થોડા દિવસોમાં જાહેર થઈ શકે છે ચૂંટણીની તારીખો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 17:11:01

2022 વર્ષના અંતે સુધીમાં બે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. બંને રાજ્યોમાં ભાજપની સત્તા પર બિરાજમાન છે અને કોંગ્રેસ વિપક્ષની ભૂમિકા ભજવી રહ્યું છે.ચૂંટણીને થોડો સમય જ બાકી રહ્યો છે. ત્યારે વિધાનસભા ચૂંટણીની તારીખો 18 ઓક્ટોબર સુધીમાં જાહેર થઈ શકે છે. નવેમ્બર મહિનામાં ચૂંટણી યોજાઈ શકે છે અને ડિસેમ્બર સુધીમાં ચૂંટણીનું પરિણામ જાહેર થઈ શકે છે. કારણ કે ગાંધીનગરમાં ડિફેન્સ એસ્પો યોજાવાનો છે. આચાર સંહિતા લાગૂ થાય તે પહેલા તમામ સરકારી કામો પતાવી દેવા પડે. જેને કારણે 18 ઓક્ટોબર બાદ જ ચૂંટણી તારીખો જાહેર થઈ શકે છે.  

Assembly elections likely to be in December in Gujarat

આપ પણ કરી રહ્યો છે ચૂંટણી પ્રચાર

દેશમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ ચૂંટણીને લઈ મેદાનમાં ઉતરી છે. અનેક રાજ્યોમાં આપ જોર-શોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યો છે. ગુજરાતના પ્રવાસે અનેક વખત અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે. અનેક લોકો સાથે સંવાદ કરી રહ્યા છે. દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીનો વિજય થતા દેશના બીજા રાજ્યો પર આપની નજર છે. 

નવેમ્બરમાં યોજાઈ શકે છે ચૂંટણી 

ચૂંટણીને ધ્યાનમાં રાખી ચૂંટણી પંચે બંને રાજ્યોની મુલાકાત લઈ લીધી છે. ચૂંટણી પંચ પણ આ અંગે તડામાર તૈયારીઓ થઈ રહી છે. મહત્વનું છે કે ચૂંટણી પંચે 2017માં 25 ઓક્ટોબરના રોજ તારીખો જાહેર કરી દીધી હતી. આ વખતે દિવાળી પણ વહેલા આવી રહી છે, ત્યારે ચૂંટણી પણ વહેલી યોજાઈ શકે છે તેવા સંકેતો આપી દેવામાં આવ્યા છે. નવેમ્બરના અંતમાં અથવા તો ડિસેમ્બરની શરૂઆતમાં ચૂંટણી યોજાઈ શકે છે. ચૂંટણી પંચની ટીમે પણ પ્રવાસે આવી તમામ જાણકારી ભેગી કરી લીધી છે. ત્યારે હવે ચૂંટણીની કઈ તારીખો જાહેર થાય છે તેની પર તમામ પક્ષોની નજર રહેવાની છે.         







જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.