Electoral Bond : જાણો કયા પક્ષને મળ્યું કેટલા કરોડનું દાન? ફરી એક વખત Supreme Courtએ કાઢી એસબીઆઈની ઝાટકણી..


  • Published By :
  • Published Date : 2024-03-15 12:16:16

ચૂંટણી બોન્ડનો ડેટા ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાએ પોતાની વેબસાઈટ પર મૂકી દીધો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. વેબસાઈટ પર મૂકવામાં આવેલા આંકડા ચોંકાવનારા છે. અનેક કંપનીઓ રાજકીય પાર્ટી ચંદા મામા તરીકે ઉભરી છે. અહીં નોંધનીય વાત એ છે કે કંપનીનું જે લિસ્ટ બહાર આવ્યું છે તેમાં રિલાયન્સ, અદાણી, તાતા જેવી કંપનીઓનો સમાવેશ નથી. ભારતીય જનતા પાર્ટીને સૌથી વધારે દાન મળ્યું છે. 

BJP second candidates list may have surprises with replacement of some MPs,  indicates senior leader - The Economic Times

Indian National Congress - Simple English Wikipedia, the free encyclopedia

Trinamool Congress - Simple English Wikipedia, the free encyclopedia

કઈ પાર્ટીને કેટલું દાન મળ્યું? 

રાજકીય પક્ષોને મળેલા દાનની વાત કરીએ તો ભાજપને 6060 કરોડનું, તૃણુમુલ કોંગ્રેસને 1609 કરોડનું દાન મળ્યું છે જ્યારે કોંગ્રેસને 1421 કરોડનું દાન મળ્યું છે. તે ઉપરાંત બીઆરએસને 1214 કરોડ મળ્યા છે. તે ઉપરાંત બીજેડીને 775 કરોડ મળ્યા છે. ડીએમકેને 639 કરોડનું દાન મળ્યું છે. ડીએમકેને 639 કરોડનું જ્યારે YSR કોંગ્રેસને 337 કરોડનું દાન મળ્યું છે. ટીડીપીને 218 કરોડનું જ્યારે શિવસેનાને 158 કરોડનું દાન મળ્યું છે. આરજેડીને 72.5 કરોડનું દાન મળ્યું છે. 


એસબીઆઈને સુપ્રીમ કોર્ટે આપ્યો હતો આદેશ! 

લોકસભા ચૂંટણી નજીક છે. ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે અને આ બધા વચ્ચે સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂંટણી બોન્ડને લઈ ગેરમાન્ય માન્યા હતા. રદ્દ કરી દીધા હતા ચૂંટણી બોન્ડને. ચૂંટણી બોન્ડને લઈ સુપ્રીમ કોર્ટ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું હતું અને એસબીઆઈને કડક આદેશ આપવામાં આવ્યો હતો. તે બાદ એસબીઆઈએ ચૂંટણી બોન્ડનો ડેટા સુપ્રીમ કોર્ટમાં જમા કરાવ્યો હતો અને તે બાદ ચૂંટણી પંચે તે ડેટાને પોતાની વેબસાઈટ પર મૂક્યું હતું. કઈ કંપનીએ કેટલાના ચૂંટણી બોન્ડ ખરીદ્યા તે અંગેની જાણકારી આપવામાં આવી. કઈ પાર્ટીનું નામ કેટલી વાર છે તે અંગેની માહિતી આપવામાં આવી છે. 



ફરી એક વખત સુપ્રીમ કોર્ટે કાઢી એસબીઆઈની ઝાટકણી

મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા ફરી એક વખત એસબીઆઈની ઝાટકણા કાઢવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે દ્વારા પૂછવામાં આવ્યું કે શા માટે ચૂંટણી પંચને આપવામાં આવેલા ઈલેક્ટ્રોલ બોન્ડના ડેટામાં બોન્ડ નંબર નથી આપવામાં આવ્યો? મહત્વનું છે કે ચૂંટણી બોન્ડને લઈ જ્યારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી તે વખતે એસબીઆઈ દ્વારા સમય માગવામાં આવ્યો હતો. બેન્કને સમય આપવામાં આવે તેવી અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી પરંતુ તે અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી અને ડેટા શેર કરવા આદેશ આપ્યો હતો.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.