થોડા દિવસોમાં જાહેર થઈ શકે છે ચૂંટણીની તારીખો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 17:11:01

2022 વર્ષના અંતે સુધીમાં બે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. બંને રાજ્યોમાં ભાજપની સત્તા પર બિરાજમાન છે અને કોંગ્રેસ વિપક્ષની ભૂમિકા ભજવી રહ્યું છે.ચૂંટણીને થોડો સમય જ બાકી રહ્યો છે. ત્યારે વિધાનસભા ચૂંટણીની તારીખો 18 ઓક્ટોબર સુધીમાં જાહેર થઈ શકે છે. નવેમ્બર મહિનામાં ચૂંટણી યોજાઈ શકે છે અને ડિસેમ્બર સુધીમાં ચૂંટણીનું પરિણામ જાહેર થઈ શકે છે. કારણ કે ગાંધીનગરમાં ડિફેન્સ એસ્પો યોજાવાનો છે. આચાર સંહિતા લાગૂ થાય તે પહેલા તમામ સરકારી કામો પતાવી દેવા પડે. જેને કારણે 18 ઓક્ટોબર બાદ જ ચૂંટણી તારીખો જાહેર થઈ શકે છે.  

Assembly elections likely to be in December in Gujarat

આપ પણ કરી રહ્યો છે ચૂંટણી પ્રચાર

દેશમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ ચૂંટણીને લઈ મેદાનમાં ઉતરી છે. અનેક રાજ્યોમાં આપ જોર-શોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યો છે. ગુજરાતના પ્રવાસે અનેક વખત અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે. અનેક લોકો સાથે સંવાદ કરી રહ્યા છે. દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીનો વિજય થતા દેશના બીજા રાજ્યો પર આપની નજર છે. 

નવેમ્બરમાં યોજાઈ શકે છે ચૂંટણી 

ચૂંટણીને ધ્યાનમાં રાખી ચૂંટણી પંચે બંને રાજ્યોની મુલાકાત લઈ લીધી છે. ચૂંટણી પંચ પણ આ અંગે તડામાર તૈયારીઓ થઈ રહી છે. મહત્વનું છે કે ચૂંટણી પંચે 2017માં 25 ઓક્ટોબરના રોજ તારીખો જાહેર કરી દીધી હતી. આ વખતે દિવાળી પણ વહેલા આવી રહી છે, ત્યારે ચૂંટણી પણ વહેલી યોજાઈ શકે છે તેવા સંકેતો આપી દેવામાં આવ્યા છે. નવેમ્બરના અંતમાં અથવા તો ડિસેમ્બરની શરૂઆતમાં ચૂંટણી યોજાઈ શકે છે. ચૂંટણી પંચની ટીમે પણ પ્રવાસે આવી તમામ જાણકારી ભેગી કરી લીધી છે. ત્યારે હવે ચૂંટણીની કઈ તારીખો જાહેર થાય છે તેની પર તમામ પક્ષોની નજર રહેવાની છે.         







ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે