સરકાર સાથે બેઠક થયા બાદ પણ શિક્ષકો માસ સીએલ પર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 16:13:24

રાજ્યમાં આંદોલનનો દોર દિન પ્રતિદિન વધી રહ્યો છે. એક બાદ એક આંદોલનકારીઓ પોતાની માગણી સાથે સરકારનો ઘેરાવો કરી રહ્યા છે. ત્યારે પડતર માગણીઓને લઈ ઘણા દિવસથી શિક્ષકો પણ મેદાનમાં ઉતર્યા છે. ધી ગુજરાત સચિવાલય ફેડરેશન અને રાષ્ટ્રીય શૈક્ષિક સંઘે પોતાની માગણી ના સ્વીકારાતા માસ સીએલ પર ઉતરવાની જાહેરાત કરી હતી. 


સંગઠનમાં પડ્યા બે ફાંઠા

સરકારની સાથે વાત થયા બાદ સંગઠનમાં બે ફાંઠા પડી ગયાં છે. ફાંટા પડતા અનેક જગ્યાઓ પર શિક્ષકો માસ સીએલ પર ઉતર્યા છે તો અનેક શિક્ષકો માસ સીએલ પર નથી ઉતર્યા. આંદોલનમાં બે ફાંટા પડવાની વાતને વખોડી નાખી હતી. ત્યારે ટીમ ઓપીએસે માસ સીએલનો કાર્યક્રમ યથાવત રાખવાની જાહેરાત કરી છે. સંગઠનના હોદ્દેદારોએ જૂની પેન્શન યોજના સ્વીકાર્યા વગર સરકાર સામે સોદો કર્યો હોવાનો દાવો કર્યો છે. પ્રમુખે કહ્યું કે, સરકાર ફરીથી વિચારણા કરે તેવી માગ છે, કર્મચારીઓ જૂની પેન્શન યોજના માટે જ રસ્તા પર ઉતર્યા છે.


માસ સીએલનો કાર્યક્રમ યથાવત

આ કાર્યક્રમમાં રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓ અને જૂની પેંશન યોજના નથી મળી તેવા કર્મચારીઓ જોડાશે. સંયુક્ત મોરચાની જાહેરાત બાદ વિરોધ થયો હતો. સરકારની ભાગલા પાડો નીતિ વખોડી આજે માસ સીએલ રાખવાનો નિર્ણય. સાબરકાંઠા જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ માસ સીએલ પર જવાનો કાર્યક્રમ જારી રાખ્યો. આજે જિલ્લાના શિક્ષકો ફરજ નહી બજાવે. એક દિવસ માટે જિલ્લાના શિક્ષકો માસ સીએલ મુકશે.


અનેક જિલ્લાઓમાં શિક્ષકોનો વિરોધ

મહેસાણા જિલ્લાના તમામ શિક્ષકો પણ સમર્થનમાં ઉતરી માસ સીએલ પર છે. તો તાપી જિલ્લાના પ્રાથમિક શિક્ષકો પણ માસ સીએલ પર છે. પંચમહાલ પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ પણ પોતાની માગ સાથે હડતાળ પર ઉતર્યા છે. તમામ શિક્ષકો હડતાળ પર ઉતરવાને કારણે પ્રાથમિક શાળાઓમાં તાળા લાગી ગયા છે. જેને કારણે શિક્ષણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. 


આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી

શિક્ષકો હડતાળ કરી સરકાર વિરૂદ્ધ મેદાને આવતા બાળકોને ભણવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો માસ સીએલ પર ઉતરેલા શિક્ષકોની માગણી નહિં સ્વીકારાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી શિક્ષકોએ આપી છે.




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.