એલન મસ્કે Twitterનો નવો CEO પસંદ કર્યો, ફોટો જોઈ ચોક્કસ આશ્ચર્ય થશે


  • Published By :
  • Published Date : 2023-02-15 16:14:52

વિશ્વના બીજા ક્રમના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કે ટ્વીટરના નવા સીઈઓની પસંદગી કરી લીધી છે. એલન મસ્કે તેમના ટ્વિટર હેન્ડલ પર આ નવા સીઈઓનો ફોટો પણ ટ્વીટ કર્યો છે. જો કે તમે આ નવા સીઈઓની તસવીર નિહાળશો તો તમે પણ માથુ ખંજવાળતા રહેશો.  


કોણ છે ટ્વીટરનો નવો CEO


એલન મસ્કે ટ્વીટર પર જે નવા સીઈઓની તસવીર પોસ્ટ કરી છે તે કોઈ માણસ નહીં પણ એક શ્વાન છે. એલન મસ્કે તેમના પાલતું શ્વાનને ટ્વીટરનો નવો સીઈઓ બનાવી દીધો છે. આ શ્વાનનું નામ ફ્લોકી છે, ફ્લોકી શીબા ઈનુ પ્રજાતિનો છે. એલન મસ્કે તેની પ્રશંસા કરતા કહ્યું કે તે અન્ય સીઈઓ કરતા વધુ શ્રેષ્ઠ છે. અત્રે ઉલ્લેખનિય છે કે એલન મસ્ક છેલ્લા ઘણા સમયથી ટ્વીટરનો નવો સીઈઓ શોધી રહ્યા હતા જો કે હવે તેમણે તેમના પાલતું શ્વાનને જ સીઈઓની ખુરશી સોંપી દીધી છે.  


મસ્કએ ફ્લોકી અંગે શું કહ્યું?


ફ્લોકીની તસવીર શેર કરતાં ઓ મસ્કએ લખ્યું કે તે અન્ય CEO કરતાં ઘણી સારી છે. તેમનો ઈશારો ટ્વીટરના પૂર્વ CEO પરાગ અગ્રવાલ તરફ હતો. તેમણે પોતાના કૂતરાને બ્રાન્ડેડ બ્લેક ટી-શર્ટ, ચશ્મા પહેરીને  CEOની ખુરશી પર બેસાડ્યો. ટ્વિટરની કેટલીક ફાઇલો પણ તેની સામે ટેબલ પર રાખવામાં આવી છે. તેની ત્રણ અલગ-અલગ તસવીરો શેર કરી અને તેની ભરપુર પ્રશંસા પણ કરી હતી. જોકે લોકોને મસ્કની આ મજાક પસંદ નથી આવી. લોકોએ તેમને ટ્રોલ કરવાનું પણ શરૂ કર્યું છે. આ પ્રથમ વખત નથી, મસ્ક આ પહેલા પણ આવી મજાક કરતા રહ્યા છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .