છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન છતાં 1995થી 2017 સુધી યોજાયેલી ચૂંટણીમાં સીટો ઘટી


  • Published By :
  • Published Date : 2022-11-08 20:03:25


ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. રાજ્યમાં આ વખતે ભાજપ, કોગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. ચૂંટણીને લઈ રાજકીય વિશ્લેષણો શરૂ થઈ ગયા છે. ત્યારે સવાલ એ થાય છે કે 27 વર્ષના ભાજપના શાસનમાં લોકોનું સમર્થન કેવું રહ્યું છે?.


ભાજપની બેઠકો ઘટી


ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું એકહથ્થું શાસન રહ્યું છે પણ જો 1995થી 2017 સુધી યોજાયેલી તમામ વિધાનસભાની ચૂંટણી પર એક તટસ્થ વિષ્લેષણ કરીએ તો ભાજપની સીટો અને જનસમર્થન ઘટ્યું છે.


કેશુભાઈ પટેલના નેતૃત્વમાં ભાજપનો દેખાવ


ભાજપને રાજ્યમાં સૌ પ્રથમ સત્તા વર્ષ 1995માં મળી હતી. કેશુભાઈ પટેલના નેતૃત્વમાં ભાજપને 182માંથી 121 સીટો મળી હતી અને તે સમયે ભાજપનો વોટ શેર 42.51 ટકા હતો. જ્યારે કોંગ્રેસને માત્ર 45 સીટો મળી હતી અને તેનો વોટ શેર 32.86 ટકા રહ્યો હતો


1998ની વિધાનસભાની ચૂંટણી


વર્ષ 1998માં ભાજપની સીટો ઘટીને 117 થઈ ગઈ હતી. જો કે વોટ શેર વધીને 44.81 ટકા રહ્યો હતો. જ્યારે કોંગ્રેસની સીટો વધીને 53 થઈ હતી, અને વોટ શેર પણ વધીને 34.85 ટકા રહ્યો હતો.


મોદીના નેતૃત્વમાં કેવું રહ્યું ભાજપનું પર્ફોર્મન્સ?


કેશુભાઈ પટેલને હટાવીને ભાજપે નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. ઓક્ટોબર 2001માં તેમણે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રાજયમાં ત્યાર બાદ વર્ષ 2002, 2007 અને 2012માં યોજાયેલી તમામ ચૂંટણી ભાજપે તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લડી અને જીતી હતી તેમ છતાં તે પણ 2002 જેવો કમાલ કરી શક્યા ન હતા. 


ગોધરા કાંડ ભાજપ માટે ટર્નિંગ પોઈન્ટ


ગોધરા કાંડ ભાજપ માટે ટર્નિંગ પોઈન્ટ રહ્યો હતો. ગોધરા કાંડ પછી રાજ્યમાં જબરદસ્ત કોમી તોફાનો થયા હતા. રાજ્યમાં સર્વત્ર હિંદુત્વની લહેર હતી જેણે ભાજપની નૈયા પાર ઉતારી હતી.2002માં થયેલી ચૂંટણીમાં ભાજપને અત્યાર સુધી સૌથી વધુ 127 સીટો મળી હતી. વોટ શેર પણ વધીને 49.8 રહ્યો હતો.


પાટીદાર આંદોલનથી ભાજપને ફટકો


રાજ્યમાં પાટીદારોએ ઓબીસીમાં સમાવેશ કરવા માટે જ હાર્હિક પટેલના નેતૃત્વમાં આંદોલન કર્યું હતું PAAS ના નેતાઓએ શરૂ કરેલા આંદોલનની અસર સમગ્ર રાજ્યમાં થઈ હતી. પાટીદાર આંદોલન દરમિયાન પોલીસ ગોળીબારમાં 14 પાટીદાર યુવકોનાં મોત થયાં હતાં, જેના કારણે ભાજપની સમર્પિત પાટીદાર ભાજપથી વિમુખ થઈ ગઈ હતી. 2017માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જબરદસ્ત ફટકો પડ્યો હતો અને ભાજપને અત્યાર સૂધીની સૌથી ઓછી માત્ર 99 બેઠકો જ મળી હતી. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.