છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન છતાં 1995થી 2017 સુધી યોજાયેલી ચૂંટણીમાં સીટો ઘટી


  • Published By :
  • Published Date : 2022-11-08 20:03:25


ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. રાજ્યમાં આ વખતે ભાજપ, કોગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. ચૂંટણીને લઈ રાજકીય વિશ્લેષણો શરૂ થઈ ગયા છે. ત્યારે સવાલ એ થાય છે કે 27 વર્ષના ભાજપના શાસનમાં લોકોનું સમર્થન કેવું રહ્યું છે?.


ભાજપની બેઠકો ઘટી


ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું એકહથ્થું શાસન રહ્યું છે પણ જો 1995થી 2017 સુધી યોજાયેલી તમામ વિધાનસભાની ચૂંટણી પર એક તટસ્થ વિષ્લેષણ કરીએ તો ભાજપની સીટો અને જનસમર્થન ઘટ્યું છે.


કેશુભાઈ પટેલના નેતૃત્વમાં ભાજપનો દેખાવ


ભાજપને રાજ્યમાં સૌ પ્રથમ સત્તા વર્ષ 1995માં મળી હતી. કેશુભાઈ પટેલના નેતૃત્વમાં ભાજપને 182માંથી 121 સીટો મળી હતી અને તે સમયે ભાજપનો વોટ શેર 42.51 ટકા હતો. જ્યારે કોંગ્રેસને માત્ર 45 સીટો મળી હતી અને તેનો વોટ શેર 32.86 ટકા રહ્યો હતો


1998ની વિધાનસભાની ચૂંટણી


વર્ષ 1998માં ભાજપની સીટો ઘટીને 117 થઈ ગઈ હતી. જો કે વોટ શેર વધીને 44.81 ટકા રહ્યો હતો. જ્યારે કોંગ્રેસની સીટો વધીને 53 થઈ હતી, અને વોટ શેર પણ વધીને 34.85 ટકા રહ્યો હતો.


મોદીના નેતૃત્વમાં કેવું રહ્યું ભાજપનું પર્ફોર્મન્સ?


કેશુભાઈ પટેલને હટાવીને ભાજપે નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. ઓક્ટોબર 2001માં તેમણે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રાજયમાં ત્યાર બાદ વર્ષ 2002, 2007 અને 2012માં યોજાયેલી તમામ ચૂંટણી ભાજપે તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લડી અને જીતી હતી તેમ છતાં તે પણ 2002 જેવો કમાલ કરી શક્યા ન હતા. 


ગોધરા કાંડ ભાજપ માટે ટર્નિંગ પોઈન્ટ


ગોધરા કાંડ ભાજપ માટે ટર્નિંગ પોઈન્ટ રહ્યો હતો. ગોધરા કાંડ પછી રાજ્યમાં જબરદસ્ત કોમી તોફાનો થયા હતા. રાજ્યમાં સર્વત્ર હિંદુત્વની લહેર હતી જેણે ભાજપની નૈયા પાર ઉતારી હતી.2002માં થયેલી ચૂંટણીમાં ભાજપને અત્યાર સુધી સૌથી વધુ 127 સીટો મળી હતી. વોટ શેર પણ વધીને 49.8 રહ્યો હતો.


પાટીદાર આંદોલનથી ભાજપને ફટકો


રાજ્યમાં પાટીદારોએ ઓબીસીમાં સમાવેશ કરવા માટે જ હાર્હિક પટેલના નેતૃત્વમાં આંદોલન કર્યું હતું PAAS ના નેતાઓએ શરૂ કરેલા આંદોલનની અસર સમગ્ર રાજ્યમાં થઈ હતી. પાટીદાર આંદોલન દરમિયાન પોલીસ ગોળીબારમાં 14 પાટીદાર યુવકોનાં મોત થયાં હતાં, જેના કારણે ભાજપની સમર્પિત પાટીદાર ભાજપથી વિમુખ થઈ ગઈ હતી. 2017માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જબરદસ્ત ફટકો પડ્યો હતો અને ભાજપને અત્યાર સૂધીની સૌથી ઓછી માત્ર 99 બેઠકો જ મળી હતી. 




ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.