-21 18:14:39

દેશમાં શિક્ષણનું સ્તર સતત કથળી રહ્યું છે તેનું એક કારણ શાળાઓમાં શિક્ષકોની ઘટ પણ છે. દેશના ગરીબ રાજ્યોમાં તો શિક્ષણની સ્થિતી સૌથી ચિંતાજનક બની છે. કેન્દ્ર સરકારે 2023-24ના બજેટમાં શિક્ષણ ક્ષેત્ર માટે રૂ. 1.13 લાખ કરોડની ફાળવણી કરી હતી, જેમાં 2022-23ની સરખામણીમાં શાળાઓ અને ઉચ્ચ શિક્ષણ પરના અંદાજિત ખર્ચમાં 8.3 ટકાનો વધારો થયો હતો. પરંતુ તાજેતરમાં સંસદમાં પ્રશ્નોના જવાબમાં બહાર આવ્યું કે ભારતમાં શિક્ષણની સ્થિતિ હજુ પણ સારી નથી. તેમાં હજુ ઘણા સુધારાની જરૂર છે. વિદ્યાર્થી-શિક્ષક રેશિયો અને એકલ-શિક્ષક શાળાઓની સંખ્યા પ્રશિક્ષિત શિક્ષકોની અછતની ગંભીર સમસ્યા તરફ નિર્દેશ કરે છે. 


ગુજરાતમાં શિક્ષકોની ઘટ ચિંતાજનક


દેશમાં સૌથી ખરાબ વિદ્યાર્થી-શિક્ષક ગુણોત્તર ધરાવતા રાજ્યો સૌથી વધુ વસ્તી અથવા ઉચ્ચ વસ્તી ગીચતા ધરાવતા રાજ્યો છે. વિદ્યાર્થી-શિક્ષક રેશિયોની દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશ અને બિહાર બાદ ઝારખંડ, હરિયાણા અને ગુજરાતનો નંબર આવે છે. બિહારમાં તો 60 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ શિક્ષક છે, દેશના આ રાજ્યોમાં શિક્ષણનું સ્તર સૌથી ખરાબ સ્થિતિમાં છે. આ માત્ર દેશના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યો નથી, પણ સૌથી ગરીબ રાજ્યોમાં પણ છે. તેનાથી વિપરીત, ઓછી વસ્તીવાળા રાજ્યોમાં વિદ્યાર્થી-શિક્ષકનો ગુણોત્તર સારો છે. પરંતુ નીચા વિદ્યાર્થી-શિક્ષકનો ગુણોત્તર હોવા છતાં, હરિયાણા, પશ્ચિમ બંગાળ અને દિલ્હી જેવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સાક્ષરતા દર રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ છે.


ડિજિટલ ઈન્ડિયાની પોકળ વાતો


દેશભરમાં ડિજિટલ ઈન્ડિયાની વાતો ચાલી રહી છે ત્યારે લાખો શાળાઓ હજુ પણ ઈન્ટરનેટ કનેક્ટિવિટીથી દૂર છે. માત્ર દિલ્હી, પોડુંચેરી અને દિલ્હીની શાળાઓ 100 ટકા ઈન્ટરનેટની સુવિધા ધરાવે છે. તે સિવાયના રાજ્યોમાં વિદ્યાર્થીઓ માટે ઈન્ટરનેટની સુવિધા ઝાંઝવાના નીર જેવી છે.



ગુજરાતમાં કોરોના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. શનિવારે કોરોનાના 372 નવા કેસ નોંધાયા છે. ફરી એક વખત અમદાવાદમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના 128 કેસ નોંધાયા છે. વડોદરા જિલ્લામાંથી 34, સુરત જિલ્લામાં 35 તેમજ રાજકોટથી 19 કેસ નોંધાયા છે. બનાસકાંઠા જિલ્લામાંથી 14 કેસ નોંધાયા છે. અમરેલી જિલ્લાથી 8 કેસ સામે આવ્યા છે.

દીકરીને ન્યાય મળે તે માટે સમાજ દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા પણ આ મામલે તપાસ ઝડપથી કરવામાં આવી હતી. શનિવારે પોલીસને મોટી સફળતા મળી છે જેમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મહારાષ્ટ્રથી આરોપીને દબોચી લીધો છે.

ગેરકાયદેસર રીતે કોઈપણ દેશમાં લોકો ઘૂસવાની કોશિષ કરતા હોય છે અને જીવન ગુમાવતા હોય છે. ત્યારે કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે બે પરિવારના આઠ સભ્યો મોતને ભેટ્યાં છે. મરનાર લોકોમાં એક પરિવાર ભારતનો હતો.

જયસુખ પટેલ જામીન માટે સતત અરજી કરી રહ્યા છે. આજે પણ જયસુખ પટેલે જામીન માટે અરજી કરી હતી પરંતુ તેમની અરજીને ફગાવી દેવામાં આવી છે. રેગ્યુલર જામીન માટે મોરબી સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી પરંતુ કોર્ટે અરજીને નામંજૂર કરી છે.