'પનોતી', 'ખિસ્સાકાતરૂ' નિવેદનો પર રાહુલ ગાંધી સામે કાર્યવાહી, ચૂંટણી પંચે ફટકારી નોટિસ


  • Published By :
  • Published Date : 2023-11-23 19:48:54

ચૂંટણી પંચે ગુરુવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને કારણ બતાવો નોટિસ જારી કરી છે. રાહુલ ગાંધીને 'પનૌતી', 'ખિસ્સાકાતરૂ' અને લોન માફીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા નિવેદનો બદલ નોટિસ ફટકારી છે. પંચે તેમને શનિવાર સાંજ સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે. સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)એ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ વિરુદ્ધ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. પાર્ટીએ કહ્યું હતું કે પાર્ટીના અગ્રણી નેતા માટે આવી ભાષાનો ઉપયોગ કરવો 'દુર્ભાગ્યપૂર્ણ' છે.


ભાજપે શું ફરિયાદ કરી?


બુધવારે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પંચને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહી કરવાની ફરિયાદ કરી હતી. ભાજપ દ્વારા આપવામાં આવેલા મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યું હતું કે તેમની સામે પગલાં લેવામાં આવે નહીંતર આવા નિવેદનોથી ચૂંટણીનું વાતાવરણ બગડશે અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓને બદનામ કરવા માટે અપશબ્દો, વાંધાજનક ભાષા અને ખોટા સમાચારનો ઉપયોગ અટકાવવો મુશ્કેલ બનશે. કરવામાં આવશે.


રાહુલ ગાંધી માફી માંગે: BJP 


ભારતીય જનતા પાર્ટી (BJP) એ મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 'પનૌતી મોદી' કહેવા બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ટીકા કરી હતી અને તેમની ટિપ્પણીને 'શરમજનક અને અપમાનજનક' ગણાવી હતી અને તેમની પાસેથી માફી માંગવાની માંગ કરી હતી. ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે દેશના વડા પ્રધાન વિશે ગાંધીની ટિપ્પણી 'શરમજનક, નિંદનીય અને અપમાનજનક' છે.



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .