ધી ગુજરાત સ્ટેટ કો.ઓ.કન્ઝ્યુમર્સ ફેડરેશન લીમિટેડની ચૂંટણીના પરિણામ જાહેર, ફેડરેશનના ચેરમેન બન્યા.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-03-07 17:58:38

આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે, પશુપાલન કરી અનેક પશુપાલકો રોજગારી મેળવતા હોય છે. અનેક એવી સરકારી સંસ્થાઓએ જ્યાં અનેક પશુપાલકો જોડાયેલા હોય છે. ત્યારે મુખ્યત્વે ખેડૂતો જે સંસ્થા સાથે જોડાયેલા છે તે છે ધી ગુજરાત સ્ટેટ કો ઓ. કન્ઝયુમર્સ ફેડરેશન લિમિટેડ છે. 1960થી અનેક ખેડૂતો આ સંસ્થા સાથે જોડાયેલા છે.  ધી ગુજરાત સ્ટેટ કો ઓ. કન્ઝયુમર્સ ફેડરેશન લિમિટેડ અમદાવાદની ચૂંટણીમાં પાંચ વર્ષ માટે અ વર્ગ અને બ વર્ગના તમામ ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાયા છે. ફેડરેશનના ચેરમેન તરીકે નરહરિ અમીન, સંસદ સભ્ય, રાજ્યસભા (ગુજરાત) તેમજ વાઈસ ચેરમેન તરીકે પોપટલાલ પટેલ બિનહરીફ ચૂંટાયા છે. તે ઉપરાંત પોરબંદરથી સામતભાઈ ઓડેદરા ચૂંટાયા છે.


અનેક ખેડૂતો સંકળાયેલા છે આ સંસ્થા સાથે!

ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ એટલે GUJCOMASOLએ રાજ્યનું સર્વોચ્ચ સહકારી માર્કેટિંગ ફેડરેશન છે જેનું ટર્ન ઓવર કરોડોમાં છે . એગ્રો ઇનપુટ્સ અને ખેડૂતોના ફાર્મ આઉટપુટની પ્રાપ્તિના વ્યવસાયમાં ઊંડાણપૂર્વક સંકળાયેલું છે. 4764.36 કરોડ છે. તે રાજ્યમાં તેના મજબૂત સહકારી નેટવર્ક દ્વારા ખેડૂતોને વિવિધ પ્રકારની સેવાઓ પણ પૂરી પાડે છે. ખેડૂતોની પ્રગતિ થાય તે માટે આ સંસ્થા કામ કરે છે. ખેડૂતોને બિયારણ, જંતુનાશક દવાઓ, ખાતર, ઉપભોક્તા ચીજવસ્તુઓની મૂલ્યવર્ધિત ગુણવત્તા, કૃષિ ચીજવસ્તુઓનો વેપાર અને વેરહાઉસિંગ જેવી શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત કૃષિ સામગ્રી પ્રદાન કરીને ખેડૂતોની ખેતીની ઉપજ અને સમૃદ્ધિમાં વધારો કરે છે. ત્યારે અમદાવાદની ચૂંટણીમાં પાંચ વર્ષ માટે અ વર્ગ અને બ વર્ગના તમામ ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાયા હતા. 


કોણ કોણ ચૂંટાયું? 

જો અ વર્ગના ડિરેક્ટરની વાત કરીએ તો અમદાવાદથી નરહરિ અમીન, મહેસાણાથી પોપટલાલ પટેલ, વાસણા અમદાવાદથી પરેશભાઈ દાણી, પોરબંદરથી સામતભાઈ ઓડેદરા, અંકિતભાઈ શાહ ગોધરા, પંચમહાલથી ચૂંટાયા છે. સુરેન્દ્રનગરથી વિરેન્દ્રભાઈ આચાર્ય, આણંદથી ગીરીષભાઈ પટેલ, ભાવનગરમાં ડો.સમીર શાહ, સાબરકાંઠાથી જેઠાભાઈ પટેલ, આણંદથી યોગેશભાઈ ઉપાધ્યાય છે. તે સિવાય બ વર્ગના ડિરેક્ટરની વાત કરીએ તો મહુધાથી મહેશભાઈ પટેલ, કલોલથી પન્નાબેન ચૌહાણ ચૂંટાયા છે.  




મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.