રાજકોટ, કલોલના અનેક વિસ્તારોમાં લાગ્યા ચૂંટણી બહિષ્કારના પોસ્ટર


  • Published By :
  • Published Date : 2022-11-13 10:28:22

ગણતરીના દિવસો બાદ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. દરેક રાજકીય પાર્ટી જીત  માટે તનતોડ મહેનત કરી રહી છે. મતદારોને રિઝવવા અનેક વચનો આપવામાં આવી રહ્યા છે. પરંતુ અનેક સ્થળો પર ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે. 2017માં મતદોરને મળેલા વચનો 2022 સુધી પૂર્ણ ન થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ઠેર-ઠેર બેનરો લગાવવામાં આવ્યા છે. કલોલ ખાતે પણ સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી ઉપરાંત રાજકોટ ખાતે પણ આવા બેનરો લાગેલા નજરે પડ્યા છે. 


પ્રાથમિક સુવિધાઓ ન મળવાથી સ્થાનિકો નારાજ

ચૂંટણી સમયે પાર્ટી દ્વારા અનેક વાયદાઓ કરવામાં આવે છે. પરંતુ ચૂંટણી જીત્યા બાદ તમામ વાયદાઓ ભૂલાઈ જતા હોય છે. અનેક જગ્યાઓ પર પ્રાથમિક સુવિધા ન હોવાને કારણે લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠતો હોય છે. આવો જ રોષ કલોલમાં આવેલ મંગળ ગિરધર પ્રેસના રહેવાસીઓમાં જોવા મળ્યો હતો. અનેક રજૂઆત કરવા છતાં પણ પ્રાથમિક સુવિધા માટે તેઓ ઝઝૂમી રહ્યા છે. નગરપાલિકાને અનેક વખત રજૂઆત કરવા છતાંય સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. અનેક સોસાયટીમાં ગંદુ પાણી આવે છે તેમજ લાઈટોનો અભાવ પણ જોવા મળે છે તેને કારણે લોકોએ આ વખતે મતદાન ન કરવાની ચીમકી ઉચ્ચારી છે. 


બેનરો લગાવી ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી 

ઉપરાંત આવો જ રોષ રાજકોટના સ્થાનિકોમાં પણ જોવા મળ્યો. રાજકોટના જસદણમાં વિછીયા રોડ પર આવેલી સોસાયટીમાં પણ સ્થાનિકોએ બેનર લગાવી પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. વોટ માગવા માટે કોઈએ આવું નહીં તેવા બેનરો લગાડવામાં આવ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા ઘણાં સમયથી તેઓ પ્રાથમિક સુવિધા માટે તંત્રને રજૂઆત કરી રહ્યા છે પરંતુ કોઈ ઉકેલ નથી આવ્યો. જેને કારણે ત્યાંના સ્થાનિકોએ પણ ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે.

It's no way just BJP vs Congress as regional satraps dominate India's  political landscape - Opinions & Blogs News

રાજકીય પાર્ટીની ચિંતામાં વધારો  

ચૂંટણી સમયે આવા બેનરો લાગવાથી રાજકીય પાર્ટીઓ માટે ચિંતાનો વિષય બની ગયો છે. સ્થાનિકો પણ પોતાની વાતને લઈ મક્કમ છે કારણ કે ચૂંટણી સમયે જ તેમની સમસ્યા પર ધ્યાન આપવામાં આવતું હોય છે. જો તેમની સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો સ્થાનિકો ચૂંટણીનો બહિષ્કાર કરી શકે છે.  




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.