આસામમાં હવે ઉગ્રવાદનો અંત! ઉલ્ફા અને કેન્દ્ર સરકાર વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર પર થયા હસ્તાક્ષર


  • Published By :
  • Published Date : 2023-12-29 20:21:24

ભારત સરકાર, આસામ સરકાર અને યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ (ULFA) વચ્ચે દિલ્હીમાં ઐતિહાસિક શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર સાથે,જ ઉત્તર-પૂર્વ ક્ષેત્રના સૌથી મોટા વિદ્રોહી જૂથોમાંના એક, ULFAના જૂથ સાથે ચાલી રહેલી લાંબી લડાઈ હવે સમાપ્ત થઈ ગઈ છે. જો કે, પરેશ બરુઆની આગેવાની હેઠળનું જુથ ULFA (સ્વતંત્ર) હજુ પણ વાતચીતની વિરુદ્ધ છે. દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કેન્દ્ર સરકાર ઉલ્ફાની તમામ કાયદેસરની માંગણીઓ સમયમર્યાદામાં પૂરી કરશે અને ઉલ્ફા સંગઠનનું વિસર્જન કરવામાં આવશે. આસામના સૌથી જૂના બળવાખોર જૂથ સાથેના શાંતિ કરારનો હેતુ ગેરકાયદેસર ઘૂસણખોરી, સ્થાનિક લોકો માટે જમીન અધિકારો અને આસામના વિકાસ માટે નાણાકીય પેકેજ જેવા મુદ્દાઓને ઉકેલવાનો છે.


અમિત શાહે શું કહ્યું?


ઉલ્ફા અને ભારત સરકાર વચ્ચેની સમજૂતી બાદ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આસામ અને સમગ્ર નોર્થ-ઈસ્ટ લાંબા સમયથી હિંસા સહન કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગૃહ મંત્રાલય ઉગ્રવાદ, હિંસા અને સંઘર્ષથી મુક્ત ઉત્તર-પૂર્વ ભારતના વિઝન સાથે કામ કરી રહ્યું છે. ભારત સરકાર, આસામ સરકાર અને ઉલ્ફા વચ્ચે થયેલી સમજૂતી થઈ છે, અમે આસામના તમામ સશસ્ત્ર જૂથોને અહીં ખતમ કરવામાં સફળ રહ્યા છીએ. આસામ અને પૂર્વોત્તર રાજ્યોની શાંતિ માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમિત શાહે વધુમાં કહ્યું કે અમે ઉલ્ફા નેતૃત્વને ખાતરી આપવા માંગીએ છીએ કે તેમણે શાંતિ પ્રક્રિયાને સફળ બનાવવા માટે કેન્દ્ર પર જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેનું સન્માન કરવામાં આવશે.


ULFA શું છે?


ULFA એટલે યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ આસામ એ ભારતના ઉત્તર-પૂર્વ રાજ્ય આસામમાં કાર્યરત એક મુખ્ય આતંકવાદી અને ઉગ્રવાદી સંગઠન છે. તેની રચના 1979માં પરેશ બરુઆ, અરબિન્દા રાજખોવા અને અનૂપ ચેટિયા જેવા યુવા નેતાઓ દ્વારા કરવામાં આવી હતી. ઉલ્ફાનો હેતુ આસામને સ્વતંત્ર સાર્વભૌમ રાજ્ય બનાવવાનો છે. શરૂઆતમાં, ઉલ્ફાને ગરીબો અને નિરાધારોને મદદ કરનાર જૂથ તરીકે જોવામાં આવતું હતું. પરંતુ ટૂંક સમયમાં તેમની પદ્ધતિઓ બદલાઈ ગઈ અને તેઓએ ભારત સરકાર સામે સશસ્ત્ર સંઘર્ષ શરૂ કર્યો. ઉલ્ફાને આતંકવાદી સંગઠન જાહેર કરવાનું મુખ્ય કારણ ચાના બગીચાના માલિક સુરેન્દ્ર પૉલની હત્યા હતી. તેઓ સ્વરાજ પૉલના ભાઈ હતા, આ હત્યા બાદ ઉલ્ફાએ ચાના બગીચાના અન્ય માલિકોને ડરાવી-ધમકાવીને  પૈસા પડાવવાનું શરૂ કર્યું હતું. આ ઘટનાઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત સરકાર પર દબાણ બનાવ્યું, જેના કારણે ઉલ્ફા સામે કડક કાર્યવાહી કરવામાં આવી. ભારત સરકારે ઉલ્ફાને આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.