આસામમાં હવે ઉગ્રવાદનો અંત! ઉલ્ફા અને કેન્દ્ર સરકાર વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર પર થયા હસ્તાક્ષર


  • Published By :
  • Published Date : 2023-12-29 20:21:24

ભારત સરકાર, આસામ સરકાર અને યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ (ULFA) વચ્ચે દિલ્હીમાં ઐતિહાસિક શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર સાથે,જ ઉત્તર-પૂર્વ ક્ષેત્રના સૌથી મોટા વિદ્રોહી જૂથોમાંના એક, ULFAના જૂથ સાથે ચાલી રહેલી લાંબી લડાઈ હવે સમાપ્ત થઈ ગઈ છે. જો કે, પરેશ બરુઆની આગેવાની હેઠળનું જુથ ULFA (સ્વતંત્ર) હજુ પણ વાતચીતની વિરુદ્ધ છે. દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કેન્દ્ર સરકાર ઉલ્ફાની તમામ કાયદેસરની માંગણીઓ સમયમર્યાદામાં પૂરી કરશે અને ઉલ્ફા સંગઠનનું વિસર્જન કરવામાં આવશે. આસામના સૌથી જૂના બળવાખોર જૂથ સાથેના શાંતિ કરારનો હેતુ ગેરકાયદેસર ઘૂસણખોરી, સ્થાનિક લોકો માટે જમીન અધિકારો અને આસામના વિકાસ માટે નાણાકીય પેકેજ જેવા મુદ્દાઓને ઉકેલવાનો છે.


અમિત શાહે શું કહ્યું?


ઉલ્ફા અને ભારત સરકાર વચ્ચેની સમજૂતી બાદ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આસામ અને સમગ્ર નોર્થ-ઈસ્ટ લાંબા સમયથી હિંસા સહન કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગૃહ મંત્રાલય ઉગ્રવાદ, હિંસા અને સંઘર્ષથી મુક્ત ઉત્તર-પૂર્વ ભારતના વિઝન સાથે કામ કરી રહ્યું છે. ભારત સરકાર, આસામ સરકાર અને ઉલ્ફા વચ્ચે થયેલી સમજૂતી થઈ છે, અમે આસામના તમામ સશસ્ત્ર જૂથોને અહીં ખતમ કરવામાં સફળ રહ્યા છીએ. આસામ અને પૂર્વોત્તર રાજ્યોની શાંતિ માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમિત શાહે વધુમાં કહ્યું કે અમે ઉલ્ફા નેતૃત્વને ખાતરી આપવા માંગીએ છીએ કે તેમણે શાંતિ પ્રક્રિયાને સફળ બનાવવા માટે કેન્દ્ર પર જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેનું સન્માન કરવામાં આવશે.


ULFA શું છે?


ULFA એટલે યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ આસામ એ ભારતના ઉત્તર-પૂર્વ રાજ્ય આસામમાં કાર્યરત એક મુખ્ય આતંકવાદી અને ઉગ્રવાદી સંગઠન છે. તેની રચના 1979માં પરેશ બરુઆ, અરબિન્દા રાજખોવા અને અનૂપ ચેટિયા જેવા યુવા નેતાઓ દ્વારા કરવામાં આવી હતી. ઉલ્ફાનો હેતુ આસામને સ્વતંત્ર સાર્વભૌમ રાજ્ય બનાવવાનો છે. શરૂઆતમાં, ઉલ્ફાને ગરીબો અને નિરાધારોને મદદ કરનાર જૂથ તરીકે જોવામાં આવતું હતું. પરંતુ ટૂંક સમયમાં તેમની પદ્ધતિઓ બદલાઈ ગઈ અને તેઓએ ભારત સરકાર સામે સશસ્ત્ર સંઘર્ષ શરૂ કર્યો. ઉલ્ફાને આતંકવાદી સંગઠન જાહેર કરવાનું મુખ્ય કારણ ચાના બગીચાના માલિક સુરેન્દ્ર પૉલની હત્યા હતી. તેઓ સ્વરાજ પૉલના ભાઈ હતા, આ હત્યા બાદ ઉલ્ફાએ ચાના બગીચાના અન્ય માલિકોને ડરાવી-ધમકાવીને  પૈસા પડાવવાનું શરૂ કર્યું હતું. આ ઘટનાઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત સરકાર પર દબાણ બનાવ્યું, જેના કારણે ઉલ્ફા સામે કડક કાર્યવાહી કરવામાં આવી. ભારત સરકારે ઉલ્ફાને આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.