રાજકોટ, કલોલના અનેક વિસ્તારોમાં લાગ્યા ચૂંટણી બહિષ્કારના પોસ્ટર


  • Published By :
  • Published Date : 2022-11-13 10:28:22

ગણતરીના દિવસો બાદ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. દરેક રાજકીય પાર્ટી જીત  માટે તનતોડ મહેનત કરી રહી છે. મતદારોને રિઝવવા અનેક વચનો આપવામાં આવી રહ્યા છે. પરંતુ અનેક સ્થળો પર ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે. 2017માં મતદોરને મળેલા વચનો 2022 સુધી પૂર્ણ ન થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ઠેર-ઠેર બેનરો લગાવવામાં આવ્યા છે. કલોલ ખાતે પણ સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી ઉપરાંત રાજકોટ ખાતે પણ આવા બેનરો લાગેલા નજરે પડ્યા છે. 


પ્રાથમિક સુવિધાઓ ન મળવાથી સ્થાનિકો નારાજ

ચૂંટણી સમયે પાર્ટી દ્વારા અનેક વાયદાઓ કરવામાં આવે છે. પરંતુ ચૂંટણી જીત્યા બાદ તમામ વાયદાઓ ભૂલાઈ જતા હોય છે. અનેક જગ્યાઓ પર પ્રાથમિક સુવિધા ન હોવાને કારણે લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠતો હોય છે. આવો જ રોષ કલોલમાં આવેલ મંગળ ગિરધર પ્રેસના રહેવાસીઓમાં જોવા મળ્યો હતો. અનેક રજૂઆત કરવા છતાં પણ પ્રાથમિક સુવિધા માટે તેઓ ઝઝૂમી રહ્યા છે. નગરપાલિકાને અનેક વખત રજૂઆત કરવા છતાંય સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. અનેક સોસાયટીમાં ગંદુ પાણી આવે છે તેમજ લાઈટોનો અભાવ પણ જોવા મળે છે તેને કારણે લોકોએ આ વખતે મતદાન ન કરવાની ચીમકી ઉચ્ચારી છે. 


બેનરો લગાવી ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી 

ઉપરાંત આવો જ રોષ રાજકોટના સ્થાનિકોમાં પણ જોવા મળ્યો. રાજકોટના જસદણમાં વિછીયા રોડ પર આવેલી સોસાયટીમાં પણ સ્થાનિકોએ બેનર લગાવી પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. વોટ માગવા માટે કોઈએ આવું નહીં તેવા બેનરો લગાડવામાં આવ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા ઘણાં સમયથી તેઓ પ્રાથમિક સુવિધા માટે તંત્રને રજૂઆત કરી રહ્યા છે પરંતુ કોઈ ઉકેલ નથી આવ્યો. જેને કારણે ત્યાંના સ્થાનિકોએ પણ ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે.

It's no way just BJP vs Congress as regional satraps dominate India's  political landscape - Opinions & Blogs News

રાજકીય પાર્ટીની ચિંતામાં વધારો  

ચૂંટણી સમયે આવા બેનરો લાગવાથી રાજકીય પાર્ટીઓ માટે ચિંતાનો વિષય બની ગયો છે. સ્થાનિકો પણ પોતાની વાતને લઈ મક્કમ છે કારણ કે ચૂંટણી સમયે જ તેમની સમસ્યા પર ધ્યાન આપવામાં આવતું હોય છે. જો તેમની સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો સ્થાનિકો ચૂંટણીનો બહિષ્કાર કરી શકે છે.  




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.