એક શિક્ષક એસા ભી....Surendranagarની આ શાળામાં ભણાવતા શિક્ષક દંપત્તીની બદલી થતાં સર્જાયા ભાવુક કરી દે તેવા દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2023-08-05 13:14:44

આચાર્ય ચાણક્ય કહેતા હતા કે શિક્ષક કભી સામાન્ય નહીં હોતા પ્રલય ઓર નિર્માણ ઉનકી ગોદમે પલતે હેં. બાળકના જીવનમાં જેટલું મહત્વ માતા પિતાનું છે તેટલું જ મહત્વ બાળકના જીવનમાં શિક્ષકનું રહેલું છે. અનેક એવા શિક્ષકોના વીડિયો સામે આવતા હોય છે જેમાં નશાની હાલતમાં ટીચર વિદ્યાર્થીઓને ભણાવવા શાળાએ પહોંચે છે. તો બીજા એવા પણ વીડિયો સામે આવતા હોય છે જેમાં જો કોઈ શિક્ષકની બદલી થાય તો ન માત્ર વિદ્યાર્થીઓ પરંતુ આખું ગામ રડતી આંખે વિદાય આપે છે. થોડા સમય પહેલા પણ આવો વીડિયો સામે આવ્યો હતો જે કચ્છના અંતરિયાળ વિસ્તારનો હતો ત્યારે હવે કરૂણ કરી દે તેવા દ્રશ્યો સુરેન્દ્રનગરથી સામે આવ્યા છે. શિક્ષકોની વિદાય વખતે વિદ્યાર્થીઓ ભાવુક થઈ જતા હોય તેવા દ્રશ્યો અવાર નવાર સામે આવી રહ્યા છે. જો અમે તમને નેગેટિવ સમાચારો બતાવીએ છીએ તો પોઝિટિવ સમાચાર બતાવવાની જવાબદારી પણ અમારી છે.     


શિક્ષકોનું ઋણ ચૂકવવા માટે કરાયું વિદાય સમારંભનું આયોજન 

શિક્ષકોની જ્યારે બદલી થાય છે અથવા તો રિટાયર્ડ થાય છે તો સૌથી વધુ દુખ વિદ્યાર્થીઓને થતું હોય છે. બાળકના ઘડતરમાં જેટલી મહત્વની ભૂમિકા માતા પિતાની હોય છે તેટલી જ મહત્વની ભૂમિકા શિક્ષકની પણ હોય છે. આજે વાત કરવી છે સુરેન્દ્રનગરમાં સરોડી ગામની. આ ગામમાં એક નાની એવી પ્રાથમિક શાળા છે. આ પ્રાથમિક શાળામાં એક શિક્ષક દંપતિ બાળકોને ભણાવતા હતા. આ દંપતી એવું હતું કે તે ગુરુની પરિષાભામાં ફિટ થાય તેવી રીતે બાળકોને ભણાવતું હતું અને બાળકોમાં સંસ્કારોનું સિંચન કરતું હતું. બધું બરોબર ચાલી રહ્યું હતું પણ શિક્ષક દંપત્તીની સુરેન્દ્રનગરમાંથી અમદાવાદમાં બદલી થઈ. શિક્ષકો જવાના હતા એટલે તેમનું ઋણ ચૂકવવા શાળાએ અને ગ્રામજનોએ તેમની વિદાયનો કાર્યક્રમ રાખ્યો કે હરખભેર શિક્ષકોને વિદાય આપીએ. જ્યારે વિદાય આપવામાં આવી તો શિક્ષકો અને બાળકો ચોધાર આંસુએ રડી પડ્યા. 


શાળાના પ્રાંગણમાં લગાવાયા 2 હજાર વૃક્ષો 

શિક્ષક દંપતીની વાત કરીએ તો કેતનભાઈ ગદાણી અને દીપ્તિબેન ગદાણી 2004થી સરોડીની શાળામાં ભણાવતા હતા. શિક્ષકોએ ભણાવાની સાથે ગામમાં સમાજ સુધારણા સહિત પર્યાવરણ સુધારણાના પણ કામ કર્યા. જેમ કે તેમના જ પ્રયાસોથી પ્રાથમિક શાળાની 8 વિઘામાં 2 હજાર જેટલા વૃક્ષો વાવી દીધા. તમને વિશ્વાસ નહીં આવે પણ માત્ર વૃક્ષો વધવાથી અને શિક્ષણ દંપતીની સુશિક્ષાના કારણે શાળામાં બાળકોનું આવવાનું વધી ગયું. આ સિવાય બાળકોનું ભણવામાં તો મન પરોવ્યું પણ તેની સાથે રમતગમત, અન્ય ઈત્તર પ્રવૃતિઓમાં પણ કામ કરવા ધ્યાન અપાવ્યું. 


વિદાય સમારંભમાં સર્જાયા ભાવુક દ્રશ્યો 

જ્યારે તેમનો વિદાય સમારંભ યોજાયો ત્યારે ગામભરના લોકો પહોંચ્યા હતા અને આખો માહોલ એકદમ કરુણ થઈ ગયો હતો, કચ્છના બન્ની વિસ્તારના મીસરીયાડો ગામમાં પણ શિક્ષકની આવી વિદાયનો હમણા વીડિયો વાયરલ થયો હતો. પ્રહલાદ સુથારની સારી શિક્ષાના કારણે તેમના વિદાય દિવસે આખું ગામ ચોધાર આંસુએ રડ્યું હતું. 


એવા પણ શિક્ષકો છે જે વિદ્યાર્થીઓમાં કરે છે સારા સંસ્કારોનું સિંચન 

એમ પણ કહેવાય છે ને દરેક વસ્તુના બે પાસા હોય છે. એક પાસામાં ખરાબ, નકારાત્મક વસ્તુઓ હોઈ શકે છે તો બીજા પાસામાં સકારાત્મક, પોઝિટિવ વાતો પણ હોઈ શકે છે. જો શિક્ષક દારૂ પીને શાળાએ આવે છે તેની ચર્ચા આપણે કરતા હોઈએ છીએ તો આ વાતની પણ ચર્ચા કરવી જોઈએ કે શિક્ષણ ક્ષેત્રે આવા શિક્ષકો પણ છે જે બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન કરે છે. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.