સરકાર સાથે બેઠક થયા બાદ પણ શિક્ષકો માસ સીએલ પર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 16:13:24

રાજ્યમાં આંદોલનનો દોર દિન પ્રતિદિન વધી રહ્યો છે. એક બાદ એક આંદોલનકારીઓ પોતાની માગણી સાથે સરકારનો ઘેરાવો કરી રહ્યા છે. ત્યારે પડતર માગણીઓને લઈ ઘણા દિવસથી શિક્ષકો પણ મેદાનમાં ઉતર્યા છે. ધી ગુજરાત સચિવાલય ફેડરેશન અને રાષ્ટ્રીય શૈક્ષિક સંઘે પોતાની માગણી ના સ્વીકારાતા માસ સીએલ પર ઉતરવાની જાહેરાત કરી હતી. 


સંગઠનમાં પડ્યા બે ફાંઠા

સરકારની સાથે વાત થયા બાદ સંગઠનમાં બે ફાંઠા પડી ગયાં છે. ફાંટા પડતા અનેક જગ્યાઓ પર શિક્ષકો માસ સીએલ પર ઉતર્યા છે તો અનેક શિક્ષકો માસ સીએલ પર નથી ઉતર્યા. આંદોલનમાં બે ફાંટા પડવાની વાતને વખોડી નાખી હતી. ત્યારે ટીમ ઓપીએસે માસ સીએલનો કાર્યક્રમ યથાવત રાખવાની જાહેરાત કરી છે. સંગઠનના હોદ્દેદારોએ જૂની પેન્શન યોજના સ્વીકાર્યા વગર સરકાર સામે સોદો કર્યો હોવાનો દાવો કર્યો છે. પ્રમુખે કહ્યું કે, સરકાર ફરીથી વિચારણા કરે તેવી માગ છે, કર્મચારીઓ જૂની પેન્શન યોજના માટે જ રસ્તા પર ઉતર્યા છે.


માસ સીએલનો કાર્યક્રમ યથાવત

આ કાર્યક્રમમાં રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓ અને જૂની પેંશન યોજના નથી મળી તેવા કર્મચારીઓ જોડાશે. સંયુક્ત મોરચાની જાહેરાત બાદ વિરોધ થયો હતો. સરકારની ભાગલા પાડો નીતિ વખોડી આજે માસ સીએલ રાખવાનો નિર્ણય. સાબરકાંઠા જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ માસ સીએલ પર જવાનો કાર્યક્રમ જારી રાખ્યો. આજે જિલ્લાના શિક્ષકો ફરજ નહી બજાવે. એક દિવસ માટે જિલ્લાના શિક્ષકો માસ સીએલ મુકશે.


અનેક જિલ્લાઓમાં શિક્ષકોનો વિરોધ

મહેસાણા જિલ્લાના તમામ શિક્ષકો પણ સમર્થનમાં ઉતરી માસ સીએલ પર છે. તો તાપી જિલ્લાના પ્રાથમિક શિક્ષકો પણ માસ સીએલ પર છે. પંચમહાલ પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ પણ પોતાની માગ સાથે હડતાળ પર ઉતર્યા છે. તમામ શિક્ષકો હડતાળ પર ઉતરવાને કારણે પ્રાથમિક શાળાઓમાં તાળા લાગી ગયા છે. જેને કારણે શિક્ષણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. 


આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી

શિક્ષકો હડતાળ કરી સરકાર વિરૂદ્ધ મેદાને આવતા બાળકોને ભણવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો માસ સીએલ પર ઉતરેલા શિક્ષકોની માગણી નહિં સ્વીકારાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી શિક્ષકોએ આપી છે.




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.