થરૂર અને ખડગે વચ્ચે થશે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-01 17:51:47

17 ઓક્ટોબરના રોજ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટેની ચૂંટણી યોજાવાની છે. પરંતુ ચૂંટણી પૂર્વે જ ચૂંટણીને લઈ વિવાદ સર્જાયો છે. અનેક દિગ્ગજ નેતાઓના નામ આ રેસ માટે ચર્ચાઈ રહ્યા હતા. અશોક ગેહલોતનું નામ સૌથી વધારે ચર્ચામાં હતું. પરંતુ રાજસ્થાન કોંગ્રેસમાં ભંગાણ સર્જાતા ગેહલોતે પોતાનું નામ પાછું ખેંચી લીધુ છે. ત્યારે હવે કોંગ્રેસ  અધ્યક્ષ પદ માટે હવે શશિ થરુર અને મલિક્કાર્જૂન ખડગે વચ્ચે જંગ જામવાનો છે. આ જંગ પહેલા 3 ઉમેદવારો વચ્ચે થવાની હતી પરંતુ કે.એન ત્રિપાઠીની ઉમેદવારી રદ્દ થઈ છે જેને કારણે. આ રેસમાં હવે માત્ર 2 ઉમેદવાર રહ્યા છે.

શશિ થરુર અને મલિક્કાર્જૂન ખડગેના વચ્ચે થશે સીધો જંગ 

કોંગ્રેસ અધ્યક્ષ માટે થનારી ચૂંટણી અંગે કોંગ્રેસના ચૂંટણી પ્રભારી મધૂસુદન મિસ્ત્રીએ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ઉમેદવારોએ જમા કરાવેલ ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી દરમિયાન 20 ફોર્મમાંથી 4 ઉમેદવારોની ફોર્મને રદ્દ કરી દેવામાં આવ્યા છે.

   

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ઉમેદવારો 8 ઓક્ટોબર સુધી પોતાનું નામાંકન પાછું ખેંચી શકશે. કે.એન.ત્રિપાઠીનું ફોર્મ અસ્વીકાર કરી દેવામાં આવ્યું છે કારણકે તે નિર્ધારિત માંપદંડને પૂર્ણ નથી કરતું. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરના રોજ મતદાન થશે અને 19 ઓક્ટોબરના રોજ મતગણતરી કરવામાં આવશે. અને એ બાદ પરિણામ જાહેર કરવામાં આવશે.

પોતાના પદ ઉપરથી ખડગેએ આપ્યું રાજીનામું

કોંગ્રેસના નવા નિયમ એક પદ એક નેતા પ્રમાણે મલ્લિકાર્જૂન ખડગેએ રાજ્યસભા વિપક્ષ નેતા તરીકે પોતાનું રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી માટે ખડગેએ નામાંકન 30 સપ્ટેમ્બરના રોજ કરાવ્યું હતું. ખડગેએ સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું મોકલી દીધુ હતું.

  



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.