લાગણીસભર FB પોસ્ટથી ચોરનું હ્રદય પરિવર્તન, ચોરેલું બાઈક પાછું મૂકી ગયો, ઘટના CCTVમાં કેદ


  • Published By :
  • Published Date : 2023-12-15 21:16:06

એવું તો સાંભળ્યું હશે કે ચોર ચોરી કરીને ભાગી ગયો.. પણ સુરતમાં કંઈક ઊંધું જ બન્યું હતું અહીં સુરતમાં એક વિચિત્ર ઘટના બની હતી. ચોર પાર્કિંગમાંથી એક બાઈક ચોરી કરીને લઈ ગયો હતો. પછી બાઇકના માલિકે ઈમોશનલ FB પોસ્ટ વાંચીને ચોરનું હદય પરિવર્તન થઈ ગયું અને તે બાઈક પાછું પાર્કિંગમાં મૂકી ગયો. આ સમગ્ર ઘટના CCTVમાં પણ કેદ થઇ છે. ખરેખર પ્રેમની ભાષા કોઈનું પણ હ્ર્દય પરિવર્તન કરી નાખે છે.


FB પોસ્ટથી ચોરનું થયું હ્રદય પરિવર્તન 


સુરતમાં એક યુવકની ગાંધીગિરી કામ કરી ગઈ છે. સુરતમાં બાઈક ચોરીની એક ઘટના બની હતી. આ ઘટના બાદ બાઇકના માલિકે એક પોસ્ટ મૂકી હતી જે વાયરલ થઇ હતી. આ પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે “શ્રીમાન ચોર સજ્જન ને માલૂમ થાય કે જ્યાંથી બાઈકની ચોરી કરી છે ત્યાં પાર્કિંગમાં ડાબી સાઈડના ખૂણામાં આરસીબુક અને ચાવી મુકેલ છે તો તમારા ટાઈમે આવીને લઈ જજો અને સુખેથી ચલાવજો મારું ટેન્શન ના લેતા મારી પાસે સાયકલની વ્યવસ્થા છે.” આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ હતી.


શું છે સમગ્ર ઘટના?

 

સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલી મિડિલ પોઈન્ટ નામની બિલ્ડિંગમાં પરેશભાઈ પટેલ વુડન આર્ટ હેઠળ બનાવેલ સામાનનો વેપાર કરે છે. પરેશભાઈ પટેલ 9મી ડિસેમ્બરે સવારે ઓફિસે પહોંચ્યા હતા અને બિલ્ડીંગના પાર્કિંગમાં બાઇક પાર્ક કર્યું હતું. સાંજે જ્યારે તે ઘરે જવા નીકળ્યા ત્યારે તેમણે જોયું કે તેમની બાઇક પાર્કિંગમાં ન હતી. પછી પરેશ પટેલે પાર્કિંગમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા હતા. જેમાં ફૂટેજમાં એક વ્યક્તિ બાઇક ચોરી કરતો જોવા મળ્યો હતો. આ ફૂટેજ પરેશ ભાઈ પટેલે પોતાના મોબાઈલમાં લઈ ફેસબુક પર ઈમોશનલ પોસ્ટ લખી હતી. પરેશભાઈએ ચોરને સજ્જન કહીને સંબોધીને બાઇકની ચાવી અને આરસી લઈ જવાની વાત લખી હતી. જોકે, બાઇક ચોરી અંગે પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઇ હતી.


ફરિયાદ પાછી ખેંચી


હવે બાઈક પર મળી જતા બાઇકના માલિક પરેશ પટેલે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પાછી ખેંચી લીધી છે. તેમને હવે ચોર સામે કોઈ કાનૂની કાર્યવાહી કરવાની જરૂર નથી. જે સમયે બાઇકની ચોરી થઇ હતી તે સમયે તેમણે વિચાર્યું પણ નહોતું કે તેમની બાઇક પરત મળી જશે. આ જ કારણ હતું કે તેમણે ચોર બાઇકની આરસી બુક અને ચાવી લઇ જવા માટે પોસ્ટ કરી હતી.



પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.