ઇલેક્શન ઈફેક્ટ? સિંગતેલના ડબ્બાનો ભાવ 40 રૂપિયા ઘટીને રૂ. 2585 થયો, હજુ પણ ઘટવાની શક્યતા


  • Published By :
  • Published Date : 2023-11-22 14:59:04

દેશમાં ચૂંટણીની સીઝન ચાલી રહી છે, પાંચ રાજ્યમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ વખતે ચૂંટણી ખરાખરીનો ચૂંટણી જંગ થવાનો છે. કેન્દ્ર સરકાર સામે સૌથી મોટો પડકાર વધતી મોંઘવારી છે, લોકસભા ચૂંટણી સુધીમાં જો મોંઘવારી પર નિયંત્રણ નહીં આવે તો કેન્દ્રની ભાજપ સરકારને ફટકો પડવાની સંપુર્ણ શક્યતા છે. આ જ કારણે સરકાર પણ અનાજ-કઠોળ, ખાદ્યતેલ તથા જીવનજરૂરીયાતની ચીજોના ભાવ કાબુમાં આવે તે માટે પ્રયાસો કરી રહી છે. જેમ કે રાજ્યમાં સિંગતેલના ભાવમાં 40 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. તહેવારોની સીઝન પુરી થતા સિંગતેલના ભાવ ઘટ્યાને તેને ઇલેક્શન ઈફેકટ તરીકે જોવામા આવી રહ્યું છે.


સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 2585 થયો


દેશ અને રાજ્યમાં દિવાળીના તહેવારો બાદ ખાદ્યેતેલોમાં ઘટવાનો સિલસિલો શરૂ થયો છે. હાલમાં જ રાજકોટમાં સિંગતેલના ભાવ ગગડ્યા છે. રાજકોટમાં આજે 15 કિલો બ્રાન્ડેડ સિંગતેલના પ્રતિ ડબ્બાના ભાવમાં 40 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે નવી મગફળી ઓઇલ મિલોમાં પિલાણ માટે આવતા સિંગતેલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સિંગતેલનો ડબ્બો હવે નવા ભાવ પ્રમાણે 2625થી ઘટીને 2585 રૂપિયા સુધી પહોંચ્યો છે. જોકે, સિંગતેલના ભાવમાં હજુ પણ ઘટાડો થવાનો અંદાજ છે, દિવાળી પહેલા આ ભાવ 2700 આસપાસ હતો, જે છેલ્લા 10 દિવસમાં સિંગતેલનો ડબ્બો 90 રૂપિયા જેટલો ઘટ્યો છે.


હજુ ઘટશે ભાવ?


રાજ્યમાં ખાદ્યતેલના ટ્રેડિંગ સાથે સંકળાયેલા વેપારીઓના જણાવ્યા પ્રમાણે સિંગતેલ અને કપાસિયા સહિતના અન્ય ખાદ્યતેલના ભાવમાં હજું પણ ઘટાડો જોવા મળશે. આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાશે તેથી તેલિયા રાજાઓ ભાવ વધારવાની હિંમત પણ નહીં કરી શકે. ગુજરાતની ભાજપ સરકારે જો 26માંથી 16 લોકસભા સીટ જીતવી હશે તો તેણે વધતી મોંઘવારી પર કાબુ મેળવવો જ પડશે. આમ પણ આ વખતે સત્તા વિરોધી અસંતોષ ચરમસીમા પર છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.