ચૂંટણી પહેલા થઈ ચવાણા રાજનીતિની એન્ટ્રી! ખેડામાં ક્ષત્રિય મહિલાઓએ કેમ ચવાણાના પેકેટ ફેક્યા?, આ પેકેટ BJP તરફથી આવ્યા હતા? જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2024-05-06 18:05:31

ગુજરાતમાં આવતી કાલે મતદાન થવાનું છે. પણ એ પહેલા રાજકોટ જેને અત્યારે રાજનીતિનું એપી સેન્ટર માનવામાં આવી રહ્યું છે તેની પર બધાની નજર છે.. આ બેઠક પર કયાં કેટલું મતદાન થાય છે અને મતદાન સમયે શું થાય છે તેના પર નજર રહેવાની છે. પણ એ પહેલા ગુજરાતમાં  'ચવાણા' પર રાજનીતિ શરૂ થઈ છે. એક વીડિયો, એક ફોટો  સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.    

એક વીડિયો વાયરલ થયો હતો જેમાં મહિલાઓ કહી રહી છે... 

ભાજપના ખેડાના ઉમેદવાર ચૌહાણ દેવુંસિંહની તસવીર સાથે ચવાણા પેકેટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે... ફોટોની સાથે સાથે એક વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ક્ષત્રાણીઓ કહી રહી છે કે અમે આ વખતે 'ચવાણા'માં વેચાવાના નથી. કોઈ ભાજપના નેતાએ અમારા ઘરનો ઉંબરો ચઢવો નહીં. તમારો અને અમારો સંબંધ લાખ રૂપિયાનો હશે તો પણ અમે ભાજપ વિરુદ્ધ સંબંધ બગાડી નાખીશું.   


લોકો સુધી પહોંચવા માટે અલગ અલગ રસ્તાઓ અપનાવવામાં આવે છે

લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર પડઘમ ગઈકાલ સાંજથી શાંત થઈ ગયો છે અને જ્યારે પ્રચારની વાત હોય ત્યારે સૌથી પહેલા મગજમાં ચવાણું આવે છે આમતો  મતદારોને આકર્ષવા માટે વિવિધ વાયદાઓ આપવા ઉપરાંત નાસ્તાના પેકેટો પણ રાજકીય પક્ષો દ્વારા ઘરે-ઘરે વહેચવામાં આવ્યા છે. પણ આ વિડીયોમાં ક્ષત્રાણીયો સ્પષ્ટ શબ્દોમાં કહી રહી છે કે 'અમારા ઘરે કોઈ ભાજપ નેતાએ ચવાણું આપવા માટે આવવું નહીં.' 


વીડિયોને લઈ આપવામાં આવી પ્રતિક્રિયા!

તો હવે ક્ષત્રિયો કાલે કઈ તરફનું મતદાન કરે છે તેના પર બધાની નજર રહેવાની છે. વીડિયો વાયરલ થયા બાદ પ્રતિક્રિયા પણ સામે આવી છે. એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે દેવુસિંહ દ્વારા આવા કોઈ ચવાણાના પેકેટનું વિતરણ નથી કરવામાં આવ્યું..   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.