છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન છતાં 1995થી 2017 સુધી યોજાયેલી ચૂંટણીમાં સીટો ઘટી


  • Published By :
  • Published Date : 2022-11-08 20:03:25


ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. રાજ્યમાં આ વખતે ભાજપ, કોગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. ચૂંટણીને લઈ રાજકીય વિશ્લેષણો શરૂ થઈ ગયા છે. ત્યારે સવાલ એ થાય છે કે 27 વર્ષના ભાજપના શાસનમાં લોકોનું સમર્થન કેવું રહ્યું છે?.


ભાજપની બેઠકો ઘટી


ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું એકહથ્થું શાસન રહ્યું છે પણ જો 1995થી 2017 સુધી યોજાયેલી તમામ વિધાનસભાની ચૂંટણી પર એક તટસ્થ વિષ્લેષણ કરીએ તો ભાજપની સીટો અને જનસમર્થન ઘટ્યું છે.


કેશુભાઈ પટેલના નેતૃત્વમાં ભાજપનો દેખાવ


ભાજપને રાજ્યમાં સૌ પ્રથમ સત્તા વર્ષ 1995માં મળી હતી. કેશુભાઈ પટેલના નેતૃત્વમાં ભાજપને 182માંથી 121 સીટો મળી હતી અને તે સમયે ભાજપનો વોટ શેર 42.51 ટકા હતો. જ્યારે કોંગ્રેસને માત્ર 45 સીટો મળી હતી અને તેનો વોટ શેર 32.86 ટકા રહ્યો હતો


1998ની વિધાનસભાની ચૂંટણી


વર્ષ 1998માં ભાજપની સીટો ઘટીને 117 થઈ ગઈ હતી. જો કે વોટ શેર વધીને 44.81 ટકા રહ્યો હતો. જ્યારે કોંગ્રેસની સીટો વધીને 53 થઈ હતી, અને વોટ શેર પણ વધીને 34.85 ટકા રહ્યો હતો.


મોદીના નેતૃત્વમાં કેવું રહ્યું ભાજપનું પર્ફોર્મન્સ?


કેશુભાઈ પટેલને હટાવીને ભાજપે નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. ઓક્ટોબર 2001માં તેમણે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રાજયમાં ત્યાર બાદ વર્ષ 2002, 2007 અને 2012માં યોજાયેલી તમામ ચૂંટણી ભાજપે તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લડી અને જીતી હતી તેમ છતાં તે પણ 2002 જેવો કમાલ કરી શક્યા ન હતા. 


ગોધરા કાંડ ભાજપ માટે ટર્નિંગ પોઈન્ટ


ગોધરા કાંડ ભાજપ માટે ટર્નિંગ પોઈન્ટ રહ્યો હતો. ગોધરા કાંડ પછી રાજ્યમાં જબરદસ્ત કોમી તોફાનો થયા હતા. રાજ્યમાં સર્વત્ર હિંદુત્વની લહેર હતી જેણે ભાજપની નૈયા પાર ઉતારી હતી.2002માં થયેલી ચૂંટણીમાં ભાજપને અત્યાર સુધી સૌથી વધુ 127 સીટો મળી હતી. વોટ શેર પણ વધીને 49.8 રહ્યો હતો.


પાટીદાર આંદોલનથી ભાજપને ફટકો


રાજ્યમાં પાટીદારોએ ઓબીસીમાં સમાવેશ કરવા માટે જ હાર્હિક પટેલના નેતૃત્વમાં આંદોલન કર્યું હતું PAAS ના નેતાઓએ શરૂ કરેલા આંદોલનની અસર સમગ્ર રાજ્યમાં થઈ હતી. પાટીદાર આંદોલન દરમિયાન પોલીસ ગોળીબારમાં 14 પાટીદાર યુવકોનાં મોત થયાં હતાં, જેના કારણે ભાજપની સમર્પિત પાટીદાર ભાજપથી વિમુખ થઈ ગઈ હતી. 2017માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જબરદસ્ત ફટકો પડ્યો હતો અને ભાજપને અત્યાર સૂધીની સૌથી ઓછી માત્ર 99 બેઠકો જ મળી હતી. 




અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.