આસામમાં હવે ઉગ્રવાદનો અંત! ઉલ્ફા અને કેન્દ્ર સરકાર વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર પર થયા હસ્તાક્ષર


  • Published By :
  • Published Date : 2023-12-29 20:21:24

ભારત સરકાર, આસામ સરકાર અને યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ (ULFA) વચ્ચે દિલ્હીમાં ઐતિહાસિક શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર સાથે,જ ઉત્તર-પૂર્વ ક્ષેત્રના સૌથી મોટા વિદ્રોહી જૂથોમાંના એક, ULFAના જૂથ સાથે ચાલી રહેલી લાંબી લડાઈ હવે સમાપ્ત થઈ ગઈ છે. જો કે, પરેશ બરુઆની આગેવાની હેઠળનું જુથ ULFA (સ્વતંત્ર) હજુ પણ વાતચીતની વિરુદ્ધ છે. દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કેન્દ્ર સરકાર ઉલ્ફાની તમામ કાયદેસરની માંગણીઓ સમયમર્યાદામાં પૂરી કરશે અને ઉલ્ફા સંગઠનનું વિસર્જન કરવામાં આવશે. આસામના સૌથી જૂના બળવાખોર જૂથ સાથેના શાંતિ કરારનો હેતુ ગેરકાયદેસર ઘૂસણખોરી, સ્થાનિક લોકો માટે જમીન અધિકારો અને આસામના વિકાસ માટે નાણાકીય પેકેજ જેવા મુદ્દાઓને ઉકેલવાનો છે.


અમિત શાહે શું કહ્યું?


ઉલ્ફા અને ભારત સરકાર વચ્ચેની સમજૂતી બાદ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આસામ અને સમગ્ર નોર્થ-ઈસ્ટ લાંબા સમયથી હિંસા સહન કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગૃહ મંત્રાલય ઉગ્રવાદ, હિંસા અને સંઘર્ષથી મુક્ત ઉત્તર-પૂર્વ ભારતના વિઝન સાથે કામ કરી રહ્યું છે. ભારત સરકાર, આસામ સરકાર અને ઉલ્ફા વચ્ચે થયેલી સમજૂતી થઈ છે, અમે આસામના તમામ સશસ્ત્ર જૂથોને અહીં ખતમ કરવામાં સફળ રહ્યા છીએ. આસામ અને પૂર્વોત્તર રાજ્યોની શાંતિ માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમિત શાહે વધુમાં કહ્યું કે અમે ઉલ્ફા નેતૃત્વને ખાતરી આપવા માંગીએ છીએ કે તેમણે શાંતિ પ્રક્રિયાને સફળ બનાવવા માટે કેન્દ્ર પર જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેનું સન્માન કરવામાં આવશે.


ULFA શું છે?


ULFA એટલે યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ આસામ એ ભારતના ઉત્તર-પૂર્વ રાજ્ય આસામમાં કાર્યરત એક મુખ્ય આતંકવાદી અને ઉગ્રવાદી સંગઠન છે. તેની રચના 1979માં પરેશ બરુઆ, અરબિન્દા રાજખોવા અને અનૂપ ચેટિયા જેવા યુવા નેતાઓ દ્વારા કરવામાં આવી હતી. ઉલ્ફાનો હેતુ આસામને સ્વતંત્ર સાર્વભૌમ રાજ્ય બનાવવાનો છે. શરૂઆતમાં, ઉલ્ફાને ગરીબો અને નિરાધારોને મદદ કરનાર જૂથ તરીકે જોવામાં આવતું હતું. પરંતુ ટૂંક સમયમાં તેમની પદ્ધતિઓ બદલાઈ ગઈ અને તેઓએ ભારત સરકાર સામે સશસ્ત્ર સંઘર્ષ શરૂ કર્યો. ઉલ્ફાને આતંકવાદી સંગઠન જાહેર કરવાનું મુખ્ય કારણ ચાના બગીચાના માલિક સુરેન્દ્ર પૉલની હત્યા હતી. તેઓ સ્વરાજ પૉલના ભાઈ હતા, આ હત્યા બાદ ઉલ્ફાએ ચાના બગીચાના અન્ય માલિકોને ડરાવી-ધમકાવીને  પૈસા પડાવવાનું શરૂ કર્યું હતું. આ ઘટનાઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત સરકાર પર દબાણ બનાવ્યું, જેના કારણે ઉલ્ફા સામે કડક કાર્યવાહી કરવામાં આવી. ભારત સરકારે ઉલ્ફાને આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે