ધી ગુજરાત સ્ટેટ કો.ઓ.કન્ઝ્યુમર્સ ફેડરેશન લીમિટેડની ચૂંટણીના પરિણામ જાહેર, ફેડરેશનના ચેરમેન બન્યા.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-03-07 17:58:38

આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે, પશુપાલન કરી અનેક પશુપાલકો રોજગારી મેળવતા હોય છે. અનેક એવી સરકારી સંસ્થાઓએ જ્યાં અનેક પશુપાલકો જોડાયેલા હોય છે. ત્યારે મુખ્યત્વે ખેડૂતો જે સંસ્થા સાથે જોડાયેલા છે તે છે ધી ગુજરાત સ્ટેટ કો ઓ. કન્ઝયુમર્સ ફેડરેશન લિમિટેડ છે. 1960થી અનેક ખેડૂતો આ સંસ્થા સાથે જોડાયેલા છે.  ધી ગુજરાત સ્ટેટ કો ઓ. કન્ઝયુમર્સ ફેડરેશન લિમિટેડ અમદાવાદની ચૂંટણીમાં પાંચ વર્ષ માટે અ વર્ગ અને બ વર્ગના તમામ ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાયા છે. ફેડરેશનના ચેરમેન તરીકે નરહરિ અમીન, સંસદ સભ્ય, રાજ્યસભા (ગુજરાત) તેમજ વાઈસ ચેરમેન તરીકે પોપટલાલ પટેલ બિનહરીફ ચૂંટાયા છે. તે ઉપરાંત પોરબંદરથી સામતભાઈ ઓડેદરા ચૂંટાયા છે.


અનેક ખેડૂતો સંકળાયેલા છે આ સંસ્થા સાથે!

ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ એટલે GUJCOMASOLએ રાજ્યનું સર્વોચ્ચ સહકારી માર્કેટિંગ ફેડરેશન છે જેનું ટર્ન ઓવર કરોડોમાં છે . એગ્રો ઇનપુટ્સ અને ખેડૂતોના ફાર્મ આઉટપુટની પ્રાપ્તિના વ્યવસાયમાં ઊંડાણપૂર્વક સંકળાયેલું છે. 4764.36 કરોડ છે. તે રાજ્યમાં તેના મજબૂત સહકારી નેટવર્ક દ્વારા ખેડૂતોને વિવિધ પ્રકારની સેવાઓ પણ પૂરી પાડે છે. ખેડૂતોની પ્રગતિ થાય તે માટે આ સંસ્થા કામ કરે છે. ખેડૂતોને બિયારણ, જંતુનાશક દવાઓ, ખાતર, ઉપભોક્તા ચીજવસ્તુઓની મૂલ્યવર્ધિત ગુણવત્તા, કૃષિ ચીજવસ્તુઓનો વેપાર અને વેરહાઉસિંગ જેવી શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત કૃષિ સામગ્રી પ્રદાન કરીને ખેડૂતોની ખેતીની ઉપજ અને સમૃદ્ધિમાં વધારો કરે છે. ત્યારે અમદાવાદની ચૂંટણીમાં પાંચ વર્ષ માટે અ વર્ગ અને બ વર્ગના તમામ ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાયા હતા. 


કોણ કોણ ચૂંટાયું? 

જો અ વર્ગના ડિરેક્ટરની વાત કરીએ તો અમદાવાદથી નરહરિ અમીન, મહેસાણાથી પોપટલાલ પટેલ, વાસણા અમદાવાદથી પરેશભાઈ દાણી, પોરબંદરથી સામતભાઈ ઓડેદરા, અંકિતભાઈ શાહ ગોધરા, પંચમહાલથી ચૂંટાયા છે. સુરેન્દ્રનગરથી વિરેન્દ્રભાઈ આચાર્ય, આણંદથી ગીરીષભાઈ પટેલ, ભાવનગરમાં ડો.સમીર શાહ, સાબરકાંઠાથી જેઠાભાઈ પટેલ, આણંદથી યોગેશભાઈ ઉપાધ્યાય છે. તે સિવાય બ વર્ગના ડિરેક્ટરની વાત કરીએ તો મહુધાથી મહેશભાઈ પટેલ, કલોલથી પન્નાબેન ચૌહાણ ચૂંટાયા છે.  




ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."