ગૌતમ સિંઘાનિયા પાસે પત્નીએ 11,620 કરોડની સંપત્તીમાં માગ્યો 75% હિસ્સો, ઉદ્યોગપતિએ રાખી આ શરત


  • Published By :
  • Published Date : 2023-11-20 17:22:06

દેશના અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ સિંઘાનિયા અને  તેમની પત્ની નવાઝ મોદી હવે અલગ થઈ ગયા છે. જો કે નવાઝ મોદીએ છુટાછેડા માટે ગૌતમ સિંઘાનિયા સમક્ષ મોટી શરત રાખી છે. તેમણે સિંઘાનિયાને કુલ પ્રોપર્ટીનો 75 ટકા હિસ્સો આપવાની માગ કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ તેમણે પુત્રી નિહારિકા અને નિશા માટે આ માગ કરી છે. 


11,620 કરોડની છે પ્રોપર્ટી


મીડિયા રિપોર્ટ મુજબ ગૌતમ સિંઘાનિયાએ તેમની 11,620 કરોડ રૂપિયાની પ્રોપ્રટીમાંથી બે પુત્રી અને પત્ની માટે 75 ટકા હિસ્સો આપવા પર સંમતી દર્શાવી છે. જો કે તેમણે આ ફંડને ટ્રાન્સફર કરવા માટે એક ફેમિલી ટ્રસ્ટ બનાવવાની માગ કરી છે. સિંઘાનિયા આ ટ્રસ્ટમાં તેમની પરિવારની વેલ્થ અને એસેટ ટ્રાન્સફર કરશે. જો કે રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે તેમના મોત બાદ તેમના પરિવારના સભ્યોને પ્રોપર્ટીની વસીયત કરવાની મંજુરી આપવામાં આવે. પરંતું સિંઘાનિયાની આ માગ તેમની પત્ની નવાઝને મંજુર નથી. 


13 નવેમ્બરે અલગ થવાની કરી હતી જાહેરાત


58 વર્ષના ગૌતમ સિંઘાનિયાએ એક સોશિયલ મીડિયા પોસ્ટ કરીને પત્ની નવાઝ મોદી સિંઘાનિયાથી અલગ થવાની જાહેરાત કરી હતી. તેમણે એક ભાવુક પોસ્ટમાં લખ્યું હતું કે અમારી આ વર્ષની દિવાળી પહેલા જેવી નથી, એક કપલ તરીકે અમે 32 વર્ષ સાથે રહ્યા અને એકબીજાના મજબુત સાથી બની રહ્યા હતા. જો કે દિવાળીના દિવસે સિંઘાનિયાએ આપેલી ભવ્ય પાર્ટીમાં તેમની પત્ની કે પુત્રીઓ જોવા મળી નહોંતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.