આસામમાં હવે ઉગ્રવાદનો અંત! ઉલ્ફા અને કેન્દ્ર સરકાર વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર પર થયા હસ્તાક્ષર


  • Published By :
  • Published Date : 2023-12-29 20:21:24

ભારત સરકાર, આસામ સરકાર અને યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ (ULFA) વચ્ચે દિલ્હીમાં ઐતિહાસિક શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર સાથે,જ ઉત્તર-પૂર્વ ક્ષેત્રના સૌથી મોટા વિદ્રોહી જૂથોમાંના એક, ULFAના જૂથ સાથે ચાલી રહેલી લાંબી લડાઈ હવે સમાપ્ત થઈ ગઈ છે. જો કે, પરેશ બરુઆની આગેવાની હેઠળનું જુથ ULFA (સ્વતંત્ર) હજુ પણ વાતચીતની વિરુદ્ધ છે. દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કેન્દ્ર સરકાર ઉલ્ફાની તમામ કાયદેસરની માંગણીઓ સમયમર્યાદામાં પૂરી કરશે અને ઉલ્ફા સંગઠનનું વિસર્જન કરવામાં આવશે. આસામના સૌથી જૂના બળવાખોર જૂથ સાથેના શાંતિ કરારનો હેતુ ગેરકાયદેસર ઘૂસણખોરી, સ્થાનિક લોકો માટે જમીન અધિકારો અને આસામના વિકાસ માટે નાણાકીય પેકેજ જેવા મુદ્દાઓને ઉકેલવાનો છે.


અમિત શાહે શું કહ્યું?


ઉલ્ફા અને ભારત સરકાર વચ્ચેની સમજૂતી બાદ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આસામ અને સમગ્ર નોર્થ-ઈસ્ટ લાંબા સમયથી હિંસા સહન કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગૃહ મંત્રાલય ઉગ્રવાદ, હિંસા અને સંઘર્ષથી મુક્ત ઉત્તર-પૂર્વ ભારતના વિઝન સાથે કામ કરી રહ્યું છે. ભારત સરકાર, આસામ સરકાર અને ઉલ્ફા વચ્ચે થયેલી સમજૂતી થઈ છે, અમે આસામના તમામ સશસ્ત્ર જૂથોને અહીં ખતમ કરવામાં સફળ રહ્યા છીએ. આસામ અને પૂર્વોત્તર રાજ્યોની શાંતિ માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમિત શાહે વધુમાં કહ્યું કે અમે ઉલ્ફા નેતૃત્વને ખાતરી આપવા માંગીએ છીએ કે તેમણે શાંતિ પ્રક્રિયાને સફળ બનાવવા માટે કેન્દ્ર પર જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેનું સન્માન કરવામાં આવશે.


ULFA શું છે?


ULFA એટલે યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ આસામ એ ભારતના ઉત્તર-પૂર્વ રાજ્ય આસામમાં કાર્યરત એક મુખ્ય આતંકવાદી અને ઉગ્રવાદી સંગઠન છે. તેની રચના 1979માં પરેશ બરુઆ, અરબિન્દા રાજખોવા અને અનૂપ ચેટિયા જેવા યુવા નેતાઓ દ્વારા કરવામાં આવી હતી. ઉલ્ફાનો હેતુ આસામને સ્વતંત્ર સાર્વભૌમ રાજ્ય બનાવવાનો છે. શરૂઆતમાં, ઉલ્ફાને ગરીબો અને નિરાધારોને મદદ કરનાર જૂથ તરીકે જોવામાં આવતું હતું. પરંતુ ટૂંક સમયમાં તેમની પદ્ધતિઓ બદલાઈ ગઈ અને તેઓએ ભારત સરકાર સામે સશસ્ત્ર સંઘર્ષ શરૂ કર્યો. ઉલ્ફાને આતંકવાદી સંગઠન જાહેર કરવાનું મુખ્ય કારણ ચાના બગીચાના માલિક સુરેન્દ્ર પૉલની હત્યા હતી. તેઓ સ્વરાજ પૉલના ભાઈ હતા, આ હત્યા બાદ ઉલ્ફાએ ચાના બગીચાના અન્ય માલિકોને ડરાવી-ધમકાવીને  પૈસા પડાવવાનું શરૂ કર્યું હતું. આ ઘટનાઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત સરકાર પર દબાણ બનાવ્યું, જેના કારણે ઉલ્ફા સામે કડક કાર્યવાહી કરવામાં આવી. ભારત સરકારે ઉલ્ફાને આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું.



સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વાલેવડા ગામે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું છે. આ મામલે , દસાડા પોલીસ મથકે એક વ્યક્તિ સામે ફરજમાં રુકાવટ અંગેની ફરિયાદ પોતે પોલીસ કર્મચારી દ્વારા નોંધાવવામાં આવી છે. બીજી બાજુ કોંગ્રેસના પૂર્વ MLA અને ગ્રામજનો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે , સ્થાનિક PI દ્વારા રિવોલ્વર મૂકીને ધમકી આપીને માર મારવામાં આવ્યો છે.

There is a lot of discussion on the relations between India and America, whether it is Donald Trump's tariff hike or calling PM Modi a special friend, everyone's eyes are on these relations between India and America. Amidst all this, US Ambassador to India Sergio Gore reached Mumbai and this visit is considered a very important one.

ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.