ચૂંટણી પહેલા થઈ ચવાણા રાજનીતિની એન્ટ્રી! ખેડામાં ક્ષત્રિય મહિલાઓએ કેમ ચવાણાના પેકેટ ફેક્યા?, આ પેકેટ BJP તરફથી આવ્યા હતા? જાણો શું છે સમગ્ર મામલો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-06 18:05:31

ગુજરાતમાં આવતી કાલે મતદાન થવાનું છે. પણ એ પહેલા રાજકોટ જેને અત્યારે રાજનીતિનું એપી સેન્ટર માનવામાં આવી રહ્યું છે તેની પર બધાની નજર છે.. આ બેઠક પર કયાં કેટલું મતદાન થાય છે અને મતદાન સમયે શું થાય છે તેના પર નજર રહેવાની છે. પણ એ પહેલા ગુજરાતમાં  'ચવાણા' પર રાજનીતિ શરૂ થઈ છે. એક વીડિયો, એક ફોટો  સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.    

એક વીડિયો વાયરલ થયો હતો જેમાં મહિલાઓ કહી રહી છે... 

ભાજપના ખેડાના ઉમેદવાર ચૌહાણ દેવુંસિંહની તસવીર સાથે ચવાણા પેકેટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે... ફોટોની સાથે સાથે એક વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ક્ષત્રાણીઓ કહી રહી છે કે અમે આ વખતે 'ચવાણા'માં વેચાવાના નથી. કોઈ ભાજપના નેતાએ અમારા ઘરનો ઉંબરો ચઢવો નહીં. તમારો અને અમારો સંબંધ લાખ રૂપિયાનો હશે તો પણ અમે ભાજપ વિરુદ્ધ સંબંધ બગાડી નાખીશું.   


લોકો સુધી પહોંચવા માટે અલગ અલગ રસ્તાઓ અપનાવવામાં આવે છે

લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર પડઘમ ગઈકાલ સાંજથી શાંત થઈ ગયો છે અને જ્યારે પ્રચારની વાત હોય ત્યારે સૌથી પહેલા મગજમાં ચવાણું આવે છે આમતો  મતદારોને આકર્ષવા માટે વિવિધ વાયદાઓ આપવા ઉપરાંત નાસ્તાના પેકેટો પણ રાજકીય પક્ષો દ્વારા ઘરે-ઘરે વહેચવામાં આવ્યા છે. પણ આ વિડીયોમાં ક્ષત્રાણીયો સ્પષ્ટ શબ્દોમાં કહી રહી છે કે 'અમારા ઘરે કોઈ ભાજપ નેતાએ ચવાણું આપવા માટે આવવું નહીં.' 


વીડિયોને લઈ આપવામાં આવી પ્રતિક્રિયા!

તો હવે ક્ષત્રિયો કાલે કઈ તરફનું મતદાન કરે છે તેના પર બધાની નજર રહેવાની છે. વીડિયો વાયરલ થયા બાદ પ્રતિક્રિયા પણ સામે આવી છે. એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે દેવુસિંહ દ્વારા આવા કોઈ ચવાણાના પેકેટનું વિતરણ નથી કરવામાં આવ્યું..   



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે