આતુરતાનો આવ્યો અંત.. EPFOએ 7 કરોડ EPF ધારકોના ખાતામાં જમા કરાવી વ્યાજની રકમ


  • Published By :
  • Published Date : 2023-11-11 15:02:41

દેશભરમાં લોકો દિવાળીના તહેવારની ઉજવણી માટે ઉત્સાહીત છે ત્યારે EPFOએ પણ  (કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન)ને નાણાકિય વર્ષ 2022-23 માટે EPF ખાતાઓમાં વ્યાજ જમા કરવવાનું શરૂ કર્યું છે. બેંક ખાતામાં વ્યાજની રકમ જમા થતા હવે EPF ખાતાધારકની કુલ રકમ વધી જશે. આ નાણાકીય વર્ષમાં ઈપીએફઓના ખાતાધારકને જમા રકમ પર 8.15 ટકા મુજબ વ્યાજ દર મળવાનો છે. ઉલ્લેખનિય છે કે  EPFOના આ નિર્ણયથી 7 કરોડ લોકોને લાભ થશે.  


EPFOએ આપી જાણકારી


સોશિયલ મીડીયા પર અનેક યુઝર્સ દ્વારા છેલ્લા કેટલાક સમયથી EPFOને સવાલો પુછવામાં આવી રહ્યા છે. જેમાં સુબ્રત કુમાર દાસ નામના એક યુઝર દ્વારા પુછવામાં આવ્યુ હતું કે તેમના ખાતામાં વ્યાજ ક્યારે જમા થશે? તેનો જવાબમાં આપતા EPFOએ કહ્યુ હતું કે,  હાલમાં પ્રક્રિયા પાઈપલાઈનમાં છે, અને ટુંક સમયમાં દરેક ખાતાધારકના ખાતામાં વ્યાજની રકમ જમા કરી દેવામાં આવશે. મેમ્બરોએ ધીરજ જાળવી રાખે. નાણાકીય વર્ષ 2022-23 માટે સરકારે 8.15 ટકા પ્રમાણે વ્યાજ દર નક્કી કર્યો છે. આ વ્યાજ નાણાકીય વર્ષ 2022-23 માટેની છે અને તેને તરત ચેક કરી શકશો. ઉલ્લેખનિય છે કે, સરકારે આ નાણાકીય વર્ષ 2022-23 માટે EPF પર 8.15 ટકાના દરે વ્યાજ આપવાનું નક્કી કરેલ છે. તેમણે કહ્યું હતું કે, તમે જાણવા માંગતા હોય કે પીએફ ખાતામાં ક્યા મહિને કેટલુ પીએફ જમા થયું છે? તેમા કંપનીએ કેટલું યોગદાન આપેલુ છે?, કુલ કેટલી રકમ જમા છે ? આ ઉપરાંત આવી કેટલીક બાબતોની જાણકારી માટે તમે સરળતાથી ઓનલાઈન ચેક કરી શકો છો. 


કઈ રીતે જાણી શકાય PF બેલેન્સ?


PF બેલેન્સ ચેક કરવા માટે માત્ર એક SMS દ્વારા પણ જાણી શકાય છે. આ માટે EPFO એ નંબર બહાર પાડ્યો છે. તમારે રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 7738299899 પર SMS મોકલવાનો રહેશે. જેવો તમે SMS કરશો કે EPFO તમને તમારા પીએફ યોગદાન અને બેલેન્સ અંગે માહિતી ઘરે બેઠા સરળતાથી મેળવી શકાય છે. તે જ પ્રકારે SMSથી પણ જાણકારી મેળવી શકાય છે, SMS મોકલવાની રીત એકદમ સરળ છે, તેના માટે તમારે 'EPFOHO UAN' લખીને  7738299899 પર મોકલવાનો રહેશે. આ સુવિધા 10 ભાષાઓમાં અંગ્રેજી, પંજાબી, હિન્દી, ગુજરાતી, મરાઠી, કન્નડ, તેલુગુ, તમિલ, મલિયાલમ અને બાંગ્લામાં જેવી ભાષામાં ઉપલબ્ધ છે. EPFOની વેબસાઈટ પરથી પણ બેલેન્સ ચેક કરી શકાય છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.