ઇલેક્શન ઈફેક્ટ? સિંગતેલના ડબ્બાનો ભાવ 40 રૂપિયા ઘટીને રૂ. 2585 થયો, હજુ પણ ઘટવાની શક્યતા


  • Published By :
  • Published Date : 2023-11-22 14:59:04

દેશમાં ચૂંટણીની સીઝન ચાલી રહી છે, પાંચ રાજ્યમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ વખતે ચૂંટણી ખરાખરીનો ચૂંટણી જંગ થવાનો છે. કેન્દ્ર સરકાર સામે સૌથી મોટો પડકાર વધતી મોંઘવારી છે, લોકસભા ચૂંટણી સુધીમાં જો મોંઘવારી પર નિયંત્રણ નહીં આવે તો કેન્દ્રની ભાજપ સરકારને ફટકો પડવાની સંપુર્ણ શક્યતા છે. આ જ કારણે સરકાર પણ અનાજ-કઠોળ, ખાદ્યતેલ તથા જીવનજરૂરીયાતની ચીજોના ભાવ કાબુમાં આવે તે માટે પ્રયાસો કરી રહી છે. જેમ કે રાજ્યમાં સિંગતેલના ભાવમાં 40 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. તહેવારોની સીઝન પુરી થતા સિંગતેલના ભાવ ઘટ્યાને તેને ઇલેક્શન ઈફેકટ તરીકે જોવામા આવી રહ્યું છે.


સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 2585 થયો


દેશ અને રાજ્યમાં દિવાળીના તહેવારો બાદ ખાદ્યેતેલોમાં ઘટવાનો સિલસિલો શરૂ થયો છે. હાલમાં જ રાજકોટમાં સિંગતેલના ભાવ ગગડ્યા છે. રાજકોટમાં આજે 15 કિલો બ્રાન્ડેડ સિંગતેલના પ્રતિ ડબ્બાના ભાવમાં 40 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે નવી મગફળી ઓઇલ મિલોમાં પિલાણ માટે આવતા સિંગતેલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સિંગતેલનો ડબ્બો હવે નવા ભાવ પ્રમાણે 2625થી ઘટીને 2585 રૂપિયા સુધી પહોંચ્યો છે. જોકે, સિંગતેલના ભાવમાં હજુ પણ ઘટાડો થવાનો અંદાજ છે, દિવાળી પહેલા આ ભાવ 2700 આસપાસ હતો, જે છેલ્લા 10 દિવસમાં સિંગતેલનો ડબ્બો 90 રૂપિયા જેટલો ઘટ્યો છે.


હજુ ઘટશે ભાવ?


રાજ્યમાં ખાદ્યતેલના ટ્રેડિંગ સાથે સંકળાયેલા વેપારીઓના જણાવ્યા પ્રમાણે સિંગતેલ અને કપાસિયા સહિતના અન્ય ખાદ્યતેલના ભાવમાં હજું પણ ઘટાડો જોવા મળશે. આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાશે તેથી તેલિયા રાજાઓ ભાવ વધારવાની હિંમત પણ નહીં કરી શકે. ગુજરાતની ભાજપ સરકારે જો 26માંથી 16 લોકસભા સીટ જીતવી હશે તો તેણે વધતી મોંઘવારી પર કાબુ મેળવવો જ પડશે. આમ પણ આ વખતે સત્તા વિરોધી અસંતોષ ચરમસીમા પર છે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.