ચૂંટણી પહેલા થઈ ચવાણા રાજનીતિની એન્ટ્રી! ખેડામાં ક્ષત્રિય મહિલાઓએ કેમ ચવાણાના પેકેટ ફેક્યા?, આ પેકેટ BJP તરફથી આવ્યા હતા? જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2024-05-06 18:05:31

ગુજરાતમાં આવતી કાલે મતદાન થવાનું છે. પણ એ પહેલા રાજકોટ જેને અત્યારે રાજનીતિનું એપી સેન્ટર માનવામાં આવી રહ્યું છે તેની પર બધાની નજર છે.. આ બેઠક પર કયાં કેટલું મતદાન થાય છે અને મતદાન સમયે શું થાય છે તેના પર નજર રહેવાની છે. પણ એ પહેલા ગુજરાતમાં  'ચવાણા' પર રાજનીતિ શરૂ થઈ છે. એક વીડિયો, એક ફોટો  સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.    

એક વીડિયો વાયરલ થયો હતો જેમાં મહિલાઓ કહી રહી છે... 

ભાજપના ખેડાના ઉમેદવાર ચૌહાણ દેવુંસિંહની તસવીર સાથે ચવાણા પેકેટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે... ફોટોની સાથે સાથે એક વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ક્ષત્રાણીઓ કહી રહી છે કે અમે આ વખતે 'ચવાણા'માં વેચાવાના નથી. કોઈ ભાજપના નેતાએ અમારા ઘરનો ઉંબરો ચઢવો નહીં. તમારો અને અમારો સંબંધ લાખ રૂપિયાનો હશે તો પણ અમે ભાજપ વિરુદ્ધ સંબંધ બગાડી નાખીશું.   


લોકો સુધી પહોંચવા માટે અલગ અલગ રસ્તાઓ અપનાવવામાં આવે છે

લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર પડઘમ ગઈકાલ સાંજથી શાંત થઈ ગયો છે અને જ્યારે પ્રચારની વાત હોય ત્યારે સૌથી પહેલા મગજમાં ચવાણું આવે છે આમતો  મતદારોને આકર્ષવા માટે વિવિધ વાયદાઓ આપવા ઉપરાંત નાસ્તાના પેકેટો પણ રાજકીય પક્ષો દ્વારા ઘરે-ઘરે વહેચવામાં આવ્યા છે. પણ આ વિડીયોમાં ક્ષત્રાણીયો સ્પષ્ટ શબ્દોમાં કહી રહી છે કે 'અમારા ઘરે કોઈ ભાજપ નેતાએ ચવાણું આપવા માટે આવવું નહીં.' 


વીડિયોને લઈ આપવામાં આવી પ્રતિક્રિયા!

તો હવે ક્ષત્રિયો કાલે કઈ તરફનું મતદાન કરે છે તેના પર બધાની નજર રહેવાની છે. વીડિયો વાયરલ થયા બાદ પ્રતિક્રિયા પણ સામે આવી છે. એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે દેવુસિંહ દ્વારા આવા કોઈ ચવાણાના પેકેટનું વિતરણ નથી કરવામાં આવ્યું..   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે