થરૂર અને ખડગે વચ્ચે થશે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-01 17:51:47

17 ઓક્ટોબરના રોજ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટેની ચૂંટણી યોજાવાની છે. પરંતુ ચૂંટણી પૂર્વે જ ચૂંટણીને લઈ વિવાદ સર્જાયો છે. અનેક દિગ્ગજ નેતાઓના નામ આ રેસ માટે ચર્ચાઈ રહ્યા હતા. અશોક ગેહલોતનું નામ સૌથી વધારે ચર્ચામાં હતું. પરંતુ રાજસ્થાન કોંગ્રેસમાં ભંગાણ સર્જાતા ગેહલોતે પોતાનું નામ પાછું ખેંચી લીધુ છે. ત્યારે હવે કોંગ્રેસ  અધ્યક્ષ પદ માટે હવે શશિ થરુર અને મલિક્કાર્જૂન ખડગે વચ્ચે જંગ જામવાનો છે. આ જંગ પહેલા 3 ઉમેદવારો વચ્ચે થવાની હતી પરંતુ કે.એન ત્રિપાઠીની ઉમેદવારી રદ્દ થઈ છે જેને કારણે. આ રેસમાં હવે માત્ર 2 ઉમેદવાર રહ્યા છે.

શશિ થરુર અને મલિક્કાર્જૂન ખડગેના વચ્ચે થશે સીધો જંગ 

કોંગ્રેસ અધ્યક્ષ માટે થનારી ચૂંટણી અંગે કોંગ્રેસના ચૂંટણી પ્રભારી મધૂસુદન મિસ્ત્રીએ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ઉમેદવારોએ જમા કરાવેલ ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી દરમિયાન 20 ફોર્મમાંથી 4 ઉમેદવારોની ફોર્મને રદ્દ કરી દેવામાં આવ્યા છે.

   

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ઉમેદવારો 8 ઓક્ટોબર સુધી પોતાનું નામાંકન પાછું ખેંચી શકશે. કે.એન.ત્રિપાઠીનું ફોર્મ અસ્વીકાર કરી દેવામાં આવ્યું છે કારણકે તે નિર્ધારિત માંપદંડને પૂર્ણ નથી કરતું. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરના રોજ મતદાન થશે અને 19 ઓક્ટોબરના રોજ મતગણતરી કરવામાં આવશે. અને એ બાદ પરિણામ જાહેર કરવામાં આવશે.

પોતાના પદ ઉપરથી ખડગેએ આપ્યું રાજીનામું

કોંગ્રેસના નવા નિયમ એક પદ એક નેતા પ્રમાણે મલ્લિકાર્જૂન ખડગેએ રાજ્યસભા વિપક્ષ નેતા તરીકે પોતાનું રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી માટે ખડગેએ નામાંકન 30 સપ્ટેમ્બરના રોજ કરાવ્યું હતું. ખડગેએ સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું મોકલી દીધુ હતું.

  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.