સરકારી વીજ ઉત્પાદન અડધું કરી, રૂ.12.12ના ભાવે ખાનગી કંપનીઓની વીજળીની ખરીદી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 17:28:09

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની વીજ ઉત્પાદન કંપનીઓ દ્વારા એપ્રિલથી સપ્ટેમ્બર 2022ના છ માસના ગાળામાં વીજળીનું ઉત્પાદન કુલ ઉત્પાદન ક્ષમતાના માત્ર 27 ટકા વીજળી ઉત્પાદન કરવામાં આવ્યું છે. બીજી તરફ આ જ છ માસના ગાળામાં યુનિટ દીઠ સરેરાશ રૂ. 12.12ના ભાવે ખાનગી કંપનીઓ પાસેથી વીજળી ખરીદી છે. ખાનગી કંપનીઓ પાસેથી વીજળી ખરીદવાનો મોકો મળે તે માટે ગુજરાત વીજ નિયમન પંચ પણ આ હકીકત સામે આખ આડા કાન કરીને ગુજરાતના 1.40 કરોડ ગ્રાહકોને અન્યાય કરી રહ્યા છે. ગુજરાતમાં 28,815 મિલિયન યુનિટ વીજળી પેદા કરવાની ક્ષમતા સામે માત્ર 12,2548 મિલિયન યુનિટ વીજળી પેદા કરવામાં આવી રહી છે. લિગ્નાઈટથી ચાલતા અને સૌથી સસ્તી વીજળીનો સપ્લાય આપવાને સક્ષમ અને 500 મેગાવોટની ક્ષમતા ધરાવતા બીએલટીપીએસના પ્લાન્ટમાં છેલ્લા છ માસના ગાળામાં સરેરાશ વીજ ઉત્પાદન 27ટકા જ રહ્યું છે. પરિણામે ગુજરાતના 1.40 કરોડ વીજ જોડાણધારકોને મોંઘી વીજળીનો બોજ વેંઢારવો પડી રહ્યો છે.


સરકારી કંપનીઓએ ક્ષમતા કરતા માત્ર 50 ટકા જ વીજ ઉત્પાદન કર્યું 


બીજી તરફ વણાકબોરી-8નો 800 મેગાવોટ અને ઉકાઈ-6નો 500 મેગાવોટના પ્લાન્ટ સસ્તી વીજળી પેદા કરવાની સક્ષમ હોવા છતાં તેમની કુલ ક્ષમતા સામે છેલ્લા છ માસમાં માત્ર 50 ટકા વીજળીનું જ ઉત્પાદન કરવામાં આવ્યું છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ કે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડને આ ગેરરીતિ બદલ કોઈ જ પૂછનાર નથી. ધુવારણ અને ઉત્રાણના પ્લાન્ટની અનુક્રમે 595 અને 375 મેગાવોટની ઉત્પાદન ક્ષમતા હોવા છતાંય એક યુનિટ પણ વીજળી તેમાં પેદા કરવામાં આવતી નથી.


એફપીપીપીએના ચાર્જ પેટે લૂંટ


ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા મોંઘી વીજળી ખરીદવામાં આવી રહી હોવાથી વીજગ્રાહકોને માથે યુનિટદીઠ એફપીપીપીએના ચાર્જ પેટે રૂ. 2.60 વસૂલી કરી શકે છે. તેમાંથી અત્યારે યુનિટદીઠ રૂ. 1.12ની વસૂલી કરવાની હજીય બાકી છે. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"