ધી ગુજરાત સ્ટેટ કો.ઓ.કન્ઝ્યુમર્સ ફેડરેશન લીમિટેડની ચૂંટણીના પરિણામ જાહેર, ફેડરેશનના ચેરમેન બન્યા.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-03-07 17:58:38

આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે, પશુપાલન કરી અનેક પશુપાલકો રોજગારી મેળવતા હોય છે. અનેક એવી સરકારી સંસ્થાઓએ જ્યાં અનેક પશુપાલકો જોડાયેલા હોય છે. ત્યારે મુખ્યત્વે ખેડૂતો જે સંસ્થા સાથે જોડાયેલા છે તે છે ધી ગુજરાત સ્ટેટ કો ઓ. કન્ઝયુમર્સ ફેડરેશન લિમિટેડ છે. 1960થી અનેક ખેડૂતો આ સંસ્થા સાથે જોડાયેલા છે.  ધી ગુજરાત સ્ટેટ કો ઓ. કન્ઝયુમર્સ ફેડરેશન લિમિટેડ અમદાવાદની ચૂંટણીમાં પાંચ વર્ષ માટે અ વર્ગ અને બ વર્ગના તમામ ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાયા છે. ફેડરેશનના ચેરમેન તરીકે નરહરિ અમીન, સંસદ સભ્ય, રાજ્યસભા (ગુજરાત) તેમજ વાઈસ ચેરમેન તરીકે પોપટલાલ પટેલ બિનહરીફ ચૂંટાયા છે. તે ઉપરાંત પોરબંદરથી સામતભાઈ ઓડેદરા ચૂંટાયા છે.


અનેક ખેડૂતો સંકળાયેલા છે આ સંસ્થા સાથે!

ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ એટલે GUJCOMASOLએ રાજ્યનું સર્વોચ્ચ સહકારી માર્કેટિંગ ફેડરેશન છે જેનું ટર્ન ઓવર કરોડોમાં છે . એગ્રો ઇનપુટ્સ અને ખેડૂતોના ફાર્મ આઉટપુટની પ્રાપ્તિના વ્યવસાયમાં ઊંડાણપૂર્વક સંકળાયેલું છે. 4764.36 કરોડ છે. તે રાજ્યમાં તેના મજબૂત સહકારી નેટવર્ક દ્વારા ખેડૂતોને વિવિધ પ્રકારની સેવાઓ પણ પૂરી પાડે છે. ખેડૂતોની પ્રગતિ થાય તે માટે આ સંસ્થા કામ કરે છે. ખેડૂતોને બિયારણ, જંતુનાશક દવાઓ, ખાતર, ઉપભોક્તા ચીજવસ્તુઓની મૂલ્યવર્ધિત ગુણવત્તા, કૃષિ ચીજવસ્તુઓનો વેપાર અને વેરહાઉસિંગ જેવી શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત કૃષિ સામગ્રી પ્રદાન કરીને ખેડૂતોની ખેતીની ઉપજ અને સમૃદ્ધિમાં વધારો કરે છે. ત્યારે અમદાવાદની ચૂંટણીમાં પાંચ વર્ષ માટે અ વર્ગ અને બ વર્ગના તમામ ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાયા હતા. 


કોણ કોણ ચૂંટાયું? 

જો અ વર્ગના ડિરેક્ટરની વાત કરીએ તો અમદાવાદથી નરહરિ અમીન, મહેસાણાથી પોપટલાલ પટેલ, વાસણા અમદાવાદથી પરેશભાઈ દાણી, પોરબંદરથી સામતભાઈ ઓડેદરા, અંકિતભાઈ શાહ ગોધરા, પંચમહાલથી ચૂંટાયા છે. સુરેન્દ્રનગરથી વિરેન્દ્રભાઈ આચાર્ય, આણંદથી ગીરીષભાઈ પટેલ, ભાવનગરમાં ડો.સમીર શાહ, સાબરકાંઠાથી જેઠાભાઈ પટેલ, આણંદથી યોગેશભાઈ ઉપાધ્યાય છે. તે સિવાય બ વર્ગના ડિરેક્ટરની વાત કરીએ તો મહુધાથી મહેશભાઈ પટેલ, કલોલથી પન્નાબેન ચૌહાણ ચૂંટાયા છે.  




હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.