એલન મસ્કે Twitterનો નવો CEO પસંદ કર્યો, ફોટો જોઈ ચોક્કસ આશ્ચર્ય થશે


  • Published By :
  • Published Date : 2023-02-15 16:14:52

વિશ્વના બીજા ક્રમના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કે ટ્વીટરના નવા સીઈઓની પસંદગી કરી લીધી છે. એલન મસ્કે તેમના ટ્વિટર હેન્ડલ પર આ નવા સીઈઓનો ફોટો પણ ટ્વીટ કર્યો છે. જો કે તમે આ નવા સીઈઓની તસવીર નિહાળશો તો તમે પણ માથુ ખંજવાળતા રહેશો.  


કોણ છે ટ્વીટરનો નવો CEO


એલન મસ્કે ટ્વીટર પર જે નવા સીઈઓની તસવીર પોસ્ટ કરી છે તે કોઈ માણસ નહીં પણ એક શ્વાન છે. એલન મસ્કે તેમના પાલતું શ્વાનને ટ્વીટરનો નવો સીઈઓ બનાવી દીધો છે. આ શ્વાનનું નામ ફ્લોકી છે, ફ્લોકી શીબા ઈનુ પ્રજાતિનો છે. એલન મસ્કે તેની પ્રશંસા કરતા કહ્યું કે તે અન્ય સીઈઓ કરતા વધુ શ્રેષ્ઠ છે. અત્રે ઉલ્લેખનિય છે કે એલન મસ્ક છેલ્લા ઘણા સમયથી ટ્વીટરનો નવો સીઈઓ શોધી રહ્યા હતા જો કે હવે તેમણે તેમના પાલતું શ્વાનને જ સીઈઓની ખુરશી સોંપી દીધી છે.  


મસ્કએ ફ્લોકી અંગે શું કહ્યું?


ફ્લોકીની તસવીર શેર કરતાં ઓ મસ્કએ લખ્યું કે તે અન્ય CEO કરતાં ઘણી સારી છે. તેમનો ઈશારો ટ્વીટરના પૂર્વ CEO પરાગ અગ્રવાલ તરફ હતો. તેમણે પોતાના કૂતરાને બ્રાન્ડેડ બ્લેક ટી-શર્ટ, ચશ્મા પહેરીને  CEOની ખુરશી પર બેસાડ્યો. ટ્વિટરની કેટલીક ફાઇલો પણ તેની સામે ટેબલ પર રાખવામાં આવી છે. તેની ત્રણ અલગ-અલગ તસવીરો શેર કરી અને તેની ભરપુર પ્રશંસા પણ કરી હતી. જોકે લોકોને મસ્કની આ મજાક પસંદ નથી આવી. લોકોએ તેમને ટ્રોલ કરવાનું પણ શરૂ કર્યું છે. આ પ્રથમ વખત નથી, મસ્ક આ પહેલા પણ આવી મજાક કરતા રહ્યા છે.



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?