વડોદરાના ઈટોલા ગામની શાળામાંથી ઝડપાયો 18.42 લાખનો દારૂ, પોલીસે 12092 બોટલો કરી જપ્ત, 3 આરોપીની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-10-01 18:17:59

ગુજરાતમાં દારૂબંધીનો કાયદો મજાક બની ગયો છે, અવારનવાર દારૂબંધીના લીરેલીરા ઉડાડતી ઘટનાઓ સામે આવતી રહે છે. વડોદરા જિલ્લામાં એક શાળા માંથી દારૂનો મોટો જથ્થો મળી આવતા હડકંપ મચી ગયો છે. વારણામા પોલીસે ઇટોલા ગામે આવેલા આર્ય કન્યા વ્યાયમ મહાવિધાલયના બંધ ઓરડામાં રાખેલો રૂ.18.42 લાખનો વિદેશી દારૂનું જથ્થો પકડી પડ્યો હતો. આ સાથે જ પોલીસે ત્રણ આરોપીની પણ ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, વડોદરા જિલ્લાની વારણામા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, ઈટોલા ગામમાં આવેલી આર્યકુમાર મહાસભા વડોદરા દ્વારા સંચાલિત આર્ય કન્યા વ્યાયમ મહાવિધાલયના એક બંધ ઓરડામાં મોટી માત્રામાં વિદેશી દારૂના જથ્થાનો રાખવામાં આવ્યો છે.


બાતમીના આધારે પોલીસે રેડ પાડી


ઈટોલામાં આર્યકુમાર મહાસભા વડોદરા દ્વારા સંચાલિત આર્યકન્યા વ્યાયામ મહાવિદ્યાલયના બંધ બિલ્ડિંગમાં પહેલા માળે આવેલ એક બંધ ઓરડામાં મયંક ઉર્ફે નાનકો સોમાભાઈ પટેલ રહે ઈટોલા અને ધવલ કિરીટભાઈ પટેલ રહે નીજાનંદ સોસાયટી ઇટોલા બંનેએ દારૂનો જથ્થો લાવી સંગ્રહ કર્યો છે તેવી બાતમીના આધારે પોલીસે ગઈ સાંજે વ્યાયામ મહા વિદ્યાલયમાં રેડ કરી હતી. મહાવિદ્યાલયમાં એક શખ્સ મળતા તેનું નામ પૂછતા ધર્મેશ મહેશ રબારી રહે મોટા ભીલવાળું ફળિયું ઈટોલા હોવાનું જાણવા મળ્યું હતું તેની પૂછપરછ કરતા પોતે વ્યાયામ શાળામાં નોકરી કરે છે અને શાળાની જમીનમાં ખેતી કરે છે તેમ જણાવ્યું હતું. પોલીસે તેને સાથે રાખીને વ્યાયામ શાળાના પ્રથમ માળે તપાસ કરતા શાળાના ઓરડાઓમાં તાળા મારેલા જણાયા હતા એક ઓરડીમાં નવું તાળું જણાતા પોલીસને શંકા ગઈ હતી અને તે ઓરડી ખોલવા જણાવતા ધર્મેશે બાકીના બધા રૂમોની ચાવી મારી પાસે છે આજ રૂમની નથી તેમ કહેતા પોલીસે તાળું તોડી તપાસ કરતા રૂમમાંથી 18,42,020 લાખ રૂપિયાની કિંમતની 12,092 નંગ બોટલો મળી આવી હતી. આ અંગે પોલીસે ધર્મેશની વધુ પૂછપરછ કરતા તેને કબુલાત કરી હતી કે મયંક પટેલ તારીખ 29 ના રોજ બપોરે અહીં આવીને દારૂનો જથ્થો ઉતારી ગયો હતો. વરણામાં પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી આરોપીઓ મયંક સોમાભાઈ પટેલ, ધવલ કીરીટભાઈ પટેલ તથા ધર્મેશભાઈ મહેશભાઈ રબારીની ધરપકડ કરી હતી. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.