ઇલેક્શન ઈફેક્ટ? સિંગતેલના ડબ્બાનો ભાવ 40 રૂપિયા ઘટીને રૂ. 2585 થયો, હજુ પણ ઘટવાની શક્યતા


  • Published By :
  • Published Date : 2023-11-22 14:59:04

દેશમાં ચૂંટણીની સીઝન ચાલી રહી છે, પાંચ રાજ્યમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ વખતે ચૂંટણી ખરાખરીનો ચૂંટણી જંગ થવાનો છે. કેન્દ્ર સરકાર સામે સૌથી મોટો પડકાર વધતી મોંઘવારી છે, લોકસભા ચૂંટણી સુધીમાં જો મોંઘવારી પર નિયંત્રણ નહીં આવે તો કેન્દ્રની ભાજપ સરકારને ફટકો પડવાની સંપુર્ણ શક્યતા છે. આ જ કારણે સરકાર પણ અનાજ-કઠોળ, ખાદ્યતેલ તથા જીવનજરૂરીયાતની ચીજોના ભાવ કાબુમાં આવે તે માટે પ્રયાસો કરી રહી છે. જેમ કે રાજ્યમાં સિંગતેલના ભાવમાં 40 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. તહેવારોની સીઝન પુરી થતા સિંગતેલના ભાવ ઘટ્યાને તેને ઇલેક્શન ઈફેકટ તરીકે જોવામા આવી રહ્યું છે.


સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 2585 થયો


દેશ અને રાજ્યમાં દિવાળીના તહેવારો બાદ ખાદ્યેતેલોમાં ઘટવાનો સિલસિલો શરૂ થયો છે. હાલમાં જ રાજકોટમાં સિંગતેલના ભાવ ગગડ્યા છે. રાજકોટમાં આજે 15 કિલો બ્રાન્ડેડ સિંગતેલના પ્રતિ ડબ્બાના ભાવમાં 40 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે નવી મગફળી ઓઇલ મિલોમાં પિલાણ માટે આવતા સિંગતેલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સિંગતેલનો ડબ્બો હવે નવા ભાવ પ્રમાણે 2625થી ઘટીને 2585 રૂપિયા સુધી પહોંચ્યો છે. જોકે, સિંગતેલના ભાવમાં હજુ પણ ઘટાડો થવાનો અંદાજ છે, દિવાળી પહેલા આ ભાવ 2700 આસપાસ હતો, જે છેલ્લા 10 દિવસમાં સિંગતેલનો ડબ્બો 90 રૂપિયા જેટલો ઘટ્યો છે.


હજુ ઘટશે ભાવ?


રાજ્યમાં ખાદ્યતેલના ટ્રેડિંગ સાથે સંકળાયેલા વેપારીઓના જણાવ્યા પ્રમાણે સિંગતેલ અને કપાસિયા સહિતના અન્ય ખાદ્યતેલના ભાવમાં હજું પણ ઘટાડો જોવા મળશે. આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાશે તેથી તેલિયા રાજાઓ ભાવ વધારવાની હિંમત પણ નહીં કરી શકે. ગુજરાતની ભાજપ સરકારે જો 26માંથી 16 લોકસભા સીટ જીતવી હશે તો તેણે વધતી મોંઘવારી પર કાબુ મેળવવો જ પડશે. આમ પણ આ વખતે સત્તા વિરોધી અસંતોષ ચરમસીમા પર છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી