જયારે ઇલોન મસ્ક અને પોલેન્ડના વિદેશમંત્રી વચ્ચે તીખારા ઝર્યા!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-10 21:53:48

ટેસ્લાના CEO ઈલોન મસ્ક અને પોલેન્ડના વિદેશ મંત્રી રાડોસલો સીકોર્સ્કી વચ્ચે યુક્રેનની સેનાને ઈન્ટરનેટ આપવાને લઇને પ્લેટફોર્મ X પર ઉગ્ર બોલાચાલી થઇ છે . હાલમાં યુક્રેનની સેનાને ઈલોન મસ્કની કંપની સ્ટારલિંક ઈન્ટરનેટ આપી રહી છે . જોકે હવે આ વિવાદમાં પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક અને US ના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબીઓ પણ કૂદી પડ્યા છે . તો આવો જાણીએ શું છે આખો મામલો? 

ઈલોન મસ્કે ગયિકાલે જ રશિયા - યુક્રેન યુદ્ધને લઇને પ્લેટફોર્મ X પર એક ટ્વીટ કરી હતી . જેમાં તેમણે લખ્યું હતું કે ,   

"હું રશિયન પ્રમુખ પુતિનને યુક્રેન સાથે વન ટુ વન યુદ્ધ કરવા માટે ચેલેન્જ આપું છું . મારી સ્ટારલિંક સિસ્ટમ એ યુક્રેનિઅન સેનાનું બેકબોન છે . જો મારુ નેટ બંધ થઇ જાય તો , યુક્રેનિઅન સેનાની ફ્રન્ટલાઈન પડી ભાંગશે . હું એક વસ્તુથી કંટાળી ગયો છું જે છે આ યુદ્ધ તેમાં વર્ષોથી કત્લેઆમ ચાલુ છે અને યુક્રેનનું હારવું પણ નિશ્ચિત છે . માસના લોચે લોચા બનાવતું યુદ્ધ હવે અટકવું જોઈએ .  માટે હવે શાંતિ થવી જોઈએ . " 


આમ ઈલોન મસ્કે આ ટ્વીટ થકી બેઉ રશિયા અને યુક્રેનને શાંતિની અપીલ કરી છે . 

ઈલોન મસ્કની આ ટ્વીટ બાદ તરત જ પોલેન્ડના વિદેશ મંત્રી , રાડોસલો સીકોર્સ્કી એ સ્ટારલિંકના ઈન્ટરનેટને લઇને પ્રતિક્રિયા આપી હતી . જેમાં તેમણે લખ્યું છે કે , " યુક્રેન માટે સ્ટારલિંકનો ઈન્ટરનેટ આપવા માટેનો ખર્ચ એ પોલેન્ડના ડિજિટાઇઝેશન ખાતા દ્વારા આપવામાં આવે છે . જે વાર્ષિક $ ૫૦ મિલિયન ડોલરનો છે . જો આ જ રીતે તમે યુક્રેનને ઈન્ટરનેટ બંધ કરવાની ધમકી આપતા રહેશો તો , અમે કોઈ બીજા ઈન્ટરનેટ પ્રોવાઇડર વિશે વિચાર કરીશું . " 


પોલેન્ડના વિદેશ મંત્રી રાડોસલો સીકોર્સકીની આ ટ્વીટ બાદ , તો એલોન મસ્કે ફરી એક ટ્વીટ કરીને જવાબ આપ્યો હતો જેમાં તેમણે લખ્યું છે કે , " ઓ નાના માણસ શાંત થઇ જાઓ , તમે તો ખાલી ખર્ચનો ખુબ નાનો ભાગ જ ચૂકવો છો . સ્ટારલિંકનો કોઈ જ વિકલ્પ નથી . " 


આ પછી ઉગ્ર વિવાદમાં US ના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબીઓની એલોન મસ્કના સમર્થનમાં પ્લેટફોર્મ X પર   પ્રતિક્રિયા સામે આવી હતી જેમાં તેમણે લખ્યું છે , "  ખાલી ખાલી વાતોના વડા ના કરો . યુક્રેનને કોઈ પણ સ્ટરલિન્કની ઈન્ટરનેટ સેવા બંધ નથી થવાની .   ઉપરાંત સ્ટારલિંકના ઈન્ટરનેટ વગર યુક્રેન ક્યારનું રશિયા સામે હારી ગયું હોત  અને રશિયા આજે પોલેન્ડ સરહદે ઉભું હોત . " 


આ પછી પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક , પોતાની સરકારના વિદેશ મંત્રી રાડોસલો સીકોર્સ્કીના સમર્થનમાં આવ્યા હતા , તેમણે પ્લેટફોર્મ X પર ટ્વીટ કરતા લખ્યું છે કે , " સાચી નેતાગીરી એ છે કે જેમાં પાર્ટનર અને સાથીઓનું નબળા માટે માન જળવાય  . અભિમાન કયારેય ના કરો . મિત્રો આ વિષય પર વિચાર કરો . " 


ઉપરોક્ત તમામ ટ્વીટ એક વસ્તુ સાફ દર્શાવે છે , યુરોપ અને અમેરિકા વચ્ચે રશિયા - યુક્રેન યુદ્ધને લઇને ખાઈ વધી રહી છે . 

વાત કરીએ સ્ટરલિન્કની તો તેના CEO ઈલોન મસ્ક છે . આ કંપનીનો મુખ્ય હેતુ દુર્ગમ પહાડી ,  રણ કે યુદ્ધગ્રસ્ત  વિસ્તારોમાં ઈન્ટરનેટ પહોંચાડવાનો છે .  યુક્રેન માટે સ્ટારલિંકનું ઈન્ટરનેટ ખુબ જ મહત્વનું છે . તો તમારું ઈલોન મસ્કની વાત પર શું માનવું છે કોમેન્ટ બોક્સમાં અમને જરૂર જણાવજો . 



જો તમે અમને યૂટ્યૂબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો .



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.