Election Commissionએ Jammu-Kashmir, Haryana વિધાનસભા ચૂંટણીની તારીખો કરી જાહેર, જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-08-16 16:42:15

જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.. ચૂંટણી પંચ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં તેમણે જમ્મુ કાશ્મીર તેમજ હરિયાણા માટે ચૂંટણીના જાહેરાત કરી. ત્રણ તબક્કામાં જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી યોજાવાની છે..  18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે 3 તબક્કામાં મતદાન થશે. હરિયાણામાં 1 ઓક્ટોબરે એક તબક્કાનું મતદાન થશે. બંને રાજ્યોમાં પરિણામ 4 ઓક્ટોબરે આવશે. 

Jammu and Kashmir Legislative Assembly election


Haryana Legislative Assembly election


આ તારીખો દરમિયાન યોજાશે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી

દેશના રાજ્યોમાં દર પાંચ વર્ષે થતો હોય છે પરંતુ જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભા માટે ચૂંટણી થવાની છે.. કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરની 90 વિધાનસભા બેઠકો માટે ત્રણ તબક્કામાં મતદાન થવાનું છે.. કલમ 370 હટાવ્યા બાદ પહેલી વખત અહીંયા ચૂંટણી થવાની છે.. 2014માં જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી.. વિગતવાર વાત કરીએ તો પ્રથમ તબક્કા માટે મતદાન 18 સપ્ટેમ્બરે યોજાવાનું છે અને આ દિવસે 24 બેઠકો માટે મતદાન થશે..

હરિયાણામાં એક તબક્કામાં યોજાશે મતદાન!

તે ઉપરાંત 26 બેઠકો માટે બીજા તબક્કામાં મતદાન થવાનું છે એટલપે કે 25 સપ્ટેમ્બરે જ્યારે ત્રીજા અને અંતિમ તબક્કા માટે મતદાન પહેલી ઓક્ટોબરે થવાનું છે જેમાં 40 બેઠકોનો સમાવેશ થાય છે. હરિયાણામાં એક તબક્કામાં મતદાન થવાનું છે. હરિયાણા વિધાનસભાનો કાર્યકાળ 3 નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે. અહીં વિધાનસભાની 90 બેઠકો છે. હરિયાણામાં છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી (જેજેપી) સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી. જોકે, આ વર્ષે માર્ચમાં ભાજપ અને જેજેપીનું ગઠબંધન તૂટી ગયું હતું. ત્યારે હવે બંને રાજ્યોમાં કઈ પાર્ટીની સરકાર બનશે તે તો સમય બતાવશે.. 



રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.