એલન મસ્કે Twitterનો નવો CEO પસંદ કર્યો, ફોટો જોઈ ચોક્કસ આશ્ચર્ય થશે


  • Published By :
  • Published Date : 2023-02-15 16:14:52

વિશ્વના બીજા ક્રમના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કે ટ્વીટરના નવા સીઈઓની પસંદગી કરી લીધી છે. એલન મસ્કે તેમના ટ્વિટર હેન્ડલ પર આ નવા સીઈઓનો ફોટો પણ ટ્વીટ કર્યો છે. જો કે તમે આ નવા સીઈઓની તસવીર નિહાળશો તો તમે પણ માથુ ખંજવાળતા રહેશો.  


કોણ છે ટ્વીટરનો નવો CEO


એલન મસ્કે ટ્વીટર પર જે નવા સીઈઓની તસવીર પોસ્ટ કરી છે તે કોઈ માણસ નહીં પણ એક શ્વાન છે. એલન મસ્કે તેમના પાલતું શ્વાનને ટ્વીટરનો નવો સીઈઓ બનાવી દીધો છે. આ શ્વાનનું નામ ફ્લોકી છે, ફ્લોકી શીબા ઈનુ પ્રજાતિનો છે. એલન મસ્કે તેની પ્રશંસા કરતા કહ્યું કે તે અન્ય સીઈઓ કરતા વધુ શ્રેષ્ઠ છે. અત્રે ઉલ્લેખનિય છે કે એલન મસ્ક છેલ્લા ઘણા સમયથી ટ્વીટરનો નવો સીઈઓ શોધી રહ્યા હતા જો કે હવે તેમણે તેમના પાલતું શ્વાનને જ સીઈઓની ખુરશી સોંપી દીધી છે.  


મસ્કએ ફ્લોકી અંગે શું કહ્યું?


ફ્લોકીની તસવીર શેર કરતાં ઓ મસ્કએ લખ્યું કે તે અન્ય CEO કરતાં ઘણી સારી છે. તેમનો ઈશારો ટ્વીટરના પૂર્વ CEO પરાગ અગ્રવાલ તરફ હતો. તેમણે પોતાના કૂતરાને બ્રાન્ડેડ બ્લેક ટી-શર્ટ, ચશ્મા પહેરીને  CEOની ખુરશી પર બેસાડ્યો. ટ્વિટરની કેટલીક ફાઇલો પણ તેની સામે ટેબલ પર રાખવામાં આવી છે. તેની ત્રણ અલગ-અલગ તસવીરો શેર કરી અને તેની ભરપુર પ્રશંસા પણ કરી હતી. જોકે લોકોને મસ્કની આ મજાક પસંદ નથી આવી. લોકોએ તેમને ટ્રોલ કરવાનું પણ શરૂ કર્યું છે. આ પ્રથમ વખત નથી, મસ્ક આ પહેલા પણ આવી મજાક કરતા રહ્યા છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.