એક શિક્ષક એસા ભી....Surendranagarની આ શાળામાં ભણાવતા શિક્ષક દંપત્તીની બદલી થતાં સર્જાયા ભાવુક કરી દે તેવા દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2023-08-05 13:14:44

આચાર્ય ચાણક્ય કહેતા હતા કે શિક્ષક કભી સામાન્ય નહીં હોતા પ્રલય ઓર નિર્માણ ઉનકી ગોદમે પલતે હેં. બાળકના જીવનમાં જેટલું મહત્વ માતા પિતાનું છે તેટલું જ મહત્વ બાળકના જીવનમાં શિક્ષકનું રહેલું છે. અનેક એવા શિક્ષકોના વીડિયો સામે આવતા હોય છે જેમાં નશાની હાલતમાં ટીચર વિદ્યાર્થીઓને ભણાવવા શાળાએ પહોંચે છે. તો બીજા એવા પણ વીડિયો સામે આવતા હોય છે જેમાં જો કોઈ શિક્ષકની બદલી થાય તો ન માત્ર વિદ્યાર્થીઓ પરંતુ આખું ગામ રડતી આંખે વિદાય આપે છે. થોડા સમય પહેલા પણ આવો વીડિયો સામે આવ્યો હતો જે કચ્છના અંતરિયાળ વિસ્તારનો હતો ત્યારે હવે કરૂણ કરી દે તેવા દ્રશ્યો સુરેન્દ્રનગરથી સામે આવ્યા છે. શિક્ષકોની વિદાય વખતે વિદ્યાર્થીઓ ભાવુક થઈ જતા હોય તેવા દ્રશ્યો અવાર નવાર સામે આવી રહ્યા છે. જો અમે તમને નેગેટિવ સમાચારો બતાવીએ છીએ તો પોઝિટિવ સમાચાર બતાવવાની જવાબદારી પણ અમારી છે.     


શિક્ષકોનું ઋણ ચૂકવવા માટે કરાયું વિદાય સમારંભનું આયોજન 

શિક્ષકોની જ્યારે બદલી થાય છે અથવા તો રિટાયર્ડ થાય છે તો સૌથી વધુ દુખ વિદ્યાર્થીઓને થતું હોય છે. બાળકના ઘડતરમાં જેટલી મહત્વની ભૂમિકા માતા પિતાની હોય છે તેટલી જ મહત્વની ભૂમિકા શિક્ષકની પણ હોય છે. આજે વાત કરવી છે સુરેન્દ્રનગરમાં સરોડી ગામની. આ ગામમાં એક નાની એવી પ્રાથમિક શાળા છે. આ પ્રાથમિક શાળામાં એક શિક્ષક દંપતિ બાળકોને ભણાવતા હતા. આ દંપતી એવું હતું કે તે ગુરુની પરિષાભામાં ફિટ થાય તેવી રીતે બાળકોને ભણાવતું હતું અને બાળકોમાં સંસ્કારોનું સિંચન કરતું હતું. બધું બરોબર ચાલી રહ્યું હતું પણ શિક્ષક દંપત્તીની સુરેન્દ્રનગરમાંથી અમદાવાદમાં બદલી થઈ. શિક્ષકો જવાના હતા એટલે તેમનું ઋણ ચૂકવવા શાળાએ અને ગ્રામજનોએ તેમની વિદાયનો કાર્યક્રમ રાખ્યો કે હરખભેર શિક્ષકોને વિદાય આપીએ. જ્યારે વિદાય આપવામાં આવી તો શિક્ષકો અને બાળકો ચોધાર આંસુએ રડી પડ્યા. 


શાળાના પ્રાંગણમાં લગાવાયા 2 હજાર વૃક્ષો 

શિક્ષક દંપતીની વાત કરીએ તો કેતનભાઈ ગદાણી અને દીપ્તિબેન ગદાણી 2004થી સરોડીની શાળામાં ભણાવતા હતા. શિક્ષકોએ ભણાવાની સાથે ગામમાં સમાજ સુધારણા સહિત પર્યાવરણ સુધારણાના પણ કામ કર્યા. જેમ કે તેમના જ પ્રયાસોથી પ્રાથમિક શાળાની 8 વિઘામાં 2 હજાર જેટલા વૃક્ષો વાવી દીધા. તમને વિશ્વાસ નહીં આવે પણ માત્ર વૃક્ષો વધવાથી અને શિક્ષણ દંપતીની સુશિક્ષાના કારણે શાળામાં બાળકોનું આવવાનું વધી ગયું. આ સિવાય બાળકોનું ભણવામાં તો મન પરોવ્યું પણ તેની સાથે રમતગમત, અન્ય ઈત્તર પ્રવૃતિઓમાં પણ કામ કરવા ધ્યાન અપાવ્યું. 


વિદાય સમારંભમાં સર્જાયા ભાવુક દ્રશ્યો 

જ્યારે તેમનો વિદાય સમારંભ યોજાયો ત્યારે ગામભરના લોકો પહોંચ્યા હતા અને આખો માહોલ એકદમ કરુણ થઈ ગયો હતો, કચ્છના બન્ની વિસ્તારના મીસરીયાડો ગામમાં પણ શિક્ષકની આવી વિદાયનો હમણા વીડિયો વાયરલ થયો હતો. પ્રહલાદ સુથારની સારી શિક્ષાના કારણે તેમના વિદાય દિવસે આખું ગામ ચોધાર આંસુએ રડ્યું હતું. 


એવા પણ શિક્ષકો છે જે વિદ્યાર્થીઓમાં કરે છે સારા સંસ્કારોનું સિંચન 

એમ પણ કહેવાય છે ને દરેક વસ્તુના બે પાસા હોય છે. એક પાસામાં ખરાબ, નકારાત્મક વસ્તુઓ હોઈ શકે છે તો બીજા પાસામાં સકારાત્મક, પોઝિટિવ વાતો પણ હોઈ શકે છે. જો શિક્ષક દારૂ પીને શાળાએ આવે છે તેની ચર્ચા આપણે કરતા હોઈએ છીએ તો આ વાતની પણ ચર્ચા કરવી જોઈએ કે શિક્ષણ ક્ષેત્રે આવા શિક્ષકો પણ છે જે બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન કરે છે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.