સરકારી વીજ ઉત્પાદન અડધું કરી, રૂ.12.12ના ભાવે ખાનગી કંપનીઓની વીજળીની ખરીદી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 17:28:09

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની વીજ ઉત્પાદન કંપનીઓ દ્વારા એપ્રિલથી સપ્ટેમ્બર 2022ના છ માસના ગાળામાં વીજળીનું ઉત્પાદન કુલ ઉત્પાદન ક્ષમતાના માત્ર 27 ટકા વીજળી ઉત્પાદન કરવામાં આવ્યું છે. બીજી તરફ આ જ છ માસના ગાળામાં યુનિટ દીઠ સરેરાશ રૂ. 12.12ના ભાવે ખાનગી કંપનીઓ પાસેથી વીજળી ખરીદી છે. ખાનગી કંપનીઓ પાસેથી વીજળી ખરીદવાનો મોકો મળે તે માટે ગુજરાત વીજ નિયમન પંચ પણ આ હકીકત સામે આખ આડા કાન કરીને ગુજરાતના 1.40 કરોડ ગ્રાહકોને અન્યાય કરી રહ્યા છે. ગુજરાતમાં 28,815 મિલિયન યુનિટ વીજળી પેદા કરવાની ક્ષમતા સામે માત્ર 12,2548 મિલિયન યુનિટ વીજળી પેદા કરવામાં આવી રહી છે. લિગ્નાઈટથી ચાલતા અને સૌથી સસ્તી વીજળીનો સપ્લાય આપવાને સક્ષમ અને 500 મેગાવોટની ક્ષમતા ધરાવતા બીએલટીપીએસના પ્લાન્ટમાં છેલ્લા છ માસના ગાળામાં સરેરાશ વીજ ઉત્પાદન 27ટકા જ રહ્યું છે. પરિણામે ગુજરાતના 1.40 કરોડ વીજ જોડાણધારકોને મોંઘી વીજળીનો બોજ વેંઢારવો પડી રહ્યો છે.


સરકારી કંપનીઓએ ક્ષમતા કરતા માત્ર 50 ટકા જ વીજ ઉત્પાદન કર્યું 


બીજી તરફ વણાકબોરી-8નો 800 મેગાવોટ અને ઉકાઈ-6નો 500 મેગાવોટના પ્લાન્ટ સસ્તી વીજળી પેદા કરવાની સક્ષમ હોવા છતાં તેમની કુલ ક્ષમતા સામે છેલ્લા છ માસમાં માત્ર 50 ટકા વીજળીનું જ ઉત્પાદન કરવામાં આવ્યું છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ કે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડને આ ગેરરીતિ બદલ કોઈ જ પૂછનાર નથી. ધુવારણ અને ઉત્રાણના પ્લાન્ટની અનુક્રમે 595 અને 375 મેગાવોટની ઉત્પાદન ક્ષમતા હોવા છતાંય એક યુનિટ પણ વીજળી તેમાં પેદા કરવામાં આવતી નથી.


એફપીપીપીએના ચાર્જ પેટે લૂંટ


ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા મોંઘી વીજળી ખરીદવામાં આવી રહી હોવાથી વીજગ્રાહકોને માથે યુનિટદીઠ એફપીપીપીએના ચાર્જ પેટે રૂ. 2.60 વસૂલી કરી શકે છે. તેમાંથી અત્યારે યુનિટદીઠ રૂ. 1.12ની વસૂલી કરવાની હજીય બાકી છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.