'પનોતી', 'ખિસ્સાકાતરૂ' નિવેદનો પર રાહુલ ગાંધી સામે કાર્યવાહી, ચૂંટણી પંચે ફટકારી નોટિસ


  • Published By :
  • Published Date : 2023-11-23 19:48:54

ચૂંટણી પંચે ગુરુવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને કારણ બતાવો નોટિસ જારી કરી છે. રાહુલ ગાંધીને 'પનૌતી', 'ખિસ્સાકાતરૂ' અને લોન માફીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા નિવેદનો બદલ નોટિસ ફટકારી છે. પંચે તેમને શનિવાર સાંજ સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે. સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)એ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ વિરુદ્ધ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. પાર્ટીએ કહ્યું હતું કે પાર્ટીના અગ્રણી નેતા માટે આવી ભાષાનો ઉપયોગ કરવો 'દુર્ભાગ્યપૂર્ણ' છે.


ભાજપે શું ફરિયાદ કરી?


બુધવારે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પંચને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહી કરવાની ફરિયાદ કરી હતી. ભાજપ દ્વારા આપવામાં આવેલા મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યું હતું કે તેમની સામે પગલાં લેવામાં આવે નહીંતર આવા નિવેદનોથી ચૂંટણીનું વાતાવરણ બગડશે અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓને બદનામ કરવા માટે અપશબ્દો, વાંધાજનક ભાષા અને ખોટા સમાચારનો ઉપયોગ અટકાવવો મુશ્કેલ બનશે. કરવામાં આવશે.


રાહુલ ગાંધી માફી માંગે: BJP 


ભારતીય જનતા પાર્ટી (BJP) એ મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 'પનૌતી મોદી' કહેવા બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ટીકા કરી હતી અને તેમની ટિપ્પણીને 'શરમજનક અને અપમાનજનક' ગણાવી હતી અને તેમની પાસેથી માફી માંગવાની માંગ કરી હતી. ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે દેશના વડા પ્રધાન વિશે ગાંધીની ટિપ્પણી 'શરમજનક, નિંદનીય અને અપમાનજનક' છે.



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.