બ્રિટેનમાં આવતી કાલે યોજાશે ચૂંટણી, 14 વર્ષ પછી લેબર પાર્ટીની સત્તામાં વાપસી નિશ્ચિત?


  • Published By :
  • Published Date : 2024-07-03 18:39:29

બ્રિટનમાં સામાન્ય ચૂંટણી માટે ગુરુવારે મતદાન યોજાવાનું છે. બ્રિટનમાં 14 વર્ષથી સત્તા પર રહેલી કન્ઝર્વેટિવ પાર્ટી અને પીએમ ઋષિ સુનક માટે આ ચૂંટણી એક અગ્નિપરીક્ષા સમાન છે. કારણ કે મોટા ભાગના સરવેમાં પાર્ટીની કારમી હારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ, વિપક્ષી લેબર પાર્ટી 2010 પછી સત્તામાં વાપસી કરે તેવી સંભાવનાઓ રહેલી છે.


લેબર પાર્ટીએ લોકોને શું આપ્યા છે વચન?

2019માં લેબર પાર્ટીએ સત્તા સંભાળ્યા પછી સ્ટારમેરે કામ કરતા પરિવારો પર ટેક્સ નહીં વધારવા અને સ્થળાંતર કરનારાઓને દેશનિકાલ કરવાને બદલે સરહદ સુરક્ષિત કરવાનું વચન આપ્યું હતું. લેબર પાર્ટીમાંથી યહૂદી વિરોધીવાદ દૂર કરાયો. સ્ટારમર લંડનની બહાર સરેમાં ડાબેરી મજૂર વર્ગના પરિવારમાં ઉછર્યા હતા. તેમના પિતા ટૂલમેકર હતા. તેમણે લીડ્ઝ અને ઓક્સફર્ડમાં કાયદાનો અભ્યાસ કર્યો. 


5 જુલાઈએ આવવાનું છે પરિણામ 

એક યુવાન વકીલ તરીકે સ્ટારમેરે મેકડોનાલ્ડ્સ દ્વારા બદનક્ષીનો આરોપ મૂકનારા વિરોધીઓનું પ્રતિનિધિત્વ કર્યું.....4 જુલાઈના રોજ સવારે 7થી 10 વાગ્યા સુધી મતદાન થશે. મધરાત 12થી પરિણામ આવવાનું શરૂ થશે અને 5 જુલાઈના રોજ સવારે 5 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ભારતીય સમય અનુસાર ગુરુવારે બપોરે 12.30 વાગ્યાથી શુક્રવારે સવારે 3.30 વાગ્યા સુધી મતદાન થશે. શુક્રવારે સવારે 5.30 વાગ્યાથી પરિણામ આવવાનું શરૂ થશે, સવારે 10.30 વાગ્યા સુધીમાં સ્થિતિ સ્પષ્ટ થશે. સરકાર રચવા કેટલી બેઠકો જરૂરી છે ? ભારતની જેમ બ્રિટિશ સંસદનાં બે ગૃહ છે. લોઅર સદન(હાઉસ ઓફ કોમન્સ)ની 650 બેઠકો પર મતદાન થશે. જે પક્ષને 50% સીટો અથવા 326થી વધુ સીટો મળશે તે પક્ષ રાજા સમક્ષ સરકાર રચવા દાવો કરશે.


આ વખતે સરવે શું કહે છે?

2019માં 67% મતદાન થયું હતું. જેમાં સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીને 365 સીટો, કીર સ્ટારમરની લેબર પાર્ટીને 202 સીટો અને લિબરલ ડેમોક્રેટ્સને 11 સીટો મળી હતી. આ વખતે મોટા ભાગના સરવેમાં કન્ઝર્વેટિવ પાર્ટીની કારમી હારની આશંકા વ્યક્ત કરાઈ છે. યુગોવ સરવે મુજબ લેબર પાર્ટીને 425 બેઠકો, કન્ઝર્વેટિવને 108 બેઠકો, લિબરલ ડેમોક્રેટ્સને 67 બેઠકો અને એસએનપીને 20 બેઠકો મળી શકે છે....



એક સર્વેમાં સામે આવ્યું છે કે ભારતીય મૂળના ઋષિ સુનકને બ્રિટનમાં ભારતીય મૂળના લોકોનું સમર્થન નથી મળી રહ્યું.... સર્વે અનુસાર, બ્રિટનના 65% ભારતીય મતદારો સુનકની પાર્ટીની વિરુદ્ધ છે... બ્રિટનમાં લગભગ 25 લાખ ભારતીયો મતદાન કરશે (બ્રિટન ચૂંટણી 2024)..... સર્વે અનુસાર, ઋષિ સુનકની લોકપ્રિયતામાં ઘટાડો થવા પાછળનું કારણ વધતી મોંઘવારી વચ્ચે સુનક પરિવારની જીવનશૈલી પર ભારે ખર્ચ હોવાનું કહેવાય છે. 



આર્થિક સંકટને દૂર કરવામાં પીએમ રહ્યા નિષ્ફળ

પીએમ તરીકે, સુનક બ્રિટન જે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે તેને દૂર કરવામાં નિષ્ફળ રહ્યા છે. તેથી, ભારતીય સમુદાયના લોકો પણ ટોરી વિરોધી લહેરમાં જોડાયા છે.સર્વેમાં સામેલ ભારતીય મતદારોનું કહેવું છે કે પીએમ ઋષિ સુનકના લગભગ દોઢ વર્ષના કાર્યકાળ દરમિયાન ભારતીયોની તરફેણમાં કોઈ મોટું પગલું લેવામાં આવ્યું નથી. વિઝા નિયમો પહેલા કરતા વધુ કડક બનાવવામાં આવ્યા છે... આવતીકાલે ચૂંટણી અને પછી પરિણામ આવશે તેના પર સૌ કોઈની નજર છે... 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.