લાગણીસભર FB પોસ્ટથી ચોરનું હ્રદય પરિવર્તન, ચોરેલું બાઈક પાછું મૂકી ગયો, ઘટના CCTVમાં કેદ


  • Published By :
  • Published Date : 2023-12-15 21:16:06

એવું તો સાંભળ્યું હશે કે ચોર ચોરી કરીને ભાગી ગયો.. પણ સુરતમાં કંઈક ઊંધું જ બન્યું હતું અહીં સુરતમાં એક વિચિત્ર ઘટના બની હતી. ચોર પાર્કિંગમાંથી એક બાઈક ચોરી કરીને લઈ ગયો હતો. પછી બાઇકના માલિકે ઈમોશનલ FB પોસ્ટ વાંચીને ચોરનું હદય પરિવર્તન થઈ ગયું અને તે બાઈક પાછું પાર્કિંગમાં મૂકી ગયો. આ સમગ્ર ઘટના CCTVમાં પણ કેદ થઇ છે. ખરેખર પ્રેમની ભાષા કોઈનું પણ હ્ર્દય પરિવર્તન કરી નાખે છે.


FB પોસ્ટથી ચોરનું થયું હ્રદય પરિવર્તન 


સુરતમાં એક યુવકની ગાંધીગિરી કામ કરી ગઈ છે. સુરતમાં બાઈક ચોરીની એક ઘટના બની હતી. આ ઘટના બાદ બાઇકના માલિકે એક પોસ્ટ મૂકી હતી જે વાયરલ થઇ હતી. આ પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે “શ્રીમાન ચોર સજ્જન ને માલૂમ થાય કે જ્યાંથી બાઈકની ચોરી કરી છે ત્યાં પાર્કિંગમાં ડાબી સાઈડના ખૂણામાં આરસીબુક અને ચાવી મુકેલ છે તો તમારા ટાઈમે આવીને લઈ જજો અને સુખેથી ચલાવજો મારું ટેન્શન ના લેતા મારી પાસે સાયકલની વ્યવસ્થા છે.” આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ હતી.


શું છે સમગ્ર ઘટના?

 

સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલી મિડિલ પોઈન્ટ નામની બિલ્ડિંગમાં પરેશભાઈ પટેલ વુડન આર્ટ હેઠળ બનાવેલ સામાનનો વેપાર કરે છે. પરેશભાઈ પટેલ 9મી ડિસેમ્બરે સવારે ઓફિસે પહોંચ્યા હતા અને બિલ્ડીંગના પાર્કિંગમાં બાઇક પાર્ક કર્યું હતું. સાંજે જ્યારે તે ઘરે જવા નીકળ્યા ત્યારે તેમણે જોયું કે તેમની બાઇક પાર્કિંગમાં ન હતી. પછી પરેશ પટેલે પાર્કિંગમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા હતા. જેમાં ફૂટેજમાં એક વ્યક્તિ બાઇક ચોરી કરતો જોવા મળ્યો હતો. આ ફૂટેજ પરેશ ભાઈ પટેલે પોતાના મોબાઈલમાં લઈ ફેસબુક પર ઈમોશનલ પોસ્ટ લખી હતી. પરેશભાઈએ ચોરને સજ્જન કહીને સંબોધીને બાઇકની ચાવી અને આરસી લઈ જવાની વાત લખી હતી. જોકે, બાઇક ચોરી અંગે પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઇ હતી.


ફરિયાદ પાછી ખેંચી


હવે બાઈક પર મળી જતા બાઇકના માલિક પરેશ પટેલે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પાછી ખેંચી લીધી છે. તેમને હવે ચોર સામે કોઈ કાનૂની કાર્યવાહી કરવાની જરૂર નથી. જે સમયે બાઇકની ચોરી થઇ હતી તે સમયે તેમણે વિચાર્યું પણ નહોતું કે તેમની બાઇક પરત મળી જશે. આ જ કારણ હતું કે તેમણે ચોર બાઇકની આરસી બુક અને ચાવી લઇ જવા માટે પોસ્ટ કરી હતી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.