અદાણીના શંકાસ્પદ પાર્ટનર 'ઇલારા ફંડ' ને લઈ થયો આ ચોંકાવનારો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-03-16 14:09:05

હિંડનબર્ગ રિપોર્ટ વિવાદ હજુ શમ્યો નથી ત્યાં ગૌતમ અદાણી હવે વધુ એક વિવાદમાં ફસાયા છે. દેશના એક જાણીતા અખબારે અદાણી જૂથને લઈ એક ચોંકાવનારા રિપોર્ટ આપ્યો છે. રિપોર્ટ મુજબ અદાણી જૂથની દેશની સુરક્ષા માટે સેનાને શસ્ત્રો અને અન્ય ઇકવીપમેન્ટ પુરા પાડતી કંપની અદાણી ડીફેન્સ સીસ્ટમ એન્ડ ટેકનોલોજીમાં ટેક્સ હેવન મોરેશિયસ સ્થિત ઈલારા ઇન્ડિયા ઓપર્ચ્યુંનીટી ફંડ્સ ભાગીદાર હોવાનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. 


હિંડેનબર્ગે પણ કર્યો હતો પર્દાફાસ


મોરેશિયસ સ્થિત આ ઈલારા કેપિટલ અદાણી જૂથની દરેક કંપનીઓમાં શેર હિસ્સો ધરાવે છે અને અહીં તેને ભાગીદાર નહીં પણ વિદેશી ફંડ્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલું જ નહી હિન્ડેનબર્ગના તા. 24 જાન્યુઆરીના રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ઈલારા ફંડ્સનો ઉપયોગ અદાણીના માલિકો દ્વારા શેરનું પાર્કિંગ અને હેરફેર કરવા માટે પણ કરવામાં આવે છે. ઈલારા કેપિટલનો ઉપયોગ અદાણી જૂથની ભારતમાં લીસ્ટેડ કંપનીઓના શેરના ભાવ ઊંચા લઇ જવા માટે થાય છે. 


અદાણી ગ્રુપને મળ્યો છે મોટો ડિફેન્સ કોન્ટ્રાક્ટ


ઈલારાની અદાણી ગ્રુપ સાથેની ગુપ્ત સાંઠગાંઠના કારણે દેશની સુરક્ષા સામે પણ જોખમ ઉભું થઇ શકે એવી સ્થિતિ ઉભી થઇ છે. અદાણી ગ્રુપની એક અનલિસ્ટેડ કંપની અદાણી ડીફેન્સને મીગ 29 વિમાન માટે સ્ટીમ્યુલેટર બનાવવાનો કોન્ટ્રાકટ મળેલો છે. તાજેતરમાં જ આ કંપનીને આર્મી માટે લાઈટવેટ રેડિયો રીલે તેમજ એર ડીફેન્સમાં વપરાતા ફાયર ડીફેન્સ બનાવવાનો કોન્ટ્રાકટ પણ મળેલો છે. 


આલ્ફા ડીઝાઇનમાં અદાણી ગ્રુપનો 26 ટકા હિસ્સો 


અદાણી જૂથની પેટા કંપની અદાણી ડીફેન્સ બેંગ્લોર સ્થિત આલ્ફા ડીઝાઇન ટેકનોલોજી પ્રાઈવેટ લીમીટેડમાં 26 ટકા હિસ્સો ધરાવે છે. આ કંપનીને પીચોરા મિસાઈલ અને રડાર સીસ્ટમ માટેનો રૂ.560 કરોડનો ઓર્ડર મળે છે. એટલું જ નહી વર્ષ 2003થી આ કંપની ઈસરો અને ડીફેન્સ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન સાથે કામ કરી રહી છે. બેંગ્લોરની આ કંપનીમાં અદાણી જુથે 26 ટકા હિસ્સો 2018માં ખરીદ્યો હતો તેની સાથે ઈલારા ઇન્ડિયા ફંડે પણ 0.53 ટકાનો હિસ્સો ખરીદ્યો હતો. આલ્ફા ડીઝાઇનના સૌથી મોટા શેરહોલ્ડર તરીકે વસાકા પ્રમોટર એન્ડ ડેવલપરનું નામ છે. પણ વસાકાના 44.03 ટકા શેર ફરી ઈલારા પાસે છે અને ઈલારા વસાકામાં સૌથી મોટો શેરહોલ્ડર છે. એટલે કે પરોક્ષ રીતે ઈલારા ફંડ જ આલ્ફા ડીઝાઇનમાં માલિક છે અને અદાણી ડીફેન્સનું ભાગીદાર છે. 


ઇલારા IOFનો વસાકામાં 44.3 ટકા હિસ્સો


આલ્ફા ડિઝાઈન ટેકનોલોજીસ પ્રાઈવેટ લિમિટેડ (ADTPL) ફાઇલિંગ દર્શાવે છે કે તે વસાકા પ્રમોટર્સ એન્ડ ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડની માલિકીની છે. જો કે, ઇલારા IOF એ 44.3 ટકા હિસ્સા સાથે વસાકાની એકમાત્ર સૌથી મોટી શેરહોલ્ડર છે. 2020-21 માટે ADTPL વાર્ષિક રિપોર્ટમાં, કંપનીએ જણાવ્યું હતું કે, "કંપની શેરહોલ્ડિંગના આધારે Vasaka Promoters & Developers Pvt Ltd ની પેટાકંપની છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સની રચના પર નિયંત્રણના આધારે કંપની અદાણી ડિફેન્સ સિસ્ટમ્સ એન્ડ ટેક્નોલોજીસ લિમિટેડની પેટાકંપની છે."


અદાણી ગ્રુપમાં ઈલારા મોટું ભાગીદાર 


ઈલારા કેપિટલ અદાણી ગ્રુપની કંપનીઓમાં મોટો શેર હિસ્સો ધરાવે છે. રિપોર્ટ દર્શાવે છે કે ગ્રુપની ત્રણ કંપનીઓમાં તેનું હોલ્ડિંગ રૂ. 9,000 કરોડ જેટલું છે. ડિસેમ્બર 2022 સુધીમાં તે તેના કુલ ભંડોળના 96 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. તે અદાણી એન્ટરપ્રાઇઝમાં 1.6 ટકા, અદાણી ટ્રાન્સમિશનમાં 3.62 ટકા અને અદાણી ટોટલમાં 1.62 ટકા હિસ્સો ધરાવે છે. તે ઉપરાંત તે અદાણી પોર્ટ્સ અને અદાણી ગ્રીનમાં પણ હિસ્સો ધરાવે છે.


રાહુલ ગાધીએ કર્યુ ટ્વીટ 


ઈલારા માત્ર શેરહોલ્ડર જ નહી અદાણી ડીફેન્સમાં ગૌતમ અદાણી જૂથ સાથે માલિકીમાં ભાગીદાર હોવાના અહેવાલ પછી વિરોધ પક્ષોએ કેન્દ્ર સરકારની નીતિની આકરી ટીકા કરી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ એક ટ્વીટ કરી સવાલ ઉભો કર્યો છે કે દેશની મિસાઈલ અને રડાર સીસ્ટમને આધુનિક બનાવવાનો કરાર એક એવી વિદેશી કંપનીને આપવામાં આવ્યો છે કે જેનું અસ્તિત્વ શંકાના દાયરામાં છે. જેની ઓળખની જાણ નથી એવી વિદેશી કંપનીને કોન્ટ્રાકટ આપી દેશની રાષ્ટ્રીય સુરક્ષા કેમ જોખમમાં મુકવામાં આવી રહી છે એમ પણ ગાંધીએ ઉમેર્યું છે. 



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.