Electoral Bond : જાણો કયા પક્ષને મળ્યું કેટલા કરોડનું દાન? ફરી એક વખત Supreme Courtએ કાઢી એસબીઆઈની ઝાટકણી..


  • Published By :
  • Published Date : 2024-03-15 12:16:16

ચૂંટણી બોન્ડનો ડેટા ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાએ પોતાની વેબસાઈટ પર મૂકી દીધો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. વેબસાઈટ પર મૂકવામાં આવેલા આંકડા ચોંકાવનારા છે. અનેક કંપનીઓ રાજકીય પાર્ટી ચંદા મામા તરીકે ઉભરી છે. અહીં નોંધનીય વાત એ છે કે કંપનીનું જે લિસ્ટ બહાર આવ્યું છે તેમાં રિલાયન્સ, અદાણી, તાતા જેવી કંપનીઓનો સમાવેશ નથી. ભારતીય જનતા પાર્ટીને સૌથી વધારે દાન મળ્યું છે. 

BJP second candidates list may have surprises with replacement of some MPs,  indicates senior leader - The Economic Times

Indian National Congress - Simple English Wikipedia, the free encyclopedia

Trinamool Congress - Simple English Wikipedia, the free encyclopedia

કઈ પાર્ટીને કેટલું દાન મળ્યું? 

રાજકીય પક્ષોને મળેલા દાનની વાત કરીએ તો ભાજપને 6060 કરોડનું, તૃણુમુલ કોંગ્રેસને 1609 કરોડનું દાન મળ્યું છે જ્યારે કોંગ્રેસને 1421 કરોડનું દાન મળ્યું છે. તે ઉપરાંત બીઆરએસને 1214 કરોડ મળ્યા છે. તે ઉપરાંત બીજેડીને 775 કરોડ મળ્યા છે. ડીએમકેને 639 કરોડનું દાન મળ્યું છે. ડીએમકેને 639 કરોડનું જ્યારે YSR કોંગ્રેસને 337 કરોડનું દાન મળ્યું છે. ટીડીપીને 218 કરોડનું જ્યારે શિવસેનાને 158 કરોડનું દાન મળ્યું છે. આરજેડીને 72.5 કરોડનું દાન મળ્યું છે. 


એસબીઆઈને સુપ્રીમ કોર્ટે આપ્યો હતો આદેશ! 

લોકસભા ચૂંટણી નજીક છે. ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે અને આ બધા વચ્ચે સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂંટણી બોન્ડને લઈ ગેરમાન્ય માન્યા હતા. રદ્દ કરી દીધા હતા ચૂંટણી બોન્ડને. ચૂંટણી બોન્ડને લઈ સુપ્રીમ કોર્ટ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું હતું અને એસબીઆઈને કડક આદેશ આપવામાં આવ્યો હતો. તે બાદ એસબીઆઈએ ચૂંટણી બોન્ડનો ડેટા સુપ્રીમ કોર્ટમાં જમા કરાવ્યો હતો અને તે બાદ ચૂંટણી પંચે તે ડેટાને પોતાની વેબસાઈટ પર મૂક્યું હતું. કઈ કંપનીએ કેટલાના ચૂંટણી બોન્ડ ખરીદ્યા તે અંગેની જાણકારી આપવામાં આવી. કઈ પાર્ટીનું નામ કેટલી વાર છે તે અંગેની માહિતી આપવામાં આવી છે. 



ફરી એક વખત સુપ્રીમ કોર્ટે કાઢી એસબીઆઈની ઝાટકણી

મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા ફરી એક વખત એસબીઆઈની ઝાટકણા કાઢવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે દ્વારા પૂછવામાં આવ્યું કે શા માટે ચૂંટણી પંચને આપવામાં આવેલા ઈલેક્ટ્રોલ બોન્ડના ડેટામાં બોન્ડ નંબર નથી આપવામાં આવ્યો? મહત્વનું છે કે ચૂંટણી બોન્ડને લઈ જ્યારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી તે વખતે એસબીઆઈ દ્વારા સમય માગવામાં આવ્યો હતો. બેન્કને સમય આપવામાં આવે તેવી અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી પરંતુ તે અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી અને ડેટા શેર કરવા આદેશ આપ્યો હતો.   



There is a lot of discussion on the relations between India and America, whether it is Donald Trump's tariff hike or calling PM Modi a special friend, everyone's eyes are on these relations between India and America. Amidst all this, US Ambassador to India Sergio Gore reached Mumbai and this visit is considered a very important one.

ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.