કાળઝાળ મોંઘવારીથી ત્રસ્ત લોકોને આ વર્ષે પણ નહીં મળે રાહત, અલ નીનોએ વધારી સરકારની ચિંતા, અલ નીનો શું છે? જાણો


  • Published By :
  • Published Date : 2023-06-19 17:30:47

દેશમાં રિટેલ મોંઘવારી મે મહિનામાં  ઘટીને 4.25 ટકા પર આવી ગઈ છે. એ જ રીતે, WPI (હોલસેલ) મોંઘવારી પણ મે મહિનામાં -3.48 ટકાના નીચા સ્તરે આવી ગઈ છે. RBIએ આશા વ્યક્ત કરી છે કે ભવિષ્યમાં મોંઘવારીનું વલણ નરમ રહેશે અને લોન સસ્તી થવાનો તબક્કો શરૂ થશે. RBIએ સતત બીજી વખત પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. એવું માનવામાં આવે છે કે રેપો રેટમાં ઘટાડો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે. જો કે RBI ગવર્નર શક્તિકાંત દાસનું કહેવું છે કે મોંઘવારીને લઈ ચિંતા અને અનિશ્ચિતતા હજુ પણ યથાવત છે. શું તમે જાણો છો RBIની આશંકા શું છે?


RBIની આશંકાનું કારણ શું છે?


ઈન્ડિયન ચેમ્બર ઓફ ફૂડ એન્ડ એગ્રીકલ્ચરના અધ્યક્ષ ડો.એમ.જે. ખાનનું કહેવું છે કે મોંઘવારી વધવા પાછળ RBIની આશંકા અલ નીનોને કારણે છે. અલ નીનોએ એક મોસમી ઘટના છે જે પૃથ્વીને ગરમ કરે છે. તેના કારણે વરસાદ ઓછો પડશે, દુષ્કાળ પણ પડી શકે છે. હવામાનમાં જબરદસ્ત ફેરફારો જોવા મળશે. આવી સ્થિતિમાં ખરીફ પાકોના ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના છે. ચોખા, ખાંડ અને કઠોળના ઉત્પાદન પર ભારે ફટકો પડી શકે છે. કોમોડિટી માર્કેટના નિષ્ણાત એસ. કે. સુરેશનું કહવું છે કે અલ નીનો ખરીફ પાક પર ખરાબ અસર કરી શકે છે. જો અલ નીનોની અસરથી વરસાદમાં ઘટાડો કરે અને જમીન ગરમ થઈ તો ચોખા, મકાઈ, જુવાર, બાજરી, મગફળી, શેરડી, સોયાબીનની સાથે-સાથે ભીંડા અને ગુવારની કળીની સાથે ડુંગળીના ઉત્પાદનને અસર થવાની આશંકા છે. શેરડીનું ઉત્પાદન ઘટ્યું તો તેના કારણે ખાંડનું પણ ઉત્પાદન ઓછું થશે.હવે જ્યારે તહેવારોની સિઝન શરૂ થવાની છે ત્યારે દેશમાં ખાદ્ય પદાર્થોની માંગ વધશે. સ્થાનિક માંગ વધી અમે ઉત્પાદન પણ ઘટ્યું તેમાં પણ જો વૈશ્વિક સ્તરે આયાત મોંઘી થઈ તો કેન્દ્ર સરકારની હાલત કફોડી થઈ શકે છે. આ જ કારણ છે કે RBI રેટ કટને લઈને ખૂબ જ સાવધાનીપૂર્વક આગળ વધી રહી છે. તે વધતી મોંઘવારીથી ચિંતિત છે.


સરકારની મજબૂરી શું છે?


હાલમાં સરકાર ઘઉં, ચોખા અને દાળના ભાવ ઘટાડવા માટે તમામ મોરચે લડત ચલાવી રહી છે. બજારમાં અનાજનો પુરવઠો વધારવા માટે સરકારે સ્ટોક લિમિટ જેવા પગલા લીધા છે. પરંતુ પડકારો ઓછા થતા નથી. ઘઉં અને ચોખાના ભાવમાં 5 થી 6 ટકાનો વધારો થયો છે. વટાણા અને અડદની દાળમાં 8 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. 10 જૂને ચોખાની સરેરાશ કિંમત 40 રૂપિયા હતી, જે ગયા વર્ષની સરખામણીમાં 8 ટકા વધુ છે. હાલમાં સરકારી સ્ટોરેજમાં લગભગ 80 મેટ્રિક ટન ચોખા છે. આ સાથે, જ સરકારે રાશનની દુકાનોમાં પણ સપ્લાય કરવાની છે.


આ પરિસ્થિતિનો સામનો કરવા માટે સરકારે ચોખા અને ઘઉંને ખુલ્લા બજારમાં વેચવાનો નિર્ણય લીધો છે. પરંતુ, આનાથી મોંઘવારી કેવી રીતે અને કેટલી હદે અટકશે, તે જોવાનું રહ્યું. નિષ્ણાતોનું માનવું છે કે RBIની વાત સાચી છે કે મોંઘવારી વધવાનો ભય છે. સરકારના પ્રયાસો અને પગલાં મોંઘવારી વધતા કેટલાં હદ સુધી રોકી શકે છે તેના પર સૌની નજર છે.


અલ નિનો શું છે?


દરિયા કિનારે ગરમ થવાની ઘટનાને અલ-નીનો (El Nino) કહેવામાં આવે છે. તેને વધુ સરળ રીતે કહીએ તો, સમુદ્રના તાપમાન અને વાતાવરણની સ્થિતિમાં ફેરફારને કારણે અલ નીનોની સ્થિતિ ઊભી થાય છે. જ્યારે અલ નીનો થાય છે, ત્યારે દરિયાની સપાટીનું તાપમાન સામાન્ય કરતા 4 થી 5 ડિગ્રી વધારે થઈ જાય છે. જે વર્ષે અલ નિનો આવે છે, તે સમયે વિનાશક પૂર, પાકનો નાશ, દુષ્કાળ, માછલીઓમાં ઘટાડો અને ઉષ્ણકટિબંધીય રોગોમાં વધારો જેવી સમસ્યાઓ હોય છે, જેના કારણે નાણાંનું દબાણ વધે છે અને અર્થવ્યવસ્થાને અસર થાય છે. અલ નીનો સાયન્સ જર્નલમાં પ્રકાશિત એક સંશોધનમાં ચેતવણી આપવામાં આવી છે કે અલ નીનોના આગમનને કારણે વિશ્વની $3 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા ખતમ થઈ શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે ભારત સહિત અનેક દેશોમાં દુષ્કાળની સ્થિતિ સર્જાઈ રહી છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.