થોડા દિવસોમાં જાહેર થઈ શકે છે ચૂંટણીની તારીખો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 17:11:01

2022 વર્ષના અંતે સુધીમાં બે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. બંને રાજ્યોમાં ભાજપની સત્તા પર બિરાજમાન છે અને કોંગ્રેસ વિપક્ષની ભૂમિકા ભજવી રહ્યું છે.ચૂંટણીને થોડો સમય જ બાકી રહ્યો છે. ત્યારે વિધાનસભા ચૂંટણીની તારીખો 18 ઓક્ટોબર સુધીમાં જાહેર થઈ શકે છે. નવેમ્બર મહિનામાં ચૂંટણી યોજાઈ શકે છે અને ડિસેમ્બર સુધીમાં ચૂંટણીનું પરિણામ જાહેર થઈ શકે છે. કારણ કે ગાંધીનગરમાં ડિફેન્સ એસ્પો યોજાવાનો છે. આચાર સંહિતા લાગૂ થાય તે પહેલા તમામ સરકારી કામો પતાવી દેવા પડે. જેને કારણે 18 ઓક્ટોબર બાદ જ ચૂંટણી તારીખો જાહેર થઈ શકે છે.  

Assembly elections likely to be in December in Gujarat

આપ પણ કરી રહ્યો છે ચૂંટણી પ્રચાર

દેશમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ ચૂંટણીને લઈ મેદાનમાં ઉતરી છે. અનેક રાજ્યોમાં આપ જોર-શોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યો છે. ગુજરાતના પ્રવાસે અનેક વખત અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે. અનેક લોકો સાથે સંવાદ કરી રહ્યા છે. દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીનો વિજય થતા દેશના બીજા રાજ્યો પર આપની નજર છે. 

નવેમ્બરમાં યોજાઈ શકે છે ચૂંટણી 

ચૂંટણીને ધ્યાનમાં રાખી ચૂંટણી પંચે બંને રાજ્યોની મુલાકાત લઈ લીધી છે. ચૂંટણી પંચ પણ આ અંગે તડામાર તૈયારીઓ થઈ રહી છે. મહત્વનું છે કે ચૂંટણી પંચે 2017માં 25 ઓક્ટોબરના રોજ તારીખો જાહેર કરી દીધી હતી. આ વખતે દિવાળી પણ વહેલા આવી રહી છે, ત્યારે ચૂંટણી પણ વહેલી યોજાઈ શકે છે તેવા સંકેતો આપી દેવામાં આવ્યા છે. નવેમ્બરના અંતમાં અથવા તો ડિસેમ્બરની શરૂઆતમાં ચૂંટણી યોજાઈ શકે છે. ચૂંટણી પંચની ટીમે પણ પ્રવાસે આવી તમામ જાણકારી ભેગી કરી લીધી છે. ત્યારે હવે ચૂંટણીની કઈ તારીખો જાહેર થાય છે તેની પર તમામ પક્ષોની નજર રહેવાની છે.         







ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.