કર્મચારી સંગઠનોએ સરકાર સામે રણશિંગુ ફૂક્યું, શું ચૂંટણી જીતવાની સરકારની આશા પર પાણી ફેરવી નાખશે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 11:50:59

પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ સરકારી કર્મચારીઓ જ સરકાર માટે માથાના દુખાવા સમાન બન્યા છે. કર્મચારી સંગઠનોએ તેમની વિવિધ માગોને લઈ સરકાર સામે બાયો ચઢાવી છે. આ યુનિયનો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. આ સંગઠનો આગામી ચૂંટણીમાં જો સરકાર સામે પડશે તો ચૂંટણી જીતવી મુશ્કેલ બની જશે. સરકાર પણ આ સત્ય સારી રીતે જાણે છે, કર્મચારી યુનિયનોની તાકાત તોડી તેમની એકતાની શક્તી ક્ષીણ કરવા સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે.


રાજ્ય સરકાર સામે વધી રહ્યા છે આંદોલનો


કર્મચારી સંગઠનોની વિવિધ  માગણીઓ લાબાં સમયથી પુરી ન થઈ હોવાથી સરકાર સામે ઉગ્ર અસંતોષ છે. આ કારણે જ સમગ્ર રાજ્યમાં આંદોલનો વધી રહ્યા છે. ગુજરાત મજદૂર સંઘ સંલગ્ન ખેડા જિલ્લા મજદૂર સંઘ સાથે સંકળાયેલ જિલ્લાની સરકારી અર્ધ સરકારી સંસ્થાના યુનીયનો એકત્ર થઈ જિલ્લા કલેકટરને પોતાની પડતર માંગણીઓને લઈને આવેદનપત્ર પાઠવ્યુ હતું. સાથે જ માંગણીઓનો સત્વરે નિકાલ કરવામાં નહીં આવે તો, આગામી વિધાનસભાની ચૂંટણીમાં રાજ્ય સરકારની નીતિ વિરુદ્ધ પ્રચાર પ્રસાર કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.


ચૂંટણીમાં રાજ્ય સરકાર સામે કરશે પ્રચાર


રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આગામી ડિસેમ્બર મહિનામાં યોજાવાની છે. સરકાર ચૂંટણી જીતવા મક્કમ છે અને તમામ સરકારી મશીનરી કામે લગાવી રહી છે. જો  કે સરકાર સામે સરકારી તથા અર્ધસરકારી સંસ્થાના યુનિયનો લાંબા સમયથી ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે. આ સરકારીકર્મીઓ આંદોલનો, ધરણા અને પ્રદર્શનો કરી સરકારને ઘેરી રહ્યા છે. ખેડા જિલ્લાના નડિયાદમાં ગુજરાત મજદૂર સંઘ સલગ્ન ખેડા જિલ્લા મજદૂર સંઘ સાથે સંકળાયેલ જિલ્લાની સરકારી અર્ધ સરકારી સંસ્થાના યુનિયનો જેવા કે, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ કર્મચારી સંઘ, જિલ્લા વિદ્યુત મજદૂર સંઘ, એસટી ડિવિઝન મજદૂર સંઘ, આંગણવાડી ફેસીલેટર મહિલા મજદૂર સંઘ, રેલવે મજદૂર સંઘ સહિતના યુનિયનોના કાર્યકરો  મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતું. મોટી સંખ્યામાં કર્મચારીઓ કલેકટર કચેરીએ પહોંચ્યા ત્યારે કલેક્ટર કચેરીના રસ્તા પર જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર કર્મચારીઓ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. આ તમામ કર્મચારી યુનિયનની માંગણી છે કે તેમની તમામ પડતર માંગણીઓ સત્વરે પૂરી કરવામાં આવે. કર્મચારીઓએ સરકારને ચિમકી આપતા કહ્યું કે જો માંગણી પૂરી નહી થાય  તો આગામી ચૂંટણીમાં સરકારની નીતિ વિરૂધ્ધ પ્રચાર કરીશુ.


કર્મચારી સંગઠનો લડી લેવાના મૂડમાં


ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા  9 માર્ચ 2022 ના રોજ ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં ધરણા યોજવામાં આવ્યા હતા. મજદૂર સંઘના પ્રતિનિધિ મંડળે  વિવિધ વિભાગોના પડતર પ્રશ્નોની માંગણીઓ આવેદનપત્ર સોંપ્યું હતું. સરકારે પણ  વાટાઘાટો દ્વારા કર્મચારીઓનો અસંતોષ ઠારવા માટે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીને જવાબદારી સોંપી હતી. સરકારના મંત્રીઓની કર્મચારી યુનિયનો સાથે બેઠક પણ યોજાઈ હતી. બેઠકમાં ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ અને મહાસંઘો તથા વિવિધ યુનીયનો દ્વારા અલગ અલગ પોતાની માગણીઓ રજૂ કરાઈ હતી. ત્યારબાદ કોઈપણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી. પડતર માંગણીને લઈને આ તમામ યુનિયનના કર્મચારીઓ હવે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. આજે મોટી સંખ્યામાં તમામ યુનિયનના કર્મચારીઓ રેલી સ્વરૂપે સરકાર પાસે પોતાની પડતર માંગોને લઈને સૂત્રોચાર કરી રહ્યા હતા. હવે જ્યારે ચૂંટણી નજીક છે ત્યારે તમામ યુનિયન પોતાની પડતર માંગણીઓનો સત્વરે નિકાલ આવે તે માટે સરકારને ઘેરી રહ્યા છે, ચૂંટણી ટાણે જ ઉગ્ર બનેલા કર્મચારી સંગઠનોને કાબુમાં લેવા સરકાર હવે શું રણનીતિ અપનાવે છે તે જોવું રહ્યું.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.