અમદાવાદમાં રોગચાળો વકર્યો, માત્ર 12 દિવસમાં ટાઈફોઈડના 313 અને ડેન્ગ્યુના 246 કેસ


  • Published By :
  • Published Date : 2023-08-18 17:34:55

રાજ્યમાં મેઘરાજાએ વિરામ લીધા બાદ હવામાનમાં ઠંડક પ્રસરી છે, મિશ્ર હવામાનના કારણે મચ્છરોનો આતંક વધ્યો છે. અમદાવાદ શહેરમાં તો મચ્છરજન્ય અને પાણીજન્ય કેસમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો છે. ઓગસ્ટ મહિનાના બાર દિવસમાં જ શહેરમાં ઝાડા-ઊલટીના 481, કમળાના 76, ટાઈફોઈડના 313 અને કોલેરાના 18 કેસ નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યુના 246 કેસ નોંધાયા છે. ગોતા,ચાંદલોડીયા,થલતેજ ઉપરાંત બોડકદેવ વોર્ડમાં ડેન્ગ્યૂના સૌથી વધુ કેસ નોંધાતા આ તમામ વોર્ડ વિસ્તાર ડેન્ગ્યૂ માટેના હોટસ્પોટ બન્યા છે.


શહેરના વિસ્તારો કોલેરાની ઝપેટમાં


અમદાવાદના વટવા, લાંભા, રામોલ, અસારવા, ઈસનપુર સહિત શહેરના પૂર્વ વિસ્તારમાં કોલેરા વકર્યો છે. ઝાડા-ઊલટી અને ડેન્ગ્યુના રોજના 40 કેસ નોંધાઈ રહ્યા છે. આ બાબતને ધ્યાનમાં લઈ આરોગ્ય વિભાગે કોર્પોરેશનના આરોગ્ય તંત્રને રોગચાળો ડામવા સૂચના આપી છે. કારણ કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઓગસ્ટ માસમાં નોંધાયેલા ઝાડા-ઊલટીના કેસ 50 ટકાથી વધુ છે. શહેરમાં સતત વાદળછાયા વાતાવરણની વચ્ચે મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં મચ્છરજન્ય રોગચાળાએ ભરડો લીધો છે. શહેરમાં મેલેરિયાના 70 કેસ નોંધાયા છે. જ્યારે ઝેરી મેલેરિયાના 5 અને ચિકનગુનિયાના 5 કેસ નોંધાયા છે.


પૂર્વ ઝોનમાં  ડેન્ગ્યુના 111 કેસ


અમદાવાદ શહેરમાં ઝોનવાઈઝ  ડેન્ગ્યુના કેસ જોઈએ તો મધ્ય ઝોનમાં ડેન્ગ્યુના 31 કેસ, પશ્ચિમ ઝોનમાં 79 કેસ, ઉત્તર ઝોનમાં ડેન્ગ્યુના 63 કેસ અને પૂર્વ ઝોનમાં 111 કેસ નોંધાયા છે. જ્યારે દક્ષિણ ઝોનમાં ડેન્ગ્યુના 96 કેસ, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ડેન્ગ્યુના 140 કેસ અને દક્ષિણ-પશ્ચિમ ઝોન વિસ્તારમાં ડેન્ગ્યુના 104 કેસ નોંધાયા છે. ચાલુ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં શહેરમાં ડેન્ગ્યુના 624 કેસ નોંધાઈ ચૂક્યા છે.


પાણીજન્ય કેસોમાં પણ ચિંતાજનક વધારો 


અમદાવાદ શહેરમાં ચોમાસાની ઋતુ શરૂઆત થતા જ પાણીજન્ય કેસોમાં પણ ભારે વધારો જોવા મળ્યો હતો. વરસાદે વિરામ લીધા બાદ પાણીજન્ય કેસ સામે આવી રહ્યા છે. જેમાં ઝાડા ઉલટીના 481, કમળાના 76, ટાઇફોઇડના 313 અને કોલેરાના 18 કેસ સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 3333 જેટલા ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 72 જેટલા ક્લોરીન ટેસ્ટ નીલ આવ્યા છે. આ ઉપરાંત બેક્ટેરિયાલોજિકલ તપાસ માટે 952 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી કુલ 17 જેટલા પાણીના સેમ્પલ અનફિટ આવ્યા છે. 


લોહીની તપાસ માટે 49,916 સેમ્પલ લેવાયા 


અમદાવાદ શહેરના મચ્છરજન્ય કેસની સંખ્યા 300ને પાર પહોંચી છે. જેમાં સાદા મેલેરિયાના 70 કેસ, ઝેરી મેલેરીયાના 5, ડેન્ગ્યુના 243 અને ચિકનગુનિયાના 5 કેસ નોંધાયા છે. જ્યારે લોહીના તપાસ માટે 49,916 નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે ડેન્ગ્યુના સીરમના 2312 સેમ્પલ લઈને તપાસ કરવામાં આવી છે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.