કાળઝાળ મોંઘવારીથી ત્રસ્ત લોકોને આ વર્ષે પણ નહીં મળે રાહત, અલ નીનોએ વધારી સરકારની ચિંતા, અલ નીનો શું છે? જાણો


  • Published By :
  • Published Date : 2023-06-19 17:30:47

દેશમાં રિટેલ મોંઘવારી મે મહિનામાં  ઘટીને 4.25 ટકા પર આવી ગઈ છે. એ જ રીતે, WPI (હોલસેલ) મોંઘવારી પણ મે મહિનામાં -3.48 ટકાના નીચા સ્તરે આવી ગઈ છે. RBIએ આશા વ્યક્ત કરી છે કે ભવિષ્યમાં મોંઘવારીનું વલણ નરમ રહેશે અને લોન સસ્તી થવાનો તબક્કો શરૂ થશે. RBIએ સતત બીજી વખત પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. એવું માનવામાં આવે છે કે રેપો રેટમાં ઘટાડો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે. જો કે RBI ગવર્નર શક્તિકાંત દાસનું કહેવું છે કે મોંઘવારીને લઈ ચિંતા અને અનિશ્ચિતતા હજુ પણ યથાવત છે. શું તમે જાણો છો RBIની આશંકા શું છે?


RBIની આશંકાનું કારણ શું છે?


ઈન્ડિયન ચેમ્બર ઓફ ફૂડ એન્ડ એગ્રીકલ્ચરના અધ્યક્ષ ડો.એમ.જે. ખાનનું કહેવું છે કે મોંઘવારી વધવા પાછળ RBIની આશંકા અલ નીનોને કારણે છે. અલ નીનોએ એક મોસમી ઘટના છે જે પૃથ્વીને ગરમ કરે છે. તેના કારણે વરસાદ ઓછો પડશે, દુષ્કાળ પણ પડી શકે છે. હવામાનમાં જબરદસ્ત ફેરફારો જોવા મળશે. આવી સ્થિતિમાં ખરીફ પાકોના ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના છે. ચોખા, ખાંડ અને કઠોળના ઉત્પાદન પર ભારે ફટકો પડી શકે છે. કોમોડિટી માર્કેટના નિષ્ણાત એસ. કે. સુરેશનું કહવું છે કે અલ નીનો ખરીફ પાક પર ખરાબ અસર કરી શકે છે. જો અલ નીનોની અસરથી વરસાદમાં ઘટાડો કરે અને જમીન ગરમ થઈ તો ચોખા, મકાઈ, જુવાર, બાજરી, મગફળી, શેરડી, સોયાબીનની સાથે-સાથે ભીંડા અને ગુવારની કળીની સાથે ડુંગળીના ઉત્પાદનને અસર થવાની આશંકા છે. શેરડીનું ઉત્પાદન ઘટ્યું તો તેના કારણે ખાંડનું પણ ઉત્પાદન ઓછું થશે.હવે જ્યારે તહેવારોની સિઝન શરૂ થવાની છે ત્યારે દેશમાં ખાદ્ય પદાર્થોની માંગ વધશે. સ્થાનિક માંગ વધી અમે ઉત્પાદન પણ ઘટ્યું તેમાં પણ જો વૈશ્વિક સ્તરે આયાત મોંઘી થઈ તો કેન્દ્ર સરકારની હાલત કફોડી થઈ શકે છે. આ જ કારણ છે કે RBI રેટ કટને લઈને ખૂબ જ સાવધાનીપૂર્વક આગળ વધી રહી છે. તે વધતી મોંઘવારીથી ચિંતિત છે.


સરકારની મજબૂરી શું છે?


હાલમાં સરકાર ઘઉં, ચોખા અને દાળના ભાવ ઘટાડવા માટે તમામ મોરચે લડત ચલાવી રહી છે. બજારમાં અનાજનો પુરવઠો વધારવા માટે સરકારે સ્ટોક લિમિટ જેવા પગલા લીધા છે. પરંતુ પડકારો ઓછા થતા નથી. ઘઉં અને ચોખાના ભાવમાં 5 થી 6 ટકાનો વધારો થયો છે. વટાણા અને અડદની દાળમાં 8 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. 10 જૂને ચોખાની સરેરાશ કિંમત 40 રૂપિયા હતી, જે ગયા વર્ષની સરખામણીમાં 8 ટકા વધુ છે. હાલમાં સરકારી સ્ટોરેજમાં લગભગ 80 મેટ્રિક ટન ચોખા છે. આ સાથે, જ સરકારે રાશનની દુકાનોમાં પણ સપ્લાય કરવાની છે.


આ પરિસ્થિતિનો સામનો કરવા માટે સરકારે ચોખા અને ઘઉંને ખુલ્લા બજારમાં વેચવાનો નિર્ણય લીધો છે. પરંતુ, આનાથી મોંઘવારી કેવી રીતે અને કેટલી હદે અટકશે, તે જોવાનું રહ્યું. નિષ્ણાતોનું માનવું છે કે RBIની વાત સાચી છે કે મોંઘવારી વધવાનો ભય છે. સરકારના પ્રયાસો અને પગલાં મોંઘવારી વધતા કેટલાં હદ સુધી રોકી શકે છે તેના પર સૌની નજર છે.


અલ નિનો શું છે?


દરિયા કિનારે ગરમ થવાની ઘટનાને અલ-નીનો (El Nino) કહેવામાં આવે છે. તેને વધુ સરળ રીતે કહીએ તો, સમુદ્રના તાપમાન અને વાતાવરણની સ્થિતિમાં ફેરફારને કારણે અલ નીનોની સ્થિતિ ઊભી થાય છે. જ્યારે અલ નીનો થાય છે, ત્યારે દરિયાની સપાટીનું તાપમાન સામાન્ય કરતા 4 થી 5 ડિગ્રી વધારે થઈ જાય છે. જે વર્ષે અલ નિનો આવે છે, તે સમયે વિનાશક પૂર, પાકનો નાશ, દુષ્કાળ, માછલીઓમાં ઘટાડો અને ઉષ્ણકટિબંધીય રોગોમાં વધારો જેવી સમસ્યાઓ હોય છે, જેના કારણે નાણાંનું દબાણ વધે છે અને અર્થવ્યવસ્થાને અસર થાય છે. અલ નીનો સાયન્સ જર્નલમાં પ્રકાશિત એક સંશોધનમાં ચેતવણી આપવામાં આવી છે કે અલ નીનોના આગમનને કારણે વિશ્વની $3 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા ખતમ થઈ શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે ભારત સહિત અનેક દેશોમાં દુષ્કાળની સ્થિતિ સર્જાઈ રહી છે.



ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."