GUJARAT:મતદાન જાગૃતિ વધારવા ચૂંટણી પંચે ગુજરાત કેમિસ્ટ સાથે MoU કર્યાં, રાજ્યના 32 હજાર મેડિકલ સ્ટોર પરથી મતદાનનો પ્રચાર થશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-24 11:16:48

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજ્યમાં તમામ રાજકીય પક્ષોએ તડામાર તૈયારી કરી દીધી છે. ત્યારે હવે ચૂંટણી પંચે પણ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મતદાન જાગૃતિ વધારવા માટે ચૂંટણી પંચે અલગ-અલગ એસોસિએશન સાથે MoU કર્યા છે.

Image

ગુજરાત ચૂંટણી પંચે રાજ્યના દરેક મતદાર સુધી પહોંચવા માટે દવા બજારના એસોસિએશન સાથે MoU કર્યા છે. ગુજરાત ચૂંટણી પંચ અને ગુજરાત કેમિસ્ટ વચ્ચે MoU થતા હવેથી રાજ્યની તમામ મેડિકલ સ્ટોર પરથી મતદાનનો પ્રચાર થશે. એટલે કે મેડિકલ સ્ટોર પર આવતા દર્દીઓને મતદાન કરવા સમજાવાશે. રાજ્યના 32 હજાર મેડિકલ સ્ટોર સાથે ચૂંટણી પંચે MoU કર્યા છે.

કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ગુજરાતની મુલાકાતે આવી હતી

હાલમાં જ કેન્દ્રીય ચૂંટણી પંચના અધિકારીઓ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેઓએ રાજ્યમાં ચૂંટણી માટે ચાલી રહેલી તૈયારીની સમીક્ષા કરી હતી. આ સાથે ચૂંટણી પંચના અધિકારીઓએ રાજ્યનાં મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારથી સાથે જિલ્લા ચૂંટણી અધિકારીઓ, જિલ્લા પોલીસ અધીક્ષકો તેમજ પોલીસ કમિશનરો સાથે પણ સમીક્ષા બેઠક પણ યોજી હતી.

17-18 સપ્ટેમ્બરે ચૂંટણી સમીક્ષા બેઠક મળી

17-18 સપ્ટેમ્બરના રોજ ચૂંટણીની તૈયારી અંગે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં મતદાર યાદી, SSR, EVM/VVPAT તેમજ મતદાન મથકો પર ખાતરીપૂર્વકની સુવિધાઓ, મેનપાવર, ટ્રાન્સપોર્ટેશન, કાયદો-વ્યવસ્થા, સુરક્ષા, SVEEP, તાલીમ અને ક્ષમતા નિર્માણને આવરી લેતા તમામ મુખ્ય વિષયો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.આ સાથે આગામી ચૂંટણી દરમિયાન સુચારું સંચાલન સુનિશ્ચિત કરવા તમામ મહત્વના મુદ્દાઓ અંગે જિલ્લાઓમાંથી પ્રતિભાવો લેવામાં આવ્યા હતા. રાજ્યનાં મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારથી અને રાજ્ય પોલીસ નોડલ ઓફિસર દ્વારા વિગતવાર પ્રેઝન્ટેશન પણ આપવામાં આવ્યું હતું.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.