સરકારી વીજ ઉત્પાદન અડધું કરી, રૂ.12.12ના ભાવે ખાનગી કંપનીઓની વીજળીની ખરીદી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 17:28:09

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની વીજ ઉત્પાદન કંપનીઓ દ્વારા એપ્રિલથી સપ્ટેમ્બર 2022ના છ માસના ગાળામાં વીજળીનું ઉત્પાદન કુલ ઉત્પાદન ક્ષમતાના માત્ર 27 ટકા વીજળી ઉત્પાદન કરવામાં આવ્યું છે. બીજી તરફ આ જ છ માસના ગાળામાં યુનિટ દીઠ સરેરાશ રૂ. 12.12ના ભાવે ખાનગી કંપનીઓ પાસેથી વીજળી ખરીદી છે. ખાનગી કંપનીઓ પાસેથી વીજળી ખરીદવાનો મોકો મળે તે માટે ગુજરાત વીજ નિયમન પંચ પણ આ હકીકત સામે આખ આડા કાન કરીને ગુજરાતના 1.40 કરોડ ગ્રાહકોને અન્યાય કરી રહ્યા છે. ગુજરાતમાં 28,815 મિલિયન યુનિટ વીજળી પેદા કરવાની ક્ષમતા સામે માત્ર 12,2548 મિલિયન યુનિટ વીજળી પેદા કરવામાં આવી રહી છે. લિગ્નાઈટથી ચાલતા અને સૌથી સસ્તી વીજળીનો સપ્લાય આપવાને સક્ષમ અને 500 મેગાવોટની ક્ષમતા ધરાવતા બીએલટીપીએસના પ્લાન્ટમાં છેલ્લા છ માસના ગાળામાં સરેરાશ વીજ ઉત્પાદન 27ટકા જ રહ્યું છે. પરિણામે ગુજરાતના 1.40 કરોડ વીજ જોડાણધારકોને મોંઘી વીજળીનો બોજ વેંઢારવો પડી રહ્યો છે.


સરકારી કંપનીઓએ ક્ષમતા કરતા માત્ર 50 ટકા જ વીજ ઉત્પાદન કર્યું 


બીજી તરફ વણાકબોરી-8નો 800 મેગાવોટ અને ઉકાઈ-6નો 500 મેગાવોટના પ્લાન્ટ સસ્તી વીજળી પેદા કરવાની સક્ષમ હોવા છતાં તેમની કુલ ક્ષમતા સામે છેલ્લા છ માસમાં માત્ર 50 ટકા વીજળીનું જ ઉત્પાદન કરવામાં આવ્યું છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ કે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડને આ ગેરરીતિ બદલ કોઈ જ પૂછનાર નથી. ધુવારણ અને ઉત્રાણના પ્લાન્ટની અનુક્રમે 595 અને 375 મેગાવોટની ઉત્પાદન ક્ષમતા હોવા છતાંય એક યુનિટ પણ વીજળી તેમાં પેદા કરવામાં આવતી નથી.


એફપીપીપીએના ચાર્જ પેટે લૂંટ


ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા મોંઘી વીજળી ખરીદવામાં આવી રહી હોવાથી વીજગ્રાહકોને માથે યુનિટદીઠ એફપીપીપીએના ચાર્જ પેટે રૂ. 2.60 વસૂલી કરી શકે છે. તેમાંથી અત્યારે યુનિટદીઠ રૂ. 1.12ની વસૂલી કરવાની હજીય બાકી છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.