કાળઝાળ મોંઘવારીથી ત્રસ્ત લોકોને આ વર્ષે પણ નહીં મળે રાહત, અલ નીનોએ વધારી સરકારની ચિંતા, અલ નીનો શું છે? જાણો


  • Published By :
  • Published Date : 2023-06-19 17:30:47

દેશમાં રિટેલ મોંઘવારી મે મહિનામાં  ઘટીને 4.25 ટકા પર આવી ગઈ છે. એ જ રીતે, WPI (હોલસેલ) મોંઘવારી પણ મે મહિનામાં -3.48 ટકાના નીચા સ્તરે આવી ગઈ છે. RBIએ આશા વ્યક્ત કરી છે કે ભવિષ્યમાં મોંઘવારીનું વલણ નરમ રહેશે અને લોન સસ્તી થવાનો તબક્કો શરૂ થશે. RBIએ સતત બીજી વખત પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. એવું માનવામાં આવે છે કે રેપો રેટમાં ઘટાડો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે. જો કે RBI ગવર્નર શક્તિકાંત દાસનું કહેવું છે કે મોંઘવારીને લઈ ચિંતા અને અનિશ્ચિતતા હજુ પણ યથાવત છે. શું તમે જાણો છો RBIની આશંકા શું છે?


RBIની આશંકાનું કારણ શું છે?


ઈન્ડિયન ચેમ્બર ઓફ ફૂડ એન્ડ એગ્રીકલ્ચરના અધ્યક્ષ ડો.એમ.જે. ખાનનું કહેવું છે કે મોંઘવારી વધવા પાછળ RBIની આશંકા અલ નીનોને કારણે છે. અલ નીનોએ એક મોસમી ઘટના છે જે પૃથ્વીને ગરમ કરે છે. તેના કારણે વરસાદ ઓછો પડશે, દુષ્કાળ પણ પડી શકે છે. હવામાનમાં જબરદસ્ત ફેરફારો જોવા મળશે. આવી સ્થિતિમાં ખરીફ પાકોના ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના છે. ચોખા, ખાંડ અને કઠોળના ઉત્પાદન પર ભારે ફટકો પડી શકે છે. કોમોડિટી માર્કેટના નિષ્ણાત એસ. કે. સુરેશનું કહવું છે કે અલ નીનો ખરીફ પાક પર ખરાબ અસર કરી શકે છે. જો અલ નીનોની અસરથી વરસાદમાં ઘટાડો કરે અને જમીન ગરમ થઈ તો ચોખા, મકાઈ, જુવાર, બાજરી, મગફળી, શેરડી, સોયાબીનની સાથે-સાથે ભીંડા અને ગુવારની કળીની સાથે ડુંગળીના ઉત્પાદનને અસર થવાની આશંકા છે. શેરડીનું ઉત્પાદન ઘટ્યું તો તેના કારણે ખાંડનું પણ ઉત્પાદન ઓછું થશે.હવે જ્યારે તહેવારોની સિઝન શરૂ થવાની છે ત્યારે દેશમાં ખાદ્ય પદાર્થોની માંગ વધશે. સ્થાનિક માંગ વધી અમે ઉત્પાદન પણ ઘટ્યું તેમાં પણ જો વૈશ્વિક સ્તરે આયાત મોંઘી થઈ તો કેન્દ્ર સરકારની હાલત કફોડી થઈ શકે છે. આ જ કારણ છે કે RBI રેટ કટને લઈને ખૂબ જ સાવધાનીપૂર્વક આગળ વધી રહી છે. તે વધતી મોંઘવારીથી ચિંતિત છે.


સરકારની મજબૂરી શું છે?


હાલમાં સરકાર ઘઉં, ચોખા અને દાળના ભાવ ઘટાડવા માટે તમામ મોરચે લડત ચલાવી રહી છે. બજારમાં અનાજનો પુરવઠો વધારવા માટે સરકારે સ્ટોક લિમિટ જેવા પગલા લીધા છે. પરંતુ પડકારો ઓછા થતા નથી. ઘઉં અને ચોખાના ભાવમાં 5 થી 6 ટકાનો વધારો થયો છે. વટાણા અને અડદની દાળમાં 8 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. 10 જૂને ચોખાની સરેરાશ કિંમત 40 રૂપિયા હતી, જે ગયા વર્ષની સરખામણીમાં 8 ટકા વધુ છે. હાલમાં સરકારી સ્ટોરેજમાં લગભગ 80 મેટ્રિક ટન ચોખા છે. આ સાથે, જ સરકારે રાશનની દુકાનોમાં પણ સપ્લાય કરવાની છે.


આ પરિસ્થિતિનો સામનો કરવા માટે સરકારે ચોખા અને ઘઉંને ખુલ્લા બજારમાં વેચવાનો નિર્ણય લીધો છે. પરંતુ, આનાથી મોંઘવારી કેવી રીતે અને કેટલી હદે અટકશે, તે જોવાનું રહ્યું. નિષ્ણાતોનું માનવું છે કે RBIની વાત સાચી છે કે મોંઘવારી વધવાનો ભય છે. સરકારના પ્રયાસો અને પગલાં મોંઘવારી વધતા કેટલાં હદ સુધી રોકી શકે છે તેના પર સૌની નજર છે.


અલ નિનો શું છે?


દરિયા કિનારે ગરમ થવાની ઘટનાને અલ-નીનો (El Nino) કહેવામાં આવે છે. તેને વધુ સરળ રીતે કહીએ તો, સમુદ્રના તાપમાન અને વાતાવરણની સ્થિતિમાં ફેરફારને કારણે અલ નીનોની સ્થિતિ ઊભી થાય છે. જ્યારે અલ નીનો થાય છે, ત્યારે દરિયાની સપાટીનું તાપમાન સામાન્ય કરતા 4 થી 5 ડિગ્રી વધારે થઈ જાય છે. જે વર્ષે અલ નિનો આવે છે, તે સમયે વિનાશક પૂર, પાકનો નાશ, દુષ્કાળ, માછલીઓમાં ઘટાડો અને ઉષ્ણકટિબંધીય રોગોમાં વધારો જેવી સમસ્યાઓ હોય છે, જેના કારણે નાણાંનું દબાણ વધે છે અને અર્થવ્યવસ્થાને અસર થાય છે. અલ નીનો સાયન્સ જર્નલમાં પ્રકાશિત એક સંશોધનમાં ચેતવણી આપવામાં આવી છે કે અલ નીનોના આગમનને કારણે વિશ્વની $3 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા ખતમ થઈ શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે ભારત સહિત અનેક દેશોમાં દુષ્કાળની સ્થિતિ સર્જાઈ રહી છે.



રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.