ચૂંટણી પહેલા થઈ ચવાણા રાજનીતિની એન્ટ્રી! ખેડામાં ક્ષત્રિય મહિલાઓએ કેમ ચવાણાના પેકેટ ફેક્યા?, આ પેકેટ BJP તરફથી આવ્યા હતા? જાણો શું છે સમગ્ર મામલો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-06 18:05:31

ગુજરાતમાં આવતી કાલે મતદાન થવાનું છે. પણ એ પહેલા રાજકોટ જેને અત્યારે રાજનીતિનું એપી સેન્ટર માનવામાં આવી રહ્યું છે તેની પર બધાની નજર છે.. આ બેઠક પર કયાં કેટલું મતદાન થાય છે અને મતદાન સમયે શું થાય છે તેના પર નજર રહેવાની છે. પણ એ પહેલા ગુજરાતમાં  'ચવાણા' પર રાજનીતિ શરૂ થઈ છે. એક વીડિયો, એક ફોટો  સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.    

એક વીડિયો વાયરલ થયો હતો જેમાં મહિલાઓ કહી રહી છે... 

ભાજપના ખેડાના ઉમેદવાર ચૌહાણ દેવુંસિંહની તસવીર સાથે ચવાણા પેકેટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે... ફોટોની સાથે સાથે એક વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ક્ષત્રાણીઓ કહી રહી છે કે અમે આ વખતે 'ચવાણા'માં વેચાવાના નથી. કોઈ ભાજપના નેતાએ અમારા ઘરનો ઉંબરો ચઢવો નહીં. તમારો અને અમારો સંબંધ લાખ રૂપિયાનો હશે તો પણ અમે ભાજપ વિરુદ્ધ સંબંધ બગાડી નાખીશું.   


લોકો સુધી પહોંચવા માટે અલગ અલગ રસ્તાઓ અપનાવવામાં આવે છે

લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર પડઘમ ગઈકાલ સાંજથી શાંત થઈ ગયો છે અને જ્યારે પ્રચારની વાત હોય ત્યારે સૌથી પહેલા મગજમાં ચવાણું આવે છે આમતો  મતદારોને આકર્ષવા માટે વિવિધ વાયદાઓ આપવા ઉપરાંત નાસ્તાના પેકેટો પણ રાજકીય પક્ષો દ્વારા ઘરે-ઘરે વહેચવામાં આવ્યા છે. પણ આ વિડીયોમાં ક્ષત્રાણીયો સ્પષ્ટ શબ્દોમાં કહી રહી છે કે 'અમારા ઘરે કોઈ ભાજપ નેતાએ ચવાણું આપવા માટે આવવું નહીં.' 


વીડિયોને લઈ આપવામાં આવી પ્રતિક્રિયા!

તો હવે ક્ષત્રિયો કાલે કઈ તરફનું મતદાન કરે છે તેના પર બધાની નજર રહેવાની છે. વીડિયો વાયરલ થયા બાદ પ્રતિક્રિયા પણ સામે આવી છે. એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે દેવુસિંહ દ્વારા આવા કોઈ ચવાણાના પેકેટનું વિતરણ નથી કરવામાં આવ્યું..   



ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.