બ્રિટેનમાં આવતી કાલે યોજાશે ચૂંટણી, 14 વર્ષ પછી લેબર પાર્ટીની સત્તામાં વાપસી નિશ્ચિત?


  • Published By :
  • Published Date : 2024-07-03 18:39:29

બ્રિટનમાં સામાન્ય ચૂંટણી માટે ગુરુવારે મતદાન યોજાવાનું છે. બ્રિટનમાં 14 વર્ષથી સત્તા પર રહેલી કન્ઝર્વેટિવ પાર્ટી અને પીએમ ઋષિ સુનક માટે આ ચૂંટણી એક અગ્નિપરીક્ષા સમાન છે. કારણ કે મોટા ભાગના સરવેમાં પાર્ટીની કારમી હારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ, વિપક્ષી લેબર પાર્ટી 2010 પછી સત્તામાં વાપસી કરે તેવી સંભાવનાઓ રહેલી છે.


લેબર પાર્ટીએ લોકોને શું આપ્યા છે વચન?

2019માં લેબર પાર્ટીએ સત્તા સંભાળ્યા પછી સ્ટારમેરે કામ કરતા પરિવારો પર ટેક્સ નહીં વધારવા અને સ્થળાંતર કરનારાઓને દેશનિકાલ કરવાને બદલે સરહદ સુરક્ષિત કરવાનું વચન આપ્યું હતું. લેબર પાર્ટીમાંથી યહૂદી વિરોધીવાદ દૂર કરાયો. સ્ટારમર લંડનની બહાર સરેમાં ડાબેરી મજૂર વર્ગના પરિવારમાં ઉછર્યા હતા. તેમના પિતા ટૂલમેકર હતા. તેમણે લીડ્ઝ અને ઓક્સફર્ડમાં કાયદાનો અભ્યાસ કર્યો. 


5 જુલાઈએ આવવાનું છે પરિણામ 

એક યુવાન વકીલ તરીકે સ્ટારમેરે મેકડોનાલ્ડ્સ દ્વારા બદનક્ષીનો આરોપ મૂકનારા વિરોધીઓનું પ્રતિનિધિત્વ કર્યું.....4 જુલાઈના રોજ સવારે 7થી 10 વાગ્યા સુધી મતદાન થશે. મધરાત 12થી પરિણામ આવવાનું શરૂ થશે અને 5 જુલાઈના રોજ સવારે 5 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ભારતીય સમય અનુસાર ગુરુવારે બપોરે 12.30 વાગ્યાથી શુક્રવારે સવારે 3.30 વાગ્યા સુધી મતદાન થશે. શુક્રવારે સવારે 5.30 વાગ્યાથી પરિણામ આવવાનું શરૂ થશે, સવારે 10.30 વાગ્યા સુધીમાં સ્થિતિ સ્પષ્ટ થશે. સરકાર રચવા કેટલી બેઠકો જરૂરી છે ? ભારતની જેમ બ્રિટિશ સંસદનાં બે ગૃહ છે. લોઅર સદન(હાઉસ ઓફ કોમન્સ)ની 650 બેઠકો પર મતદાન થશે. જે પક્ષને 50% સીટો અથવા 326થી વધુ સીટો મળશે તે પક્ષ રાજા સમક્ષ સરકાર રચવા દાવો કરશે.


આ વખતે સરવે શું કહે છે?

2019માં 67% મતદાન થયું હતું. જેમાં સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીને 365 સીટો, કીર સ્ટારમરની લેબર પાર્ટીને 202 સીટો અને લિબરલ ડેમોક્રેટ્સને 11 સીટો મળી હતી. આ વખતે મોટા ભાગના સરવેમાં કન્ઝર્વેટિવ પાર્ટીની કારમી હારની આશંકા વ્યક્ત કરાઈ છે. યુગોવ સરવે મુજબ લેબર પાર્ટીને 425 બેઠકો, કન્ઝર્વેટિવને 108 બેઠકો, લિબરલ ડેમોક્રેટ્સને 67 બેઠકો અને એસએનપીને 20 બેઠકો મળી શકે છે....



એક સર્વેમાં સામે આવ્યું છે કે ભારતીય મૂળના ઋષિ સુનકને બ્રિટનમાં ભારતીય મૂળના લોકોનું સમર્થન નથી મળી રહ્યું.... સર્વે અનુસાર, બ્રિટનના 65% ભારતીય મતદારો સુનકની પાર્ટીની વિરુદ્ધ છે... બ્રિટનમાં લગભગ 25 લાખ ભારતીયો મતદાન કરશે (બ્રિટન ચૂંટણી 2024)..... સર્વે અનુસાર, ઋષિ સુનકની લોકપ્રિયતામાં ઘટાડો થવા પાછળનું કારણ વધતી મોંઘવારી વચ્ચે સુનક પરિવારની જીવનશૈલી પર ભારે ખર્ચ હોવાનું કહેવાય છે. 



આર્થિક સંકટને દૂર કરવામાં પીએમ રહ્યા નિષ્ફળ

પીએમ તરીકે, સુનક બ્રિટન જે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે તેને દૂર કરવામાં નિષ્ફળ રહ્યા છે. તેથી, ભારતીય સમુદાયના લોકો પણ ટોરી વિરોધી લહેરમાં જોડાયા છે.સર્વેમાં સામેલ ભારતીય મતદારોનું કહેવું છે કે પીએમ ઋષિ સુનકના લગભગ દોઢ વર્ષના કાર્યકાળ દરમિયાન ભારતીયોની તરફેણમાં કોઈ મોટું પગલું લેવામાં આવ્યું નથી. વિઝા નિયમો પહેલા કરતા વધુ કડક બનાવવામાં આવ્યા છે... આવતીકાલે ચૂંટણી અને પછી પરિણામ આવશે તેના પર સૌ કોઈની નજર છે... 



ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી , હવે ફરી એકવાર બેઉ દેશ ભારત અને પાકિસ્તાન આરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહ્યા છે . ભારત અને પાકિસ્તાનની નૌકા સેનાઓ બે દિવસો ૧૧ અને ૧૨ ઓગસ્ટ માટે , આરબ સાગરમાં યુદ્ધ અબ્યાસ હાથ ધરશે. બને દેશના ફાયરિંગ ઝોન વચ્ચે ૬૦ નોટિકલ માઈલનું અંતર રહેશે. તો હવે બીજી તરફ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાની મુલાકાતે છે . જ્યાંથી તેમણે ભારત માટે પરમાણુ બોમ્બની ધમકી ઉચ્ચારી છે.

ભારતના નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજિત ડોભાલ રશિયાની મુલાકાતે છે. જ્યાં તેમણે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સહીત રશિયન સિક્યોરિટી સાથે જોડાયેલા અધિકારીઓ સાથે વાતચીત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના "ટેરિફ" રૂપી ટેરરિઝમની સામે ભારત અને રશિયા પોતાનો સહયોગ વધારવા જઈ રહ્યા છે . સાથે જ અજિત ડોભાલની આ મુલાકાતમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત આવવાના છે તેને લઇને તારીખો પર પણ ચર્ચા થઇ છે .

ગોંડલના અનિરુદ્ધસિંહ રીબડા જેમની સજા માફી મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સરકારનો ઉઘાડો લીધો છે. ગુજરાત સરકારે , ૨૦૧૮માં અનિરુદ્ધસિંહ રીબડાને કોંગ્રેસના પૂર્વ MLA પોપટભાઈ સોરઠિયાની ૧૯૮૮માં જે હત્યા કરવામાં આવી તે કેસમાં માફી આપી હતી . તો હવે આ સજા માફીને પડકારતી પિટિશન સ્વ. પોપટભાઈ સોરઠિયાના પૌત્ર ધ્વરા હાઇકોર્ટમાં કરવામાં આવી હતી . આ મામલે ગુજરાત હાઇકોર્ટે સરકારના સત્તાધીશોની સાથે જેલના સત્તાધીશોને સવાલો પૂછ્યા છે. તો હવે પ્રશ્ન થાય છે કે , અનિરુદ્ધસિંહ રીબડા આ કેસમાં ફરીથી જેલમાં જશે?

જયારે પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું કે , ભારત કહે છે કે અમેરિકા રશિયા પાસેથી યુરેનિયમ , ખાતર અને કેમિકલની આયાત કરે છે જયારે તમે ભારતની રશિયન ક્રૂડ ઓઈલની આયાતની નિંદા કરો છો તો તમે શું કહેશો? ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પએ જવાબ આપ્યો કે , હું આ વિશે કશું જ જાણતો નથી. તો હવે ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના નેતા નીક્કી હેલી હેલીએ પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને લખ્યું છે કે અમેરિકાએ ભારત સાથે સબંધો બગાડવા ના જોઈએ .