વડોદરાના ઈટોલા ગામની શાળામાંથી ઝડપાયો 18.42 લાખનો દારૂ, પોલીસે 12092 બોટલો કરી જપ્ત, 3 આરોપીની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-10-01 18:17:59

ગુજરાતમાં દારૂબંધીનો કાયદો મજાક બની ગયો છે, અવારનવાર દારૂબંધીના લીરેલીરા ઉડાડતી ઘટનાઓ સામે આવતી રહે છે. વડોદરા જિલ્લામાં એક શાળા માંથી દારૂનો મોટો જથ્થો મળી આવતા હડકંપ મચી ગયો છે. વારણામા પોલીસે ઇટોલા ગામે આવેલા આર્ય કન્યા વ્યાયમ મહાવિધાલયના બંધ ઓરડામાં રાખેલો રૂ.18.42 લાખનો વિદેશી દારૂનું જથ્થો પકડી પડ્યો હતો. આ સાથે જ પોલીસે ત્રણ આરોપીની પણ ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, વડોદરા જિલ્લાની વારણામા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, ઈટોલા ગામમાં આવેલી આર્યકુમાર મહાસભા વડોદરા દ્વારા સંચાલિત આર્ય કન્યા વ્યાયમ મહાવિધાલયના એક બંધ ઓરડામાં મોટી માત્રામાં વિદેશી દારૂના જથ્થાનો રાખવામાં આવ્યો છે.


બાતમીના આધારે પોલીસે રેડ પાડી


ઈટોલામાં આર્યકુમાર મહાસભા વડોદરા દ્વારા સંચાલિત આર્યકન્યા વ્યાયામ મહાવિદ્યાલયના બંધ બિલ્ડિંગમાં પહેલા માળે આવેલ એક બંધ ઓરડામાં મયંક ઉર્ફે નાનકો સોમાભાઈ પટેલ રહે ઈટોલા અને ધવલ કિરીટભાઈ પટેલ રહે નીજાનંદ સોસાયટી ઇટોલા બંનેએ દારૂનો જથ્થો લાવી સંગ્રહ કર્યો છે તેવી બાતમીના આધારે પોલીસે ગઈ સાંજે વ્યાયામ મહા વિદ્યાલયમાં રેડ કરી હતી. મહાવિદ્યાલયમાં એક શખ્સ મળતા તેનું નામ પૂછતા ધર્મેશ મહેશ રબારી રહે મોટા ભીલવાળું ફળિયું ઈટોલા હોવાનું જાણવા મળ્યું હતું તેની પૂછપરછ કરતા પોતે વ્યાયામ શાળામાં નોકરી કરે છે અને શાળાની જમીનમાં ખેતી કરે છે તેમ જણાવ્યું હતું. પોલીસે તેને સાથે રાખીને વ્યાયામ શાળાના પ્રથમ માળે તપાસ કરતા શાળાના ઓરડાઓમાં તાળા મારેલા જણાયા હતા એક ઓરડીમાં નવું તાળું જણાતા પોલીસને શંકા ગઈ હતી અને તે ઓરડી ખોલવા જણાવતા ધર્મેશે બાકીના બધા રૂમોની ચાવી મારી પાસે છે આજ રૂમની નથી તેમ કહેતા પોલીસે તાળું તોડી તપાસ કરતા રૂમમાંથી 18,42,020 લાખ રૂપિયાની કિંમતની 12,092 નંગ બોટલો મળી આવી હતી. આ અંગે પોલીસે ધર્મેશની વધુ પૂછપરછ કરતા તેને કબુલાત કરી હતી કે મયંક પટેલ તારીખ 29 ના રોજ બપોરે અહીં આવીને દારૂનો જથ્થો ઉતારી ગયો હતો. વરણામાં પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી આરોપીઓ મયંક સોમાભાઈ પટેલ, ધવલ કીરીટભાઈ પટેલ તથા ધર્મેશભાઈ મહેશભાઈ રબારીની ધરપકડ કરી હતી. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.