એલન મસ્કે Twitterનો નવો CEO પસંદ કર્યો, ફોટો જોઈ ચોક્કસ આશ્ચર્ય થશે


  • Published By :
  • Published Date : 2023-02-15 16:14:52

વિશ્વના બીજા ક્રમના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કે ટ્વીટરના નવા સીઈઓની પસંદગી કરી લીધી છે. એલન મસ્કે તેમના ટ્વિટર હેન્ડલ પર આ નવા સીઈઓનો ફોટો પણ ટ્વીટ કર્યો છે. જો કે તમે આ નવા સીઈઓની તસવીર નિહાળશો તો તમે પણ માથુ ખંજવાળતા રહેશો.  


કોણ છે ટ્વીટરનો નવો CEO


એલન મસ્કે ટ્વીટર પર જે નવા સીઈઓની તસવીર પોસ્ટ કરી છે તે કોઈ માણસ નહીં પણ એક શ્વાન છે. એલન મસ્કે તેમના પાલતું શ્વાનને ટ્વીટરનો નવો સીઈઓ બનાવી દીધો છે. આ શ્વાનનું નામ ફ્લોકી છે, ફ્લોકી શીબા ઈનુ પ્રજાતિનો છે. એલન મસ્કે તેની પ્રશંસા કરતા કહ્યું કે તે અન્ય સીઈઓ કરતા વધુ શ્રેષ્ઠ છે. અત્રે ઉલ્લેખનિય છે કે એલન મસ્ક છેલ્લા ઘણા સમયથી ટ્વીટરનો નવો સીઈઓ શોધી રહ્યા હતા જો કે હવે તેમણે તેમના પાલતું શ્વાનને જ સીઈઓની ખુરશી સોંપી દીધી છે.  


મસ્કએ ફ્લોકી અંગે શું કહ્યું?


ફ્લોકીની તસવીર શેર કરતાં ઓ મસ્કએ લખ્યું કે તે અન્ય CEO કરતાં ઘણી સારી છે. તેમનો ઈશારો ટ્વીટરના પૂર્વ CEO પરાગ અગ્રવાલ તરફ હતો. તેમણે પોતાના કૂતરાને બ્રાન્ડેડ બ્લેક ટી-શર્ટ, ચશ્મા પહેરીને  CEOની ખુરશી પર બેસાડ્યો. ટ્વિટરની કેટલીક ફાઇલો પણ તેની સામે ટેબલ પર રાખવામાં આવી છે. તેની ત્રણ અલગ-અલગ તસવીરો શેર કરી અને તેની ભરપુર પ્રશંસા પણ કરી હતી. જોકે લોકોને મસ્કની આ મજાક પસંદ નથી આવી. લોકોએ તેમને ટ્રોલ કરવાનું પણ શરૂ કર્યું છે. આ પ્રથમ વખત નથી, મસ્ક આ પહેલા પણ આવી મજાક કરતા રહ્યા છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.