એક શિક્ષક એસા ભી....Surendranagarની આ શાળામાં ભણાવતા શિક્ષક દંપત્તીની બદલી થતાં સર્જાયા ભાવુક કરી દે તેવા દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2023-08-05 13:14:44

આચાર્ય ચાણક્ય કહેતા હતા કે શિક્ષક કભી સામાન્ય નહીં હોતા પ્રલય ઓર નિર્માણ ઉનકી ગોદમે પલતે હેં. બાળકના જીવનમાં જેટલું મહત્વ માતા પિતાનું છે તેટલું જ મહત્વ બાળકના જીવનમાં શિક્ષકનું રહેલું છે. અનેક એવા શિક્ષકોના વીડિયો સામે આવતા હોય છે જેમાં નશાની હાલતમાં ટીચર વિદ્યાર્થીઓને ભણાવવા શાળાએ પહોંચે છે. તો બીજા એવા પણ વીડિયો સામે આવતા હોય છે જેમાં જો કોઈ શિક્ષકની બદલી થાય તો ન માત્ર વિદ્યાર્થીઓ પરંતુ આખું ગામ રડતી આંખે વિદાય આપે છે. થોડા સમય પહેલા પણ આવો વીડિયો સામે આવ્યો હતો જે કચ્છના અંતરિયાળ વિસ્તારનો હતો ત્યારે હવે કરૂણ કરી દે તેવા દ્રશ્યો સુરેન્દ્રનગરથી સામે આવ્યા છે. શિક્ષકોની વિદાય વખતે વિદ્યાર્થીઓ ભાવુક થઈ જતા હોય તેવા દ્રશ્યો અવાર નવાર સામે આવી રહ્યા છે. જો અમે તમને નેગેટિવ સમાચારો બતાવીએ છીએ તો પોઝિટિવ સમાચાર બતાવવાની જવાબદારી પણ અમારી છે.     


શિક્ષકોનું ઋણ ચૂકવવા માટે કરાયું વિદાય સમારંભનું આયોજન 

શિક્ષકોની જ્યારે બદલી થાય છે અથવા તો રિટાયર્ડ થાય છે તો સૌથી વધુ દુખ વિદ્યાર્થીઓને થતું હોય છે. બાળકના ઘડતરમાં જેટલી મહત્વની ભૂમિકા માતા પિતાની હોય છે તેટલી જ મહત્વની ભૂમિકા શિક્ષકની પણ હોય છે. આજે વાત કરવી છે સુરેન્દ્રનગરમાં સરોડી ગામની. આ ગામમાં એક નાની એવી પ્રાથમિક શાળા છે. આ પ્રાથમિક શાળામાં એક શિક્ષક દંપતિ બાળકોને ભણાવતા હતા. આ દંપતી એવું હતું કે તે ગુરુની પરિષાભામાં ફિટ થાય તેવી રીતે બાળકોને ભણાવતું હતું અને બાળકોમાં સંસ્કારોનું સિંચન કરતું હતું. બધું બરોબર ચાલી રહ્યું હતું પણ શિક્ષક દંપત્તીની સુરેન્દ્રનગરમાંથી અમદાવાદમાં બદલી થઈ. શિક્ષકો જવાના હતા એટલે તેમનું ઋણ ચૂકવવા શાળાએ અને ગ્રામજનોએ તેમની વિદાયનો કાર્યક્રમ રાખ્યો કે હરખભેર શિક્ષકોને વિદાય આપીએ. જ્યારે વિદાય આપવામાં આવી તો શિક્ષકો અને બાળકો ચોધાર આંસુએ રડી પડ્યા. 


શાળાના પ્રાંગણમાં લગાવાયા 2 હજાર વૃક્ષો 

શિક્ષક દંપતીની વાત કરીએ તો કેતનભાઈ ગદાણી અને દીપ્તિબેન ગદાણી 2004થી સરોડીની શાળામાં ભણાવતા હતા. શિક્ષકોએ ભણાવાની સાથે ગામમાં સમાજ સુધારણા સહિત પર્યાવરણ સુધારણાના પણ કામ કર્યા. જેમ કે તેમના જ પ્રયાસોથી પ્રાથમિક શાળાની 8 વિઘામાં 2 હજાર જેટલા વૃક્ષો વાવી દીધા. તમને વિશ્વાસ નહીં આવે પણ માત્ર વૃક્ષો વધવાથી અને શિક્ષણ દંપતીની સુશિક્ષાના કારણે શાળામાં બાળકોનું આવવાનું વધી ગયું. આ સિવાય બાળકોનું ભણવામાં તો મન પરોવ્યું પણ તેની સાથે રમતગમત, અન્ય ઈત્તર પ્રવૃતિઓમાં પણ કામ કરવા ધ્યાન અપાવ્યું. 


વિદાય સમારંભમાં સર્જાયા ભાવુક દ્રશ્યો 

જ્યારે તેમનો વિદાય સમારંભ યોજાયો ત્યારે ગામભરના લોકો પહોંચ્યા હતા અને આખો માહોલ એકદમ કરુણ થઈ ગયો હતો, કચ્છના બન્ની વિસ્તારના મીસરીયાડો ગામમાં પણ શિક્ષકની આવી વિદાયનો હમણા વીડિયો વાયરલ થયો હતો. પ્રહલાદ સુથારની સારી શિક્ષાના કારણે તેમના વિદાય દિવસે આખું ગામ ચોધાર આંસુએ રડ્યું હતું. 


એવા પણ શિક્ષકો છે જે વિદ્યાર્થીઓમાં કરે છે સારા સંસ્કારોનું સિંચન 

એમ પણ કહેવાય છે ને દરેક વસ્તુના બે પાસા હોય છે. એક પાસામાં ખરાબ, નકારાત્મક વસ્તુઓ હોઈ શકે છે તો બીજા પાસામાં સકારાત્મક, પોઝિટિવ વાતો પણ હોઈ શકે છે. જો શિક્ષક દારૂ પીને શાળાએ આવે છે તેની ચર્ચા આપણે કરતા હોઈએ છીએ તો આ વાતની પણ ચર્ચા કરવી જોઈએ કે શિક્ષણ ક્ષેત્રે આવા શિક્ષકો પણ છે જે બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન કરે છે. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.