આતુરતાનો આવ્યો અંત.. EPFOએ 7 કરોડ EPF ધારકોના ખાતામાં જમા કરાવી વ્યાજની રકમ


  • Published By :
  • Published Date : 2023-11-11 15:02:41

દેશભરમાં લોકો દિવાળીના તહેવારની ઉજવણી માટે ઉત્સાહીત છે ત્યારે EPFOએ પણ  (કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન)ને નાણાકિય વર્ષ 2022-23 માટે EPF ખાતાઓમાં વ્યાજ જમા કરવવાનું શરૂ કર્યું છે. બેંક ખાતામાં વ્યાજની રકમ જમા થતા હવે EPF ખાતાધારકની કુલ રકમ વધી જશે. આ નાણાકીય વર્ષમાં ઈપીએફઓના ખાતાધારકને જમા રકમ પર 8.15 ટકા મુજબ વ્યાજ દર મળવાનો છે. ઉલ્લેખનિય છે કે  EPFOના આ નિર્ણયથી 7 કરોડ લોકોને લાભ થશે.  


EPFOએ આપી જાણકારી


સોશિયલ મીડીયા પર અનેક યુઝર્સ દ્વારા છેલ્લા કેટલાક સમયથી EPFOને સવાલો પુછવામાં આવી રહ્યા છે. જેમાં સુબ્રત કુમાર દાસ નામના એક યુઝર દ્વારા પુછવામાં આવ્યુ હતું કે તેમના ખાતામાં વ્યાજ ક્યારે જમા થશે? તેનો જવાબમાં આપતા EPFOએ કહ્યુ હતું કે,  હાલમાં પ્રક્રિયા પાઈપલાઈનમાં છે, અને ટુંક સમયમાં દરેક ખાતાધારકના ખાતામાં વ્યાજની રકમ જમા કરી દેવામાં આવશે. મેમ્બરોએ ધીરજ જાળવી રાખે. નાણાકીય વર્ષ 2022-23 માટે સરકારે 8.15 ટકા પ્રમાણે વ્યાજ દર નક્કી કર્યો છે. આ વ્યાજ નાણાકીય વર્ષ 2022-23 માટેની છે અને તેને તરત ચેક કરી શકશો. ઉલ્લેખનિય છે કે, સરકારે આ નાણાકીય વર્ષ 2022-23 માટે EPF પર 8.15 ટકાના દરે વ્યાજ આપવાનું નક્કી કરેલ છે. તેમણે કહ્યું હતું કે, તમે જાણવા માંગતા હોય કે પીએફ ખાતામાં ક્યા મહિને કેટલુ પીએફ જમા થયું છે? તેમા કંપનીએ કેટલું યોગદાન આપેલુ છે?, કુલ કેટલી રકમ જમા છે ? આ ઉપરાંત આવી કેટલીક બાબતોની જાણકારી માટે તમે સરળતાથી ઓનલાઈન ચેક કરી શકો છો. 


કઈ રીતે જાણી શકાય PF બેલેન્સ?


PF બેલેન્સ ચેક કરવા માટે માત્ર એક SMS દ્વારા પણ જાણી શકાય છે. આ માટે EPFO એ નંબર બહાર પાડ્યો છે. તમારે રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 7738299899 પર SMS મોકલવાનો રહેશે. જેવો તમે SMS કરશો કે EPFO તમને તમારા પીએફ યોગદાન અને બેલેન્સ અંગે માહિતી ઘરે બેઠા સરળતાથી મેળવી શકાય છે. તે જ પ્રકારે SMSથી પણ જાણકારી મેળવી શકાય છે, SMS મોકલવાની રીત એકદમ સરળ છે, તેના માટે તમારે 'EPFOHO UAN' લખીને  7738299899 પર મોકલવાનો રહેશે. આ સુવિધા 10 ભાષાઓમાં અંગ્રેજી, પંજાબી, હિન્દી, ગુજરાતી, મરાઠી, કન્નડ, તેલુગુ, તમિલ, મલિયાલમ અને બાંગ્લામાં જેવી ભાષામાં ઉપલબ્ધ છે. EPFOની વેબસાઈટ પરથી પણ બેલેન્સ ચેક કરી શકાય છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.