રાજકોટ, કલોલના અનેક વિસ્તારોમાં લાગ્યા ચૂંટણી બહિષ્કારના પોસ્ટર


  • Published By :
  • Published Date : 2022-11-13 10:28:22

ગણતરીના દિવસો બાદ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. દરેક રાજકીય પાર્ટી જીત  માટે તનતોડ મહેનત કરી રહી છે. મતદારોને રિઝવવા અનેક વચનો આપવામાં આવી રહ્યા છે. પરંતુ અનેક સ્થળો પર ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે. 2017માં મતદોરને મળેલા વચનો 2022 સુધી પૂર્ણ ન થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ઠેર-ઠેર બેનરો લગાવવામાં આવ્યા છે. કલોલ ખાતે પણ સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી ઉપરાંત રાજકોટ ખાતે પણ આવા બેનરો લાગેલા નજરે પડ્યા છે. 


પ્રાથમિક સુવિધાઓ ન મળવાથી સ્થાનિકો નારાજ

ચૂંટણી સમયે પાર્ટી દ્વારા અનેક વાયદાઓ કરવામાં આવે છે. પરંતુ ચૂંટણી જીત્યા બાદ તમામ વાયદાઓ ભૂલાઈ જતા હોય છે. અનેક જગ્યાઓ પર પ્રાથમિક સુવિધા ન હોવાને કારણે લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠતો હોય છે. આવો જ રોષ કલોલમાં આવેલ મંગળ ગિરધર પ્રેસના રહેવાસીઓમાં જોવા મળ્યો હતો. અનેક રજૂઆત કરવા છતાં પણ પ્રાથમિક સુવિધા માટે તેઓ ઝઝૂમી રહ્યા છે. નગરપાલિકાને અનેક વખત રજૂઆત કરવા છતાંય સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. અનેક સોસાયટીમાં ગંદુ પાણી આવે છે તેમજ લાઈટોનો અભાવ પણ જોવા મળે છે તેને કારણે લોકોએ આ વખતે મતદાન ન કરવાની ચીમકી ઉચ્ચારી છે. 


બેનરો લગાવી ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી 

ઉપરાંત આવો જ રોષ રાજકોટના સ્થાનિકોમાં પણ જોવા મળ્યો. રાજકોટના જસદણમાં વિછીયા રોડ પર આવેલી સોસાયટીમાં પણ સ્થાનિકોએ બેનર લગાવી પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. વોટ માગવા માટે કોઈએ આવું નહીં તેવા બેનરો લગાડવામાં આવ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા ઘણાં સમયથી તેઓ પ્રાથમિક સુવિધા માટે તંત્રને રજૂઆત કરી રહ્યા છે પરંતુ કોઈ ઉકેલ નથી આવ્યો. જેને કારણે ત્યાંના સ્થાનિકોએ પણ ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે.

It's no way just BJP vs Congress as regional satraps dominate India's  political landscape - Opinions & Blogs News

રાજકીય પાર્ટીની ચિંતામાં વધારો  

ચૂંટણી સમયે આવા બેનરો લાગવાથી રાજકીય પાર્ટીઓ માટે ચિંતાનો વિષય બની ગયો છે. સ્થાનિકો પણ પોતાની વાતને લઈ મક્કમ છે કારણ કે ચૂંટણી સમયે જ તેમની સમસ્યા પર ધ્યાન આપવામાં આવતું હોય છે. જો તેમની સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો સ્થાનિકો ચૂંટણીનો બહિષ્કાર કરી શકે છે.  




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.