GUJARAT:મતદાન જાગૃતિ વધારવા ચૂંટણી પંચે ગુજરાત કેમિસ્ટ સાથે MoU કર્યાં, રાજ્યના 32 હજાર મેડિકલ સ્ટોર પરથી મતદાનનો પ્રચાર થશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-24 11:16:48

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજ્યમાં તમામ રાજકીય પક્ષોએ તડામાર તૈયારી કરી દીધી છે. ત્યારે હવે ચૂંટણી પંચે પણ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મતદાન જાગૃતિ વધારવા માટે ચૂંટણી પંચે અલગ-અલગ એસોસિએશન સાથે MoU કર્યા છે.

Image

ગુજરાત ચૂંટણી પંચે રાજ્યના દરેક મતદાર સુધી પહોંચવા માટે દવા બજારના એસોસિએશન સાથે MoU કર્યા છે. ગુજરાત ચૂંટણી પંચ અને ગુજરાત કેમિસ્ટ વચ્ચે MoU થતા હવેથી રાજ્યની તમામ મેડિકલ સ્ટોર પરથી મતદાનનો પ્રચાર થશે. એટલે કે મેડિકલ સ્ટોર પર આવતા દર્દીઓને મતદાન કરવા સમજાવાશે. રાજ્યના 32 હજાર મેડિકલ સ્ટોર સાથે ચૂંટણી પંચે MoU કર્યા છે.

કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ગુજરાતની મુલાકાતે આવી હતી

હાલમાં જ કેન્દ્રીય ચૂંટણી પંચના અધિકારીઓ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેઓએ રાજ્યમાં ચૂંટણી માટે ચાલી રહેલી તૈયારીની સમીક્ષા કરી હતી. આ સાથે ચૂંટણી પંચના અધિકારીઓએ રાજ્યનાં મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારથી સાથે જિલ્લા ચૂંટણી અધિકારીઓ, જિલ્લા પોલીસ અધીક્ષકો તેમજ પોલીસ કમિશનરો સાથે પણ સમીક્ષા બેઠક પણ યોજી હતી.

17-18 સપ્ટેમ્બરે ચૂંટણી સમીક્ષા બેઠક મળી

17-18 સપ્ટેમ્બરના રોજ ચૂંટણીની તૈયારી અંગે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં મતદાર યાદી, SSR, EVM/VVPAT તેમજ મતદાન મથકો પર ખાતરીપૂર્વકની સુવિધાઓ, મેનપાવર, ટ્રાન્સપોર્ટેશન, કાયદો-વ્યવસ્થા, સુરક્ષા, SVEEP, તાલીમ અને ક્ષમતા નિર્માણને આવરી લેતા તમામ મુખ્ય વિષયો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.આ સાથે આગામી ચૂંટણી દરમિયાન સુચારું સંચાલન સુનિશ્ચિત કરવા તમામ મહત્વના મુદ્દાઓ અંગે જિલ્લાઓમાંથી પ્રતિભાવો લેવામાં આવ્યા હતા. રાજ્યનાં મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારથી અને રાજ્ય પોલીસ નોડલ ઓફિસર દ્વારા વિગતવાર પ્રેઝન્ટેશન પણ આપવામાં આવ્યું હતું.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે