EPFO: કરોડો કર્મચારીઓ માટે ખુશખબર, EPFOએ 2023-24 માટે વ્યાજ દર 8.25 ટકા નક્કી કર્યું


  • Published By :
  • Published Date : 2024-02-11 11:56:39

દેશની રિટાયરમેન્ટ ફંડ ઓથોરિટી EPFOએ શનિવારે વર્ષ 2023-24 માટે વ્યાજ દર નક્કી કર્યા છે. આ વ્યાજ દર 8.25 ટકા હશે અને તે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ છે. માર્ચ 2023માં, સરકારે કર્મચારી ભવિષ્ય નિધિ ફંડમાં 2022-23 માટે વ્યાજ દર 8.15 ટકા નક્કી કર્યો હતો. જ્યારે 2021-22 માટે તે 8.10 ટકા હતો.


શનિવારે CBTની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો  


માર્ચ 2022 માં, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને 2021-22 માટે વ્યાજ દર ઘટાડીને 8.1 ટકા કર્યો હતો, જે છેલ્લા ચાર દાયકા કરતાં ઓછો છે. આ 1977-78 પછી સૌથી નીચો હતો.  EPFOમાં નિર્ણયો માટે જવાબદાર સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)એ શનિવારે યોજાયેલી તેની બેઠકમાં કર્મચારી ભવિષ્ય નિધિ માટે વર્ષ 2023-24માં EPFO ​​માં વ્યાજ દર વધારીને 8.25 ટકા કરવાનો નિર્ણય લીધો છે. સીબીટીએ માર્ચ 2021માં EPF પર વ્યાજ દર 8.5 ટકા નક્કી કર્યો હતો.


EPFOએ લાગું કરી છે આ નવી જોગવાઈ


જાન્યુઆરીમાં, EPFOએ જન્મતારીખ માટે સ્વીકાર્ય દસ્તાવેજ તરીકે આધાર કાર્ડ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. કર્મચારી ભવિષ્ય નિધિએ વીસ કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી કંપનીઓમાં પગારદાર કર્મચારીઓ માટે ફરજિયાત યોગદાન લાગુ કર્યું છે. આ હેઠળ, કર્મચારીના પગારના 12 ટકા માસિક ધોરણે EPF ખાતામાં જમા થાય છે અને તેટલું જ યોગદાન એમ્પ્લોયર દ્વારા કરવામાં આવે છે. એમ્પ્લોયરના હિસ્સામાંથી 3.67 ટકા EPF ખાતામાં જમા થાય છે અને બાકીના 8.33 ટકા એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ (EPS)માં જમા થાય છે.



આવતી કાલે ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થવાનું છે. લોકો મતાધિકારનો ઉપયોગ કરશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ત્યારે ગુજરાતની 25 બેઠકોના ઉમેદવારોના નામ જણાવવામાં આવ્યા છે.

ભાજપના ખેડાના ઉમેદવાર ચૌહાણ દેવુંસિંહની તસવીર સાથે ચવાણા પેકેટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે... ફોટોની સાથે સાથે એક વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ક્ષત્રાણીઓ કહી રહી છે કે અમે આ વખતે 'ચવાણા'માં વેચાવાના નથી.

ક્ષત્રિય સમાજના લોકો ભાજપના નેતાઓનો વિરોધ કરી રહ્યા છે. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા દેદાદરા ગામ પાસેથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે ક્ષત્રિય સમાજના આક્રોશનો ભોગ બનવુ પડ્યું હતું...

થોડા દિવસ પહેલા જામનગરમાં પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી. જનસભાને સંબોધે તે પહેલા જામસાહેબને મળવા માટે પીએમ મોદી ગયા હતા અને તેમણે પીએમ મોદીને પાઘડી આપી હતી. જે બાદ આ મામલે ટીકા પણ થઈ. ત્યારે હવે આ મામલે પ્રતિક્રિયા જામસાહેબ દ્વારા આપવામાં આવી છે.