થોડા દિવસોમાં જાહેર થઈ શકે છે ચૂંટણીની તારીખો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 17:11:01

2022 વર્ષના અંતે સુધીમાં બે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. બંને રાજ્યોમાં ભાજપની સત્તા પર બિરાજમાન છે અને કોંગ્રેસ વિપક્ષની ભૂમિકા ભજવી રહ્યું છે.ચૂંટણીને થોડો સમય જ બાકી રહ્યો છે. ત્યારે વિધાનસભા ચૂંટણીની તારીખો 18 ઓક્ટોબર સુધીમાં જાહેર થઈ શકે છે. નવેમ્બર મહિનામાં ચૂંટણી યોજાઈ શકે છે અને ડિસેમ્બર સુધીમાં ચૂંટણીનું પરિણામ જાહેર થઈ શકે છે. કારણ કે ગાંધીનગરમાં ડિફેન્સ એસ્પો યોજાવાનો છે. આચાર સંહિતા લાગૂ થાય તે પહેલા તમામ સરકારી કામો પતાવી દેવા પડે. જેને કારણે 18 ઓક્ટોબર બાદ જ ચૂંટણી તારીખો જાહેર થઈ શકે છે.  

Assembly elections likely to be in December in Gujarat

આપ પણ કરી રહ્યો છે ચૂંટણી પ્રચાર

દેશમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ ચૂંટણીને લઈ મેદાનમાં ઉતરી છે. અનેક રાજ્યોમાં આપ જોર-શોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યો છે. ગુજરાતના પ્રવાસે અનેક વખત અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે. અનેક લોકો સાથે સંવાદ કરી રહ્યા છે. દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીનો વિજય થતા દેશના બીજા રાજ્યો પર આપની નજર છે. 

નવેમ્બરમાં યોજાઈ શકે છે ચૂંટણી 

ચૂંટણીને ધ્યાનમાં રાખી ચૂંટણી પંચે બંને રાજ્યોની મુલાકાત લઈ લીધી છે. ચૂંટણી પંચ પણ આ અંગે તડામાર તૈયારીઓ થઈ રહી છે. મહત્વનું છે કે ચૂંટણી પંચે 2017માં 25 ઓક્ટોબરના રોજ તારીખો જાહેર કરી દીધી હતી. આ વખતે દિવાળી પણ વહેલા આવી રહી છે, ત્યારે ચૂંટણી પણ વહેલી યોજાઈ શકે છે તેવા સંકેતો આપી દેવામાં આવ્યા છે. નવેમ્બરના અંતમાં અથવા તો ડિસેમ્બરની શરૂઆતમાં ચૂંટણી યોજાઈ શકે છે. ચૂંટણી પંચની ટીમે પણ પ્રવાસે આવી તમામ જાણકારી ભેગી કરી લીધી છે. ત્યારે હવે ચૂંટણીની કઈ તારીખો જાહેર થાય છે તેની પર તમામ પક્ષોની નજર રહેવાની છે.         







સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"