સરકાર સાથે બેઠક થયા બાદ પણ શિક્ષકો માસ સીએલ પર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 16:13:24

રાજ્યમાં આંદોલનનો દોર દિન પ્રતિદિન વધી રહ્યો છે. એક બાદ એક આંદોલનકારીઓ પોતાની માગણી સાથે સરકારનો ઘેરાવો કરી રહ્યા છે. ત્યારે પડતર માગણીઓને લઈ ઘણા દિવસથી શિક્ષકો પણ મેદાનમાં ઉતર્યા છે. ધી ગુજરાત સચિવાલય ફેડરેશન અને રાષ્ટ્રીય શૈક્ષિક સંઘે પોતાની માગણી ના સ્વીકારાતા માસ સીએલ પર ઉતરવાની જાહેરાત કરી હતી. 


સંગઠનમાં પડ્યા બે ફાંઠા

સરકારની સાથે વાત થયા બાદ સંગઠનમાં બે ફાંઠા પડી ગયાં છે. ફાંટા પડતા અનેક જગ્યાઓ પર શિક્ષકો માસ સીએલ પર ઉતર્યા છે તો અનેક શિક્ષકો માસ સીએલ પર નથી ઉતર્યા. આંદોલનમાં બે ફાંટા પડવાની વાતને વખોડી નાખી હતી. ત્યારે ટીમ ઓપીએસે માસ સીએલનો કાર્યક્રમ યથાવત રાખવાની જાહેરાત કરી છે. સંગઠનના હોદ્દેદારોએ જૂની પેન્શન યોજના સ્વીકાર્યા વગર સરકાર સામે સોદો કર્યો હોવાનો દાવો કર્યો છે. પ્રમુખે કહ્યું કે, સરકાર ફરીથી વિચારણા કરે તેવી માગ છે, કર્મચારીઓ જૂની પેન્શન યોજના માટે જ રસ્તા પર ઉતર્યા છે.


માસ સીએલનો કાર્યક્રમ યથાવત

આ કાર્યક્રમમાં રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓ અને જૂની પેંશન યોજના નથી મળી તેવા કર્મચારીઓ જોડાશે. સંયુક્ત મોરચાની જાહેરાત બાદ વિરોધ થયો હતો. સરકારની ભાગલા પાડો નીતિ વખોડી આજે માસ સીએલ રાખવાનો નિર્ણય. સાબરકાંઠા જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ માસ સીએલ પર જવાનો કાર્યક્રમ જારી રાખ્યો. આજે જિલ્લાના શિક્ષકો ફરજ નહી બજાવે. એક દિવસ માટે જિલ્લાના શિક્ષકો માસ સીએલ મુકશે.


અનેક જિલ્લાઓમાં શિક્ષકોનો વિરોધ

મહેસાણા જિલ્લાના તમામ શિક્ષકો પણ સમર્થનમાં ઉતરી માસ સીએલ પર છે. તો તાપી જિલ્લાના પ્રાથમિક શિક્ષકો પણ માસ સીએલ પર છે. પંચમહાલ પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ પણ પોતાની માગ સાથે હડતાળ પર ઉતર્યા છે. તમામ શિક્ષકો હડતાળ પર ઉતરવાને કારણે પ્રાથમિક શાળાઓમાં તાળા લાગી ગયા છે. જેને કારણે શિક્ષણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. 


આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી

શિક્ષકો હડતાળ કરી સરકાર વિરૂદ્ધ મેદાને આવતા બાળકોને ભણવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો માસ સીએલ પર ઉતરેલા શિક્ષકોની માગણી નહિં સ્વીકારાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી શિક્ષકોએ આપી છે.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.